પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા પર રિક્ષા ચાલકે જાહેરમાં હુમલો કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 13:39:05



પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયાને આજે સવારે રિક્ષા ચાલકે લાકડીથી માર માર્યા હતા. અલ્પેશ કથીરિયા પોતાના કામથી કાપોદ્રા વિસ્તારથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન રિક્ષા ચાલકે માર માર્યો હતો. 


શા માટે રિક્ષા ચાલકે અલ્પેશને માર્યો?

અલ્પેશ કથીરિયા સગાની ખબર પૂછવા માટે હોસ્પિટલ જઈ રહ્યા હતા તે દરમિયાન એક રિક્ષાવાળો બેફામ રિક્ષા ચલાવી રહ્યો હતો. અલ્પેશ કથીરિયાએ તેને સરખી રિક્ષા ચલાવવા માટે ઠપકો આપ્યો હતો. ગરમ મિજાજ રિક્ષા ચાલકને ખોટું લાગી જતાં તેણે અલ્પેશ કથીરિયાને લાકડાના ફટકા માર્યા હતા. ત્યારબાદ અલ્પેશ કથીરિયાએ કાપોદ્રા પોલીસ મથકમાં રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.  


અલ્પેશ કથીરિયા ઈજાગ્રસ્ત થયા 

રિક્ષા ચાલકે બાઈક પર જઈ રહેલા અલ્પેશ કથીરિયાને લાકડાના ફટકા મારવાથી અલ્પેશને હાથના ભાગમાં ઈજા થઈ હતી. હાથમાં ઈજા થતાં અલ્પેશ કથીરિયાને નજીકની હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.  



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .