એક જ દિવસે રિલીઝ થશે આલિયા અને રણવીરની ફિલ્મ, જાણો આલિયાની કઈ ફિલ્મ થઈ રહી છે રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-01-19 13:53:50

આલિયા ભટ્ટ અને રણવીર કપૂર ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. આલિયા ભટ્ટ અને રણવીરની પુત્રી રાહાના  જન્મ બાદ આ પ્રથમ ફિલ્મ એક જ દિવસે રિલીઝ થવાની છે. આલિયાની હોલિવુડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનની રિલીઝ ડેટ બહાર પાડવામાં આવી છે. 11 ઓગસ્ટ 2023ના રોજ આ ફિલ્મ આવવાની છે. ત્યારે આ જ દિવસે રણવીરની ફિલ્મ એનિમલ પણ રિલીઝ થવાની છે. 


11 ઓગસ્ટે ફિલ્મ થશે રિલીઝ  

થોડા મહિના પહેલા આલિયા ભટ્ટે અને રણવીર કપૂરને ત્યાં દિકરીનો જન્મ થયો હતો. હાલ સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આલિયા ભટ્ટ બીજી વખત માં બનવાની છે. આ બધા વચ્ચે 11 ઓગસ્ટના રોજ રાહાના મમ્મી પપ્પા વચ્ચે મોટા પડદા પર કાંટાની ટક્કર થવાની છે. બંનેની મૂવી એક જ દિવસે રિલીઝ થવાની છે. 


રણવીરની ફિલ્મ પણ થઈ રહી છે રિલીઝ 

આલિયા ભટ્ટની પ્રથમ હોલિવુડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોન રિલીઝ થવા જઈ રહી છે. ગયા વર્ષે આલિયા ભટ્ટે ફિલ્મનું શૂટિંગ કર્યું હતું.  નેટફ્લિક્સ પર આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. આ જ દિવસે રણબીર કપૂરની ફિલ્મ એનિમલ પણ રિલીઝ થવાની છે. આ ફિલ્મ સંદીપ રેડ્ડી વાંગા દ્વારા બનાવામાં આવી છે. તેમના ચાહકો મોટા પડદા પર તેમની જોડીને જોવા ઉતાવળા થઈ રહ્યા છે. ત્યારે બંનેની ફિલ્મ આવી રહી છે પરંતુ તેમની ફિલ્મો સામ-સામ આવશે.        



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .