દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત રાજ્યભરમા સસ્તા અનાજમાં 720 કરોડનું કૌભાંડ: આપનો આરોપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 16:18:03

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે તાલુકામાં તાજેતરમાં ઝડપાયેલા સસ્તા ભાવના અનાજના કૌભાંડ બાદ અહીંના આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આ અંગે અંગત રીતે છાન-બિન કરી, રાજ્યમાં મોટા પાયે કોભાંડ હોવા અંગેના આક્ષેપો કર્યા છે. તેના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આમ આદમી પાર્ટીના સ્થાનિક આગેવાનો દ્વારા યોજવામાં આવેલી એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ફક્ત ભાણવડ તાલુકામાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં સસ્તા અનાજના રેશનકાર્ડમાં વ્યાપક કૌભાંડો આચારવામાં આવ્યા છે. જેના અનુસંધાને કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે.


આ અંગે અહીંના પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા તેમજ સ્ટાફ દ્વારા જવાબદારો સામે પોલીસ ફરિયાદ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તેના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આ મુદ્દે તેમના દ્વારા સરકારી વેબસાઈટમાંથી લીધેલા આંકડાઓ મુજબ મે મહિનામાં 12,390 રેશનકાર્ડ સાથે 1.18 લાખ લોકોનો, જ્યારે જૂન મહિનામાં માત્ર 2505 રેશનકાર્ડના વધારા સાથે 43,100 લોકોનો ઉમેરો થયો હતો


ભાણવડ તાલુકામાં થયેલી પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહીના પ્રત્યાઘાત રૂપે જુલાઈ મહિનામાં વધેલા 20,140 રેશનકાર્ડ સામે ઉલટી પરિસ્થિતિમાં 5,86,701 લોકોનો નોંધપાત્ર ઘટાડો થયો હતો. અનઅધિકૃત રીતે દાખલ કરવામાં આવેલા નામો રદ કરાયા બાદ કડક કાર્યવાહી ન થતા અને પરિસ્થિતિ કાબુમાં જણાતા ગત ઓગસ્ટ તથા સપ્ટેમ્બર માસમાં અનુક્રમે 1.48 લાખ અને 1.05 લાખ નવા વ્યક્તિઓનો ઉમેરો કરવામાં આવ્યો હોવાની માહિતી જગદીશભાઈ ચેતરીયાએ આપી હતી.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .