Gujaratમાં સાચે છે દારૂબંધી? Mahisagar પોલીસે એસટી બસમાંથી ઝડપી પાડ્યો દારૂનો જથ્થો, જો પોલીસ ધારે તો....


  • Published By :
  • Published Date : 2023-10-07 13:38:37

ગુજરાતમાં દારૂબંધી છે તેવું જ્યારે તમે સાંભળતા હશો કે વાચંતા હશો ત્યારે તમને હસવું આવતું હશેને અને મનમાં કહેતા હશો કે આને દારૂબંધી વાળું રાજ્ય થોડી કહેવાય? એવું પણ વિચારતા હશો કે દારૂબંધી હોવા છતાંય લોકો નશાની હાલતમાં દેખાય છે, અવાર-નવાર મોટા જથ્થામાં દારૂ ઝડપાય છે વગેરે વગેરે.... ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે તે વાત અનેક વખત અમે કહેતા હોઈએ છીએ અને આજે ફરી એક વખત કહી રહ્યા છીએ. કારણ કે મહીસાગરથી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે એસટી બસમાં છૂપી રીકે દારૂ લઈ જવામાં આવી રહ્યો હતો જેને પોલીસે પકડી પાડ્યો છે.


મહીસાગરથી પકડાયો વિદેશી દારૂનો જથ્થો 

નશીલા પદાર્થની હેરફેર માટે અલગ અલગ રસ્તાઓ અપનાવામાં આવતા હોય છે. ગાંધીના ગુજરાતમાંથી ડ્રગ્સ પણ મોટી સંખ્યમાં મળી આવે છે, દારૂનો જથ્થો તો અવાર-નવાર મળતો હોવાની ઘટના સામે આવે છે. જથ્થો પકડાયા બાદ આપણી સામે જે આંકડો આવે છે તે સાંભળીને આપણે ચોંકી જતા હોઈએ છીએ પરંતુ આ તો એ આંકડો છે જે જાહેર કરવામાં આવે છે. એવા તો અનેક જથ્થા હશે જેની નોંધ, જેનો આંકડો આપણી સામે નહીં આવતો હોય. અનેક વખત નશીલા પદાર્થની હેરાફેરીમાં લોકો સફળ થઈ જતા હોય છે. આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે મહીસાગરથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે. એસ.ટી બસમાં છૂપી રીતે લઈ જવાતો દારુ ઝડપાયો છે. પોલીસે પુનાવાડાથી ઓલપાડ જતી બસમાંથી વિદેશી દારૂ ઝડપી પાડયો છે. 


બાતમીને આધારે પોલીસે બસમાં કર્યું ચેકિંગ 

બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. ખાનપુર પોલીસે લીમડીયા ચોકાડી પાસેથી પસાર થઈ રહેલી બસમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. વોચ ગોઠવી બસને ઊભી રાખવામાં આવી અને બસની અંદર તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન કપડાંની ત્રણ બેગમાંથી વિદેશી દારૂ પકડાયો હતો. વિદેશી દારૂની સાથે બે વ્યક્તિને પણ પોલીસે પકડી પાડ્યા છે. વિદેશી દારૂના કુલ 150 નંગ 25500 રૂપિયા અને મોબાઈલ 2 નંગ 5500 મળી કુલ 31000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે.  



પોલીસ માટે કંઈ પણ અસંભવ નથી!

મહત્વનું છે કે દારૂની હેરાફેરીમાં પોલીસની પણ રહેમનજર હોય છે તેવી વાતો અનેક વખત લોકો દ્વારા કરવામાં આવતી હોય છે. પોલીસની દયા વગર નશીલા પદાર્થની હેરાફેરી કરવી મૂશ્કેલ છે તેવી વાતો પણ લોકમુખે ચર્ચાતી હોય છે જ્યારે આવી ઘટના બને છે. પોલીસ જો ધારે તો કોઈની તાકાત નથી કે આવી વસ્તુઓની હેરાફેરી થઈ શકે. પોલીસ ધારે તો કંઈ પણ કરવા સક્ષમ હોય છે પરંતુ જો ઈચ્છાશક્તિ હોય તો....   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.