અક્ષયકુમારે કર્યા કેદારનાથ ધામના દર્શન! માથા પર તિલક કરી મહાદેવની કરી પૂજા! વીડિયો થયો વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-05-23 17:17:51

ઉત્તરાખંડના ચારધામ યાત્રાના દર્શનનો લાભ લાખો ભક્તોએ લીધો છે. કેદારનાથ અને બદ્રિનાથ ધામમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળતું હોય છે. ત્યારે બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે પણ બાબા કેદારનાથ સામે શીશ નમાવ્યું હતું. મંગળવારે કેદારનાથ મંદિર અક્ષય કુમાર પહોંચ્યા હતા અને બાબાના આશીર્વાદ લીધા હતા. ફિલ્મની શૂટિંગ માટે હાલ અક્ષયકુમાર ઉત્તરાખંડમાં છે. સહસ્ત્રધરા હેલિપેડથી કેદારનાથ ધામ પહોંચ્યા હતા. બાબાના દર્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક્ટરે પણ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે અને લખ્યું કે જય બાબા ભોલેનાથ. એક્ટરને જોવા માટે લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી.  

              

અક્ષય કુમારે બાબા સામે ઝૂકાવ્યું શીશ!

બોલિવુડ અભિનેતાઓના અનેક ફોટા સામે આવતા હોય છે જે વાયરલ થઈ જતા હોય છે. ત્યારે હાલ ઉત્તરાખંડના ચારધામ યાત્રા દરમિયાન લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. ખરાબ હવામાનને કારણે અનેક વખત યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. અનેક વખત ભક્તો અટવાયા પણ છે. ત્યારે બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે બાબા કેદારનાથના દર્શન કર્યા હતા. સોશિયલ મીડિયા પર અભિનેતાએ ફોટો શેર કર્યો હતો. વીડિયો પણ સામે આવ્યો છે. મંદિરની બહાર નીકળતા જ અભિનેતાએ જય ભોલેનાથનો જયઘોષ કર્યો હતો. જે વીડિયો સામે આવ્યો છે તેમાં અક્ષય કુમારના માથા પર લાલ અને પીળા રંગનો તિલક લગાવ્યો છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી