અક્ષયકુમારે કર્યા કેદારનાથ ધામના દર્શન! માથા પર તિલક કરી મહાદેવની કરી પૂજા! વીડિયો થયો વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-05-23 17:17:51

ઉત્તરાખંડના ચારધામ યાત્રાના દર્શનનો લાભ લાખો ભક્તોએ લીધો છે. કેદારનાથ અને બદ્રિનાથ ધામમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળતું હોય છે. ત્યારે બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે પણ બાબા કેદારનાથ સામે શીશ નમાવ્યું હતું. મંગળવારે કેદારનાથ મંદિર અક્ષય કુમાર પહોંચ્યા હતા અને બાબાના આશીર્વાદ લીધા હતા. ફિલ્મની શૂટિંગ માટે હાલ અક્ષયકુમાર ઉત્તરાખંડમાં છે. સહસ્ત્રધરા હેલિપેડથી કેદારનાથ ધામ પહોંચ્યા હતા. બાબાના દર્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક્ટરે પણ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે અને લખ્યું કે જય બાબા ભોલેનાથ. એક્ટરને જોવા માટે લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી.  

              

અક્ષય કુમારે બાબા સામે ઝૂકાવ્યું શીશ!

બોલિવુડ અભિનેતાઓના અનેક ફોટા સામે આવતા હોય છે જે વાયરલ થઈ જતા હોય છે. ત્યારે હાલ ઉત્તરાખંડના ચારધામ યાત્રા દરમિયાન લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. ખરાબ હવામાનને કારણે અનેક વખત યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. અનેક વખત ભક્તો અટવાયા પણ છે. ત્યારે બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે બાબા કેદારનાથના દર્શન કર્યા હતા. સોશિયલ મીડિયા પર અભિનેતાએ ફોટો શેર કર્યો હતો. વીડિયો પણ સામે આવ્યો છે. મંદિરની બહાર નીકળતા જ અભિનેતાએ જય ભોલેનાથનો જયઘોષ કર્યો હતો. જે વીડિયો સામે આવ્યો છે તેમાં અક્ષય કુમારના માથા પર લાલ અને પીળા રંગનો તિલક લગાવ્યો છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .