અલ્હાબાદ હાઈકોર્ટે નગરપાલિકા ચૂંટણીમાં અનામત રદ્દ કરી


  • Published By :
  • Published Date : 2022-12-27 17:28:42

ઉત્તરપ્રદેશમાં યોજાનારી નગરપાલિકા ચૂંટણી પહેલા અલ્હાબાદ હાઈકોર્ટે સરકારને ઝટકો આપ્યો છે. ઓબીસી આરક્ષણને રદ્દ કરતા ચૂંટણી તરત યોજવા આદેશ આપ્યો છે. કોર્ટે સરકાર દ્વારા કરવામાં આવેલી દલીલોને ખારીજ કરી હતી. અને આદેશ કર્યો છે કે ઓબીસી અનામત વગર ચૂંટણી યોજવામાં આવે.

 


સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી બતાવી યોગી આદિત્યનાથે 

અલ્હાબાદ હાઈકોર્ટે સરકારની દલીલને ન માની ફેસલો આપ્યો હતો કે ઓબીસી આરક્ષણ વગર આ વખતની ચૂંટણી થવાની છે. જજ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને સૌરભ લવાનિયાની બેચે આ આદેશ આપ્યો છે. આ નિર્ણયને લઈ ઉત્તરપ્રદેશ સરકાર સુપ્રિમ કોર્ટમાં જઈ શકે છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે રાજ્ય સરકાર હાઈકોર્ટના નિર્ણય પર વિચાર કરવામાં આવશે. 



અખિલેશ યાદવ, માયાવતીએ આપી પ્રતિક્રિયા 

હાઈકોર્ટના નિર્ણય બાદ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વિટ કર્યું હતું. અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે આજે આરક્ષણ વિરોધી બીજેપી ચૂંટણીમાં ઓબીસી આરક્ષણના વિષયને લઈ સહાનુભૂતિ દેખાડી રહી છે. ઉપરાંત માયાવતીએ પણ આ વાતને લઈ પોતાની પ્રતિક્રિયા આપી છે.  




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.