પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા પર રિક્ષા ચાલકે જાહેરમાં હુમલો કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 13:39:05



પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયાને આજે સવારે રિક્ષા ચાલકે લાકડીથી માર માર્યા હતા. અલ્પેશ કથીરિયા પોતાના કામથી કાપોદ્રા વિસ્તારથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન રિક્ષા ચાલકે માર માર્યો હતો. 


શા માટે રિક્ષા ચાલકે અલ્પેશને માર્યો?

અલ્પેશ કથીરિયા સગાની ખબર પૂછવા માટે હોસ્પિટલ જઈ રહ્યા હતા તે દરમિયાન એક રિક્ષાવાળો બેફામ રિક્ષા ચલાવી રહ્યો હતો. અલ્પેશ કથીરિયાએ તેને સરખી રિક્ષા ચલાવવા માટે ઠપકો આપ્યો હતો. ગરમ મિજાજ રિક્ષા ચાલકને ખોટું લાગી જતાં તેણે અલ્પેશ કથીરિયાને લાકડાના ફટકા માર્યા હતા. ત્યારબાદ અલ્પેશ કથીરિયાએ કાપોદ્રા પોલીસ મથકમાં રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.  


અલ્પેશ કથીરિયા ઈજાગ્રસ્ત થયા 

રિક્ષા ચાલકે બાઈક પર જઈ રહેલા અલ્પેશ કથીરિયાને લાકડાના ફટકા મારવાથી અલ્પેશને હાથના ભાગમાં ઈજા થઈ હતી. હાથમાં ઈજા થતાં અલ્પેશ કથીરિયાને નજીકની હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.