આપણે સૌ કેટલા સંવેદનશીલ છીએ ?


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-31 14:12:06

દેશમાં આજે જે રીતે બળાત્કારની ઘટનાઓ બની રહી છે તે  એક ગંભીર ચિંતાનો વિષય છે. હજારો કેસ આજે દેશની વિવિધ અદાલતોમાં પડેલા છે.

ઉતરપ્રદેશની ૧૧ વર્ષીય છોકરી સાથે થયેલા અમાનવીય કૃત્ય સામે અલ્લ્હાબાદ હાઇકોર્ટ તરફથી આવેલા એક વિવાદાસ્પદ ચુકાદાએ લોકોને વિચારતા કરી દીધા.પીડિતાના ગુપ્તભાગને પકડવો અને તેના પાયજામાંની દોરી છોડવાને બળાત્કાર કે બળાત્કારનો પ્રયાસ ગણી શકાય નહિ આ ચુકાદા બાદ “વી ધ વુમન ઓફ ઇન્ડિયા” દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી  આ અરજીની સાથે સુપ્રીમ કોર્ટે પોતે સુઓમોટો અરજી દાખલ કરી હતી. અલ્લ્હાબાદ હાઇકોર્ટ તરફથી આવેલા આ ચુકાદા બાદ આખા દેશમાં વિરોધના સુર ઉઠ્યા. દેશના સામાન્ય લોકો થી લઈને ન્યાયતંત્ર સાથે સંકળાયેલા પ્રતિષ્ઠિત પદ સાંભળનાર સૌએ એક સૂરમાં આ ચુકાદાને વખોડી કાઢ્યો હતો.        

જસ્ટિસ બી.આર.ગવઈ અને એન.જી.મસીહની બેન્ચે આ ચુકાદાને અમાનવીય અને અસંવેદનશીલ ગણાવ્યો હતો. જસ્ટિસ બી.આર.ગવઈએ એમના નિવેદનમાં જણાવ્યું કે આ એક સગીર પર બળાત્કારનો કેસ હતો તે એક ગંભીર બાબત છે. અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા અપાયેલા ચુકાદા અંગે સખ્ત શબ્દોમાં એમણે વિરોધ નોધાવ્યો હતો. આ અવલોકન બદલ  એમને દુઃખ પણ વ્યક્ત કર્યું હતું.   

આ કોઈ એક ઘટના નથી જયાં આ રીતે દોષીઓની તરફેણમાં ચુકાદો આવ્યો હોય પરંતુ કેટલાક એવા પણ કિસ્સા છે જે દોષીઓને માટે સબક સમાન બન્યા છે.

અહી આપણે કાયદા અંગે કોઈ ટીપ્પણી નથી કરતાં પરંતુ એક માનવી ને બીજા માનવી માટેની સંવેદનશીલતા અંગે પ્રશ્ન છે!અહી આપણે કાયદા અંગે કોઈ ટીપ્પણી નથી કરતાં પરંતુ એક માનવી ને બીજા માનવી માટેની સંવેદનશીલતા અંગે પ્રશ્ન છે! શું આપણે સંવેદનશીલ છીએ? આપણી આસપાસ થતા અન્યાયને સામે આપણે શું કરીએ છીએ? જો કોઈને મદદની જરૂર હોય તો હાથ લંબાવીએ છીએ કે પછી કેમરો ઓન કરી ફક્ત શૂટ કરીને જવાબદારી પૂરી કરીએ છીએ? આવા કેટલાય જવાબ આપણે જાતને અને સમાજે પોતાને આપવાના છે.   






અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.