અખાત્રીજના દિવસે લોકોએ સોનાની ધૂમ ખરીદી કરી, માત્ર અમદાવાદમાં જ અંદાજે 250 કિલો સોનુ વેચાયું


  • Published By :
  • Published Date : 2023-04-22 17:53:57

આજે અક્ષય તૃતીયા એટલે કે, અખાત્રીજના પવિત્ર દિવસ છે. આજના દિવસને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. આજે સમગ્ર દેશમાં વિવિધ ધાર્મિક અને સામાજીક શુભ પ્રસંગો યોજાયા હતા. જો કે હિન્દુ પરંપરા મુજબ આજના દિવસે સોનું ખરીદવું તે શુભ ગણાય છે. આજે અખાત્રીજના દિવસે રાજ્યના તમામ મોટા શહેરોમાં લોકો સોનું ખરીદવા માટે ઉમટ્યા હતા. મોંઘવારી અને મંદીની બુમો પાડતા લોકોએ મનમુકીને સોનાના આભુષણોની ખરીદી કરી હતી. આજે 24 કેરેટ એક તોલા સોનાનો આજનો ભાવ 62,065 રૂપિયા રહ્યો છે.


અમદાવાદમાં 250 કિલો સોનુ વેચાયાનો અંદાજ


રાજ્યના ચાર મોટા શહેર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં આજે સોનાની ધુમ ખરીદી કરી છે. સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 62,200 હોવા છતાં લોકો સોનું ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. એકલા અમદાવાદમાં જ આખા દિવસ દરમિયાન 250 કિલો સોનુ વેચાયું હોવાનું અનુમાન છે. અખાત્રીજના પાવન દિવસે શુકનનું સોનું ખરીદવા માટે રાજ્યના અન્ય નાના શહેરોમાં પણ જ્વેલર્સના શો રૂમમાં લોકોની ભીડ જોવા મળી હતી. ગ્રાહકોને આકર્ષવા માટે જ્વેલર્સે પણ ઘડામણમાં રાહત સહિતની વિવિધ સ્કીમોની જાહેરાત કરી હતી.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.