અલ્હાબાદ હાઈકોર્ટે નગરપાલિકા ચૂંટણીમાં અનામત રદ્દ કરી


  • Published By :
  • Published Date : 2022-12-27 17:28:42

ઉત્તરપ્રદેશમાં યોજાનારી નગરપાલિકા ચૂંટણી પહેલા અલ્હાબાદ હાઈકોર્ટે સરકારને ઝટકો આપ્યો છે. ઓબીસી આરક્ષણને રદ્દ કરતા ચૂંટણી તરત યોજવા આદેશ આપ્યો છે. કોર્ટે સરકાર દ્વારા કરવામાં આવેલી દલીલોને ખારીજ કરી હતી. અને આદેશ કર્યો છે કે ઓબીસી અનામત વગર ચૂંટણી યોજવામાં આવે.

 


સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી બતાવી યોગી આદિત્યનાથે 

અલ્હાબાદ હાઈકોર્ટે સરકારની દલીલને ન માની ફેસલો આપ્યો હતો કે ઓબીસી આરક્ષણ વગર આ વખતની ચૂંટણી થવાની છે. જજ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને સૌરભ લવાનિયાની બેચે આ આદેશ આપ્યો છે. આ નિર્ણયને લઈ ઉત્તરપ્રદેશ સરકાર સુપ્રિમ કોર્ટમાં જઈ શકે છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે રાજ્ય સરકાર હાઈકોર્ટના નિર્ણય પર વિચાર કરવામાં આવશે. 



અખિલેશ યાદવ, માયાવતીએ આપી પ્રતિક્રિયા 

હાઈકોર્ટના નિર્ણય બાદ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વિટ કર્યું હતું. અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે આજે આરક્ષણ વિરોધી બીજેપી ચૂંટણીમાં ઓબીસી આરક્ષણના વિષયને લઈ સહાનુભૂતિ દેખાડી રહી છે. ઉપરાંત માયાવતીએ પણ આ વાતને લઈ પોતાની પ્રતિક્રિયા આપી છે.  




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે