પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા પર રિક્ષા ચાલકે જાહેરમાં હુમલો કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 13:39:05



પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયાને આજે સવારે રિક્ષા ચાલકે લાકડીથી માર માર્યા હતા. અલ્પેશ કથીરિયા પોતાના કામથી કાપોદ્રા વિસ્તારથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન રિક્ષા ચાલકે માર માર્યો હતો. 


શા માટે રિક્ષા ચાલકે અલ્પેશને માર્યો?

અલ્પેશ કથીરિયા સગાની ખબર પૂછવા માટે હોસ્પિટલ જઈ રહ્યા હતા તે દરમિયાન એક રિક્ષાવાળો બેફામ રિક્ષા ચલાવી રહ્યો હતો. અલ્પેશ કથીરિયાએ તેને સરખી રિક્ષા ચલાવવા માટે ઠપકો આપ્યો હતો. ગરમ મિજાજ રિક્ષા ચાલકને ખોટું લાગી જતાં તેણે અલ્પેશ કથીરિયાને લાકડાના ફટકા માર્યા હતા. ત્યારબાદ અલ્પેશ કથીરિયાએ કાપોદ્રા પોલીસ મથકમાં રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.  


અલ્પેશ કથીરિયા ઈજાગ્રસ્ત થયા 

રિક્ષા ચાલકે બાઈક પર જઈ રહેલા અલ્પેશ કથીરિયાને લાકડાના ફટકા મારવાથી અલ્પેશને હાથના ભાગમાં ઈજા થઈ હતી. હાથમાં ઈજા થતાં અલ્પેશ કથીરિયાને નજીકની હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે