Gujaratમાં સાચે છે દારૂબંધી? Mahisagar પોલીસે એસટી બસમાંથી ઝડપી પાડ્યો દારૂનો જથ્થો, જો પોલીસ ધારે તો....


  • Published By :
  • Published Date : 2023-10-07 13:38:37

ગુજરાતમાં દારૂબંધી છે તેવું જ્યારે તમે સાંભળતા હશો કે વાચંતા હશો ત્યારે તમને હસવું આવતું હશેને અને મનમાં કહેતા હશો કે આને દારૂબંધી વાળું રાજ્ય થોડી કહેવાય? એવું પણ વિચારતા હશો કે દારૂબંધી હોવા છતાંય લોકો નશાની હાલતમાં દેખાય છે, અવાર-નવાર મોટા જથ્થામાં દારૂ ઝડપાય છે વગેરે વગેરે.... ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે તે વાત અનેક વખત અમે કહેતા હોઈએ છીએ અને આજે ફરી એક વખત કહી રહ્યા છીએ. કારણ કે મહીસાગરથી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે એસટી બસમાં છૂપી રીકે દારૂ લઈ જવામાં આવી રહ્યો હતો જેને પોલીસે પકડી પાડ્યો છે.


મહીસાગરથી પકડાયો વિદેશી દારૂનો જથ્થો 

નશીલા પદાર્થની હેરફેર માટે અલગ અલગ રસ્તાઓ અપનાવામાં આવતા હોય છે. ગાંધીના ગુજરાતમાંથી ડ્રગ્સ પણ મોટી સંખ્યમાં મળી આવે છે, દારૂનો જથ્થો તો અવાર-નવાર મળતો હોવાની ઘટના સામે આવે છે. જથ્થો પકડાયા બાદ આપણી સામે જે આંકડો આવે છે તે સાંભળીને આપણે ચોંકી જતા હોઈએ છીએ પરંતુ આ તો એ આંકડો છે જે જાહેર કરવામાં આવે છે. એવા તો અનેક જથ્થા હશે જેની નોંધ, જેનો આંકડો આપણી સામે નહીં આવતો હોય. અનેક વખત નશીલા પદાર્થની હેરાફેરીમાં લોકો સફળ થઈ જતા હોય છે. આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે મહીસાગરથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે. એસ.ટી બસમાં છૂપી રીતે લઈ જવાતો દારુ ઝડપાયો છે. પોલીસે પુનાવાડાથી ઓલપાડ જતી બસમાંથી વિદેશી દારૂ ઝડપી પાડયો છે. 


બાતમીને આધારે પોલીસે બસમાં કર્યું ચેકિંગ 

બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. ખાનપુર પોલીસે લીમડીયા ચોકાડી પાસેથી પસાર થઈ રહેલી બસમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. વોચ ગોઠવી બસને ઊભી રાખવામાં આવી અને બસની અંદર તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન કપડાંની ત્રણ બેગમાંથી વિદેશી દારૂ પકડાયો હતો. વિદેશી દારૂની સાથે બે વ્યક્તિને પણ પોલીસે પકડી પાડ્યા છે. વિદેશી દારૂના કુલ 150 નંગ 25500 રૂપિયા અને મોબાઈલ 2 નંગ 5500 મળી કુલ 31000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે.  



પોલીસ માટે કંઈ પણ અસંભવ નથી!

મહત્વનું છે કે દારૂની હેરાફેરીમાં પોલીસની પણ રહેમનજર હોય છે તેવી વાતો અનેક વખત લોકો દ્વારા કરવામાં આવતી હોય છે. પોલીસની દયા વગર નશીલા પદાર્થની હેરાફેરી કરવી મૂશ્કેલ છે તેવી વાતો પણ લોકમુખે ચર્ચાતી હોય છે જ્યારે આવી ઘટના બને છે. પોલીસ જો ધારે તો કોઈની તાકાત નથી કે આવી વસ્તુઓની હેરાફેરી થઈ શકે. પોલીસ ધારે તો કંઈ પણ કરવા સક્ષમ હોય છે પરંતુ જો ઈચ્છાશક્તિ હોય તો....   



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.