પરણિત અને અપરણિત મહિલાનો ગર્ભપાત પર પક્ષપાત કરવો ગેરબંધારણીયઃ સુપ્રીમ કોર્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 11:52:44

સુપ્રીમ કોર્ટે ગર્ભપાત મામલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે ગર્ભપાત મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે વિવાહિત અને અવિવાહિત મહિલાઓ વચ્ચે ગર્ભપાત મામલે ભેદભાવ ના કરી શકાય. અવિવાહિત મહિલાઓને પણ 20થી 24 અઠવાડિયાના ગર્ભનો ગર્ભપાત કરવાનો અધિકાર છે. 


કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું હતું કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી રુલ્સ મુજબ અવિવાહિત મહિલાઓને લીવ-ઈન રિલેશનશીપથી બહાર કરવી ગેરબંધારણીય છે. 


સુપ્રીમ કોર્ટે શું કહ્યું? 

તમામ મહિલાઓ સુરક્ષિત અને કાયદાકીય ગર્ભપાતની હકદાર છે. કોર્ટે જણાવ્યું હતું કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી એક્ટમાં 2021ના સંશોધનમાં વિવાહીત અને અવિવાહિત મહિલાઓ વચ્ચે તફાવત નથી રાખતી. તેના નિયમ 3 બી મુજબ જે મહિલાઓની ગર્ભપાત કરવાની ઈચ્છા થાય છે તેઓ 20-24 અઠવાડિયાના ગર્ભનો ગર્ભપાત કરાવી શકે છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .