પરણિત અને અપરણિત મહિલાનો ગર્ભપાત પર પક્ષપાત કરવો ગેરબંધારણીયઃ સુપ્રીમ કોર્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 11:52:44

સુપ્રીમ કોર્ટે ગર્ભપાત મામલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે ગર્ભપાત મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે વિવાહિત અને અવિવાહિત મહિલાઓ વચ્ચે ગર્ભપાત મામલે ભેદભાવ ના કરી શકાય. અવિવાહિત મહિલાઓને પણ 20થી 24 અઠવાડિયાના ગર્ભનો ગર્ભપાત કરવાનો અધિકાર છે. 


કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું હતું કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી રુલ્સ મુજબ અવિવાહિત મહિલાઓને લીવ-ઈન રિલેશનશીપથી બહાર કરવી ગેરબંધારણીય છે. 


સુપ્રીમ કોર્ટે શું કહ્યું? 

તમામ મહિલાઓ સુરક્ષિત અને કાયદાકીય ગર્ભપાતની હકદાર છે. કોર્ટે જણાવ્યું હતું કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી એક્ટમાં 2021ના સંશોધનમાં વિવાહીત અને અવિવાહિત મહિલાઓ વચ્ચે તફાવત નથી રાખતી. તેના નિયમ 3 બી મુજબ જે મહિલાઓની ગર્ભપાત કરવાની ઈચ્છા થાય છે તેઓ 20-24 અઠવાડિયાના ગર્ભનો ગર્ભપાત કરાવી શકે છે. 



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.