એક જ દિવસે રિલીઝ થશે આલિયા અને રણવીરની ફિલ્મ, જાણો આલિયાની કઈ ફિલ્મ થઈ રહી છે રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-01-19 13:53:50

આલિયા ભટ્ટ અને રણવીર કપૂર ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. આલિયા ભટ્ટ અને રણવીરની પુત્રી રાહાના  જન્મ બાદ આ પ્રથમ ફિલ્મ એક જ દિવસે રિલીઝ થવાની છે. આલિયાની હોલિવુડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનની રિલીઝ ડેટ બહાર પાડવામાં આવી છે. 11 ઓગસ્ટ 2023ના રોજ આ ફિલ્મ આવવાની છે. ત્યારે આ જ દિવસે રણવીરની ફિલ્મ એનિમલ પણ રિલીઝ થવાની છે. 


11 ઓગસ્ટે ફિલ્મ થશે રિલીઝ  

થોડા મહિના પહેલા આલિયા ભટ્ટે અને રણવીર કપૂરને ત્યાં દિકરીનો જન્મ થયો હતો. હાલ સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આલિયા ભટ્ટ બીજી વખત માં બનવાની છે. આ બધા વચ્ચે 11 ઓગસ્ટના રોજ રાહાના મમ્મી પપ્પા વચ્ચે મોટા પડદા પર કાંટાની ટક્કર થવાની છે. બંનેની મૂવી એક જ દિવસે રિલીઝ થવાની છે. 


રણવીરની ફિલ્મ પણ થઈ રહી છે રિલીઝ 

આલિયા ભટ્ટની પ્રથમ હોલિવુડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોન રિલીઝ થવા જઈ રહી છે. ગયા વર્ષે આલિયા ભટ્ટે ફિલ્મનું શૂટિંગ કર્યું હતું.  નેટફ્લિક્સ પર આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. આ જ દિવસે રણબીર કપૂરની ફિલ્મ એનિમલ પણ રિલીઝ થવાની છે. આ ફિલ્મ સંદીપ રેડ્ડી વાંગા દ્વારા બનાવામાં આવી છે. તેમના ચાહકો મોટા પડદા પર તેમની જોડીને જોવા ઉતાવળા થઈ રહ્યા છે. ત્યારે બંનેની ફિલ્મ આવી રહી છે પરંતુ તેમની ફિલ્મો સામ-સામ આવશે.        



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.