કોંગ્રેસ અને આપના ગઠબંધનના ભરતસિંહ સોલંકીના નિવેદન પર આલોક શર્માએ આપ્યો ખુલાસો


  • Published By :
  • Published Date : 2022-11-03 17:38:05

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ વખતે  ચૂંટણીનો જંગ જામવાનો છે. પરિવર્તન સંકલ્પ યાત્રા કરી કોંગ્રેસ પોતાનો પ્રચાર કરી રહી છે. પરિવર્તન સંકલ્પ યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ નિવેદન આપતા કહ્યું કે પ્રજા વિરોધી ભાજપ પાર્ટીને હરાવવા માગતા હોય તેમનું કોંગ્રેસ પાર્ટીમાં સ્વાગત છે. પ્રજાના રક્ષણ માટે ભાજપને હરાવવા માગતી આમ આદમી પાર્ટી પણ જો કોંગ્રેસમાં જોડાય તો તેનું સ્વાગત છે.      


આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થવાની કરી વાત 

ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. 2 તબક્કામાં મતદાન થવાનું છે. દરેક પાર્ટી અલગ અલગ રીતથી પોતાનો પ્રચાર કરી રહી છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો જંગ જામવાનો છે. ગુજરાત ગૌરવ યાત્રા કરી પોતાનો પ્રચાર કરી રહી છે ત્યારે કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રા કરી પોતાનો પ્રચાર કરી રહી છે. પોતાના પ્રચાર દરમિયાન પોતાના સંબોધનમાં નેતાઓ એવી વાત કરી દેતા હોય છે જે ચર્ચાનો વિષય બની જાય છે. પરિવર્તન યાત્રા દરમિયાન તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન કરવાની વાત કરી હતી જે બાદ રાજકારણ ગરમાયું છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે પ્રજાના રક્ષણ માટે ભાજપને હરાવવા માગતી આમ આદમી પાર્ટી પણ જો કોંગ્રેસમાં જોડાય તો તેનું સ્વાગત છે.  

Alok Sharma, Congress, PM Modi, Ahmedabad | पीएम मोदी के भाषणों पर कांग्रेस  के राष्ट्रीय प्रवक्ता शर्मा ने उठाए कई सवाल | Patrika News

ગઠબંધન કરવાનો વિચાર ભરતસિંહનો વ્યક્તિગત - આલોક શર્મા 

ભરતસિંહ સોલંકીના નિવેદન બાદ કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધન પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ કહ્યું કે સરખી વિચારધારા ધરાવતો પક્ષ હોય તો વાંધો નહીં. પરંતુ કોંગ્રેસ આમ આદમી પાર્ટી પાસેથી સમર્થન નહીં લે અને આપશે પણ નહીં. કોંગ્રેસ ગાંધીજીની વિચારધારા સાથે જોડાયેલી છે. નીચલી વિચારધારાને સમર્થન નહીં કરે. આલોક શર્માએ કહ્યું કે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાનો વિચાર ભરતસિંહનો વ્યક્તિગત વિચાર છે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.