અક્ષયકુમારે કર્યા કેદારનાથ ધામના દર્શન! માથા પર તિલક કરી મહાદેવની કરી પૂજા! વીડિયો થયો વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-05-23 17:17:51

ઉત્તરાખંડના ચારધામ યાત્રાના દર્શનનો લાભ લાખો ભક્તોએ લીધો છે. કેદારનાથ અને બદ્રિનાથ ધામમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળતું હોય છે. ત્યારે બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે પણ બાબા કેદારનાથ સામે શીશ નમાવ્યું હતું. મંગળવારે કેદારનાથ મંદિર અક્ષય કુમાર પહોંચ્યા હતા અને બાબાના આશીર્વાદ લીધા હતા. ફિલ્મની શૂટિંગ માટે હાલ અક્ષયકુમાર ઉત્તરાખંડમાં છે. સહસ્ત્રધરા હેલિપેડથી કેદારનાથ ધામ પહોંચ્યા હતા. બાબાના દર્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક્ટરે પણ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે અને લખ્યું કે જય બાબા ભોલેનાથ. એક્ટરને જોવા માટે લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી.  

              

અક્ષય કુમારે બાબા સામે ઝૂકાવ્યું શીશ!

બોલિવુડ અભિનેતાઓના અનેક ફોટા સામે આવતા હોય છે જે વાયરલ થઈ જતા હોય છે. ત્યારે હાલ ઉત્તરાખંડના ચારધામ યાત્રા દરમિયાન લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. ખરાબ હવામાનને કારણે અનેક વખત યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. અનેક વખત ભક્તો અટવાયા પણ છે. ત્યારે બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે બાબા કેદારનાથના દર્શન કર્યા હતા. સોશિયલ મીડિયા પર અભિનેતાએ ફોટો શેર કર્યો હતો. વીડિયો પણ સામે આવ્યો છે. મંદિરની બહાર નીકળતા જ અભિનેતાએ જય ભોલેનાથનો જયઘોષ કર્યો હતો. જે વીડિયો સામે આવ્યો છે તેમાં અક્ષય કુમારના માથા પર લાલ અને પીળા રંગનો તિલક લગાવ્યો છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.