Gujaratમાં સાચે છે દારૂબંધી? Mahisagar પોલીસે એસટી બસમાંથી ઝડપી પાડ્યો દારૂનો જથ્થો, જો પોલીસ ધારે તો....


  • Published By :
  • Published Date : 2023-10-07 13:38:37

ગુજરાતમાં દારૂબંધી છે તેવું જ્યારે તમે સાંભળતા હશો કે વાચંતા હશો ત્યારે તમને હસવું આવતું હશેને અને મનમાં કહેતા હશો કે આને દારૂબંધી વાળું રાજ્ય થોડી કહેવાય? એવું પણ વિચારતા હશો કે દારૂબંધી હોવા છતાંય લોકો નશાની હાલતમાં દેખાય છે, અવાર-નવાર મોટા જથ્થામાં દારૂ ઝડપાય છે વગેરે વગેરે.... ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે તે વાત અનેક વખત અમે કહેતા હોઈએ છીએ અને આજે ફરી એક વખત કહી રહ્યા છીએ. કારણ કે મહીસાગરથી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે એસટી બસમાં છૂપી રીકે દારૂ લઈ જવામાં આવી રહ્યો હતો જેને પોલીસે પકડી પાડ્યો છે.


મહીસાગરથી પકડાયો વિદેશી દારૂનો જથ્થો 

નશીલા પદાર્થની હેરફેર માટે અલગ અલગ રસ્તાઓ અપનાવામાં આવતા હોય છે. ગાંધીના ગુજરાતમાંથી ડ્રગ્સ પણ મોટી સંખ્યમાં મળી આવે છે, દારૂનો જથ્થો તો અવાર-નવાર મળતો હોવાની ઘટના સામે આવે છે. જથ્થો પકડાયા બાદ આપણી સામે જે આંકડો આવે છે તે સાંભળીને આપણે ચોંકી જતા હોઈએ છીએ પરંતુ આ તો એ આંકડો છે જે જાહેર કરવામાં આવે છે. એવા તો અનેક જથ્થા હશે જેની નોંધ, જેનો આંકડો આપણી સામે નહીં આવતો હોય. અનેક વખત નશીલા પદાર્થની હેરાફેરીમાં લોકો સફળ થઈ જતા હોય છે. આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે મહીસાગરથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે. એસ.ટી બસમાં છૂપી રીતે લઈ જવાતો દારુ ઝડપાયો છે. પોલીસે પુનાવાડાથી ઓલપાડ જતી બસમાંથી વિદેશી દારૂ ઝડપી પાડયો છે. 


બાતમીને આધારે પોલીસે બસમાં કર્યું ચેકિંગ 

બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. ખાનપુર પોલીસે લીમડીયા ચોકાડી પાસેથી પસાર થઈ રહેલી બસમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. વોચ ગોઠવી બસને ઊભી રાખવામાં આવી અને બસની અંદર તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન કપડાંની ત્રણ બેગમાંથી વિદેશી દારૂ પકડાયો હતો. વિદેશી દારૂની સાથે બે વ્યક્તિને પણ પોલીસે પકડી પાડ્યા છે. વિદેશી દારૂના કુલ 150 નંગ 25500 રૂપિયા અને મોબાઈલ 2 નંગ 5500 મળી કુલ 31000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે.  



પોલીસ માટે કંઈ પણ અસંભવ નથી!

મહત્વનું છે કે દારૂની હેરાફેરીમાં પોલીસની પણ રહેમનજર હોય છે તેવી વાતો અનેક વખત લોકો દ્વારા કરવામાં આવતી હોય છે. પોલીસની દયા વગર નશીલા પદાર્થની હેરાફેરી કરવી મૂશ્કેલ છે તેવી વાતો પણ લોકમુખે ચર્ચાતી હોય છે જ્યારે આવી ઘટના બને છે. પોલીસ જો ધારે તો કોઈની તાકાત નથી કે આવી વસ્તુઓની હેરાફેરી થઈ શકે. પોલીસ ધારે તો કંઈ પણ કરવા સક્ષમ હોય છે પરંતુ જો ઈચ્છાશક્તિ હોય તો....   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.