આપણે સૌ કેટલા સંવેદનશીલ છીએ ?


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-31 14:12:06

દેશમાં આજે જે રીતે બળાત્કારની ઘટનાઓ બની રહી છે તે  એક ગંભીર ચિંતાનો વિષય છે. હજારો કેસ આજે દેશની વિવિધ અદાલતોમાં પડેલા છે.

ઉતરપ્રદેશની ૧૧ વર્ષીય છોકરી સાથે થયેલા અમાનવીય કૃત્ય સામે અલ્લ્હાબાદ હાઇકોર્ટ તરફથી આવેલા એક વિવાદાસ્પદ ચુકાદાએ લોકોને વિચારતા કરી દીધા.પીડિતાના ગુપ્તભાગને પકડવો અને તેના પાયજામાંની દોરી છોડવાને બળાત્કાર કે બળાત્કારનો પ્રયાસ ગણી શકાય નહિ આ ચુકાદા બાદ “વી ધ વુમન ઓફ ઇન્ડિયા” દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી  આ અરજીની સાથે સુપ્રીમ કોર્ટે પોતે સુઓમોટો અરજી દાખલ કરી હતી. અલ્લ્હાબાદ હાઇકોર્ટ તરફથી આવેલા આ ચુકાદા બાદ આખા દેશમાં વિરોધના સુર ઉઠ્યા. દેશના સામાન્ય લોકો થી લઈને ન્યાયતંત્ર સાથે સંકળાયેલા પ્રતિષ્ઠિત પદ સાંભળનાર સૌએ એક સૂરમાં આ ચુકાદાને વખોડી કાઢ્યો હતો.        

જસ્ટિસ બી.આર.ગવઈ અને એન.જી.મસીહની બેન્ચે આ ચુકાદાને અમાનવીય અને અસંવેદનશીલ ગણાવ્યો હતો. જસ્ટિસ બી.આર.ગવઈએ એમના નિવેદનમાં જણાવ્યું કે આ એક સગીર પર બળાત્કારનો કેસ હતો તે એક ગંભીર બાબત છે. અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા અપાયેલા ચુકાદા અંગે સખ્ત શબ્દોમાં એમણે વિરોધ નોધાવ્યો હતો. આ અવલોકન બદલ  એમને દુઃખ પણ વ્યક્ત કર્યું હતું.   

આ કોઈ એક ઘટના નથી જયાં આ રીતે દોષીઓની તરફેણમાં ચુકાદો આવ્યો હોય પરંતુ કેટલાક એવા પણ કિસ્સા છે જે દોષીઓને માટે સબક સમાન બન્યા છે.

અહી આપણે કાયદા અંગે કોઈ ટીપ્પણી નથી કરતાં પરંતુ એક માનવી ને બીજા માનવી માટેની સંવેદનશીલતા અંગે પ્રશ્ન છે!અહી આપણે કાયદા અંગે કોઈ ટીપ્પણી નથી કરતાં પરંતુ એક માનવી ને બીજા માનવી માટેની સંવેદનશીલતા અંગે પ્રશ્ન છે! શું આપણે સંવેદનશીલ છીએ? આપણી આસપાસ થતા અન્યાયને સામે આપણે શું કરીએ છીએ? જો કોઈને મદદની જરૂર હોય તો હાથ લંબાવીએ છીએ કે પછી કેમરો ઓન કરી ફક્ત શૂટ કરીને જવાબદારી પૂરી કરીએ છીએ? આવા કેટલાય જવાબ આપણે જાતને અને સમાજે પોતાને આપવાના છે.   






જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.