અક્ષયકુમારે કર્યા કેદારનાથ ધામના દર્શન! માથા પર તિલક કરી મહાદેવની કરી પૂજા! વીડિયો થયો વાયરલ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-23 17:17:51

ઉત્તરાખંડના ચારધામ યાત્રાના દર્શનનો લાભ લાખો ભક્તોએ લીધો છે. કેદારનાથ અને બદ્રિનાથ ધામમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળતું હોય છે. ત્યારે બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે પણ બાબા કેદારનાથ સામે શીશ નમાવ્યું હતું. મંગળવારે કેદારનાથ મંદિર અક્ષય કુમાર પહોંચ્યા હતા અને બાબાના આશીર્વાદ લીધા હતા. ફિલ્મની શૂટિંગ માટે હાલ અક્ષયકુમાર ઉત્તરાખંડમાં છે. સહસ્ત્રધરા હેલિપેડથી કેદારનાથ ધામ પહોંચ્યા હતા. બાબાના દર્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક્ટરે પણ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે અને લખ્યું કે જય બાબા ભોલેનાથ. એક્ટરને જોવા માટે લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી.  

              

અક્ષય કુમારે બાબા સામે ઝૂકાવ્યું શીશ!

બોલિવુડ અભિનેતાઓના અનેક ફોટા સામે આવતા હોય છે જે વાયરલ થઈ જતા હોય છે. ત્યારે હાલ ઉત્તરાખંડના ચારધામ યાત્રા દરમિયાન લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. ખરાબ હવામાનને કારણે અનેક વખત યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. અનેક વખત ભક્તો અટવાયા પણ છે. ત્યારે બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે બાબા કેદારનાથના દર્શન કર્યા હતા. સોશિયલ મીડિયા પર અભિનેતાએ ફોટો શેર કર્યો હતો. વીડિયો પણ સામે આવ્યો છે. મંદિરની બહાર નીકળતા જ અભિનેતાએ જય ભોલેનાથનો જયઘોષ કર્યો હતો. જે વીડિયો સામે આવ્યો છે તેમાં અક્ષય કુમારના માથા પર લાલ અને પીળા રંગનો તિલક લગાવ્યો છે.



ગુજરાતમાં થોડા વર્ષો પહેલા પાટીદાર અનામત આંદોલન થયું હતું. સરકાર સામે આંદોલન શરૂ કરવા વાળા અનેક નેતાઓ રાજકીય પાર્ટીમાં જોડાઈ ગયા છે.. કોઈ ભાજપમાં તો કોઈ બીજી અન્ય પાર્ટીમાં જોડાઈ ગયા છે...

વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.