એક જ દિવસે રિલીઝ થશે આલિયા અને રણવીરની ફિલ્મ, જાણો આલિયાની કઈ ફિલ્મ થઈ રહી છે રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-01-19 13:53:50

આલિયા ભટ્ટ અને રણવીર કપૂર ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. આલિયા ભટ્ટ અને રણવીરની પુત્રી રાહાના  જન્મ બાદ આ પ્રથમ ફિલ્મ એક જ દિવસે રિલીઝ થવાની છે. આલિયાની હોલિવુડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનની રિલીઝ ડેટ બહાર પાડવામાં આવી છે. 11 ઓગસ્ટ 2023ના રોજ આ ફિલ્મ આવવાની છે. ત્યારે આ જ દિવસે રણવીરની ફિલ્મ એનિમલ પણ રિલીઝ થવાની છે. 


11 ઓગસ્ટે ફિલ્મ થશે રિલીઝ  

થોડા મહિના પહેલા આલિયા ભટ્ટે અને રણવીર કપૂરને ત્યાં દિકરીનો જન્મ થયો હતો. હાલ સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આલિયા ભટ્ટ બીજી વખત માં બનવાની છે. આ બધા વચ્ચે 11 ઓગસ્ટના રોજ રાહાના મમ્મી પપ્પા વચ્ચે મોટા પડદા પર કાંટાની ટક્કર થવાની છે. બંનેની મૂવી એક જ દિવસે રિલીઝ થવાની છે. 


રણવીરની ફિલ્મ પણ થઈ રહી છે રિલીઝ 

આલિયા ભટ્ટની પ્રથમ હોલિવુડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોન રિલીઝ થવા જઈ રહી છે. ગયા વર્ષે આલિયા ભટ્ટે ફિલ્મનું શૂટિંગ કર્યું હતું.  નેટફ્લિક્સ પર આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. આ જ દિવસે રણબીર કપૂરની ફિલ્મ એનિમલ પણ રિલીઝ થવાની છે. આ ફિલ્મ સંદીપ રેડ્ડી વાંગા દ્વારા બનાવામાં આવી છે. તેમના ચાહકો મોટા પડદા પર તેમની જોડીને જોવા ઉતાવળા થઈ રહ્યા છે. ત્યારે બંનેની ફિલ્મ આવી રહી છે પરંતુ તેમની ફિલ્મો સામ-સામ આવશે.        



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી