અખાત્રીજના દિવસે લોકોએ સોનાની ધૂમ ખરીદી કરી, માત્ર અમદાવાદમાં જ અંદાજે 250 કિલો સોનુ વેચાયું


  • Published By :
  • Published Date : 2023-04-22 17:53:57

આજે અક્ષય તૃતીયા એટલે કે, અખાત્રીજના પવિત્ર દિવસ છે. આજના દિવસને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. આજે સમગ્ર દેશમાં વિવિધ ધાર્મિક અને સામાજીક શુભ પ્રસંગો યોજાયા હતા. જો કે હિન્દુ પરંપરા મુજબ આજના દિવસે સોનું ખરીદવું તે શુભ ગણાય છે. આજે અખાત્રીજના દિવસે રાજ્યના તમામ મોટા શહેરોમાં લોકો સોનું ખરીદવા માટે ઉમટ્યા હતા. મોંઘવારી અને મંદીની બુમો પાડતા લોકોએ મનમુકીને સોનાના આભુષણોની ખરીદી કરી હતી. આજે 24 કેરેટ એક તોલા સોનાનો આજનો ભાવ 62,065 રૂપિયા રહ્યો છે.


અમદાવાદમાં 250 કિલો સોનુ વેચાયાનો અંદાજ


રાજ્યના ચાર મોટા શહેર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં આજે સોનાની ધુમ ખરીદી કરી છે. સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 62,200 હોવા છતાં લોકો સોનું ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. એકલા અમદાવાદમાં જ આખા દિવસ દરમિયાન 250 કિલો સોનુ વેચાયું હોવાનું અનુમાન છે. અખાત્રીજના પાવન દિવસે શુકનનું સોનું ખરીદવા માટે રાજ્યના અન્ય નાના શહેરોમાં પણ જ્વેલર્સના શો રૂમમાં લોકોની ભીડ જોવા મળી હતી. ગ્રાહકોને આકર્ષવા માટે જ્વેલર્સે પણ ઘડામણમાં રાહત સહિતની વિવિધ સ્કીમોની જાહેરાત કરી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.