અખાત્રીજના દિવસે લોકોએ સોનાની ધૂમ ખરીદી કરી, માત્ર અમદાવાદમાં જ અંદાજે 250 કિલો સોનુ વેચાયું


  • Published By :
  • Published Date : 2023-04-22 17:53:57

આજે અક્ષય તૃતીયા એટલે કે, અખાત્રીજના પવિત્ર દિવસ છે. આજના દિવસને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. આજે સમગ્ર દેશમાં વિવિધ ધાર્મિક અને સામાજીક શુભ પ્રસંગો યોજાયા હતા. જો કે હિન્દુ પરંપરા મુજબ આજના દિવસે સોનું ખરીદવું તે શુભ ગણાય છે. આજે અખાત્રીજના દિવસે રાજ્યના તમામ મોટા શહેરોમાં લોકો સોનું ખરીદવા માટે ઉમટ્યા હતા. મોંઘવારી અને મંદીની બુમો પાડતા લોકોએ મનમુકીને સોનાના આભુષણોની ખરીદી કરી હતી. આજે 24 કેરેટ એક તોલા સોનાનો આજનો ભાવ 62,065 રૂપિયા રહ્યો છે.


અમદાવાદમાં 250 કિલો સોનુ વેચાયાનો અંદાજ


રાજ્યના ચાર મોટા શહેર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં આજે સોનાની ધુમ ખરીદી કરી છે. સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 62,200 હોવા છતાં લોકો સોનું ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. એકલા અમદાવાદમાં જ આખા દિવસ દરમિયાન 250 કિલો સોનુ વેચાયું હોવાનું અનુમાન છે. અખાત્રીજના પાવન દિવસે શુકનનું સોનું ખરીદવા માટે રાજ્યના અન્ય નાના શહેરોમાં પણ જ્વેલર્સના શો રૂમમાં લોકોની ભીડ જોવા મળી હતી. ગ્રાહકોને આકર્ષવા માટે જ્વેલર્સે પણ ઘડામણમાં રાહત સહિતની વિવિધ સ્કીમોની જાહેરાત કરી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.