પરણિત અને અપરણિત મહિલાનો ગર્ભપાત પર પક્ષપાત કરવો ગેરબંધારણીયઃ સુપ્રીમ કોર્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 11:52:44

સુપ્રીમ કોર્ટે ગર્ભપાત મામલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે ગર્ભપાત મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે વિવાહિત અને અવિવાહિત મહિલાઓ વચ્ચે ગર્ભપાત મામલે ભેદભાવ ના કરી શકાય. અવિવાહિત મહિલાઓને પણ 20થી 24 અઠવાડિયાના ગર્ભનો ગર્ભપાત કરવાનો અધિકાર છે. 


કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું હતું કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી રુલ્સ મુજબ અવિવાહિત મહિલાઓને લીવ-ઈન રિલેશનશીપથી બહાર કરવી ગેરબંધારણીય છે. 


સુપ્રીમ કોર્ટે શું કહ્યું? 

તમામ મહિલાઓ સુરક્ષિત અને કાયદાકીય ગર્ભપાતની હકદાર છે. કોર્ટે જણાવ્યું હતું કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી એક્ટમાં 2021ના સંશોધનમાં વિવાહીત અને અવિવાહિત મહિલાઓ વચ્ચે તફાવત નથી રાખતી. તેના નિયમ 3 બી મુજબ જે મહિલાઓની ગર્ભપાત કરવાની ઈચ્છા થાય છે તેઓ 20-24 અઠવાડિયાના ગર્ભનો ગર્ભપાત કરાવી શકે છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.