અલ્હાબાદ હાઈકોર્ટે નગરપાલિકા ચૂંટણીમાં અનામત રદ્દ કરી


  • Published By :
  • Published Date : 2022-12-27 17:28:42

ઉત્તરપ્રદેશમાં યોજાનારી નગરપાલિકા ચૂંટણી પહેલા અલ્હાબાદ હાઈકોર્ટે સરકારને ઝટકો આપ્યો છે. ઓબીસી આરક્ષણને રદ્દ કરતા ચૂંટણી તરત યોજવા આદેશ આપ્યો છે. કોર્ટે સરકાર દ્વારા કરવામાં આવેલી દલીલોને ખારીજ કરી હતી. અને આદેશ કર્યો છે કે ઓબીસી અનામત વગર ચૂંટણી યોજવામાં આવે.

 


સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી બતાવી યોગી આદિત્યનાથે 

અલ્હાબાદ હાઈકોર્ટે સરકારની દલીલને ન માની ફેસલો આપ્યો હતો કે ઓબીસી આરક્ષણ વગર આ વખતની ચૂંટણી થવાની છે. જજ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને સૌરભ લવાનિયાની બેચે આ આદેશ આપ્યો છે. આ નિર્ણયને લઈ ઉત્તરપ્રદેશ સરકાર સુપ્રિમ કોર્ટમાં જઈ શકે છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે રાજ્ય સરકાર હાઈકોર્ટના નિર્ણય પર વિચાર કરવામાં આવશે. 



અખિલેશ યાદવ, માયાવતીએ આપી પ્રતિક્રિયા 

હાઈકોર્ટના નિર્ણય બાદ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વિટ કર્યું હતું. અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે આજે આરક્ષણ વિરોધી બીજેપી ચૂંટણીમાં ઓબીસી આરક્ષણના વિષયને લઈ સહાનુભૂતિ દેખાડી રહી છે. ઉપરાંત માયાવતીએ પણ આ વાતને લઈ પોતાની પ્રતિક્રિયા આપી છે.  




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.