આલિયા ભટ્ટના બેબી શાવરના ફોટો થયા ઇન્ટરનેટ પર વાઇરલ !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 21:07:44

બોલિવૂડ કપલ અલિયા ભટ્ટ અને રણબીર કપૂર માતા પિતા બનવાના છે. હાલમાં જ અલિયા ભટ્ટનું સીમંત યોજવામાં આવ્યું હતું . દશેરાના દિવસે અલિયાનું બેબી શાવરનું ફંક્શન યોજવામાં આવ્યું હતું. અને હાલ ઇન્ટરનેટ પર બેબી શાવરની તસવીરો વાઇરલ થઈ રહી છે.

 

આલિયાએ સીમંતમાં યલો ડ્રેસ પહેર્યો હતો. ડ્રેસમાં તે ઘણી સુંદર લાગતી હતી. તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો જોવા મળતો હતો. રણબીર કપૂર પિંક-વ્હાઇટ કુર્તા પાયજામામાં હતો.

 

કોન રહ્યું હાજર ?

સીમંતમાં અલિયાના માતા સોની રાઝદાન, બહેન શાહીન, સાસુ નીતુ કપૂર, નણંદ રિદ્ધિમા ઉપરાંત કરન જોહર, કરિશ્મા કપૂર, નતાશા નંદા, નીલા દેવી કપૂર સહિતના સેલેબ્સ આવ્યા હતા. આલિયાની ફ્રેન્ડ આકાંક્ષા રંજન પણ આવી હતી.


 

બેબી શાવર રણબીર અને અલિયાના બાંદ્રા સ્થિત ઘરમાં જ યોજવામાં આવ્યું હતું 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી