થોડા દિવસો પહેલા AAPમાંથી રાજીનામું આપનાર અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયા આવતી કાલે જોડાઈ શકે છે ભાજપમાં...


  • Published By :
  • Published Date : 2024-04-26 12:36:41

થોડા દિવસ પહેલા આપના બે નેતાઓએ એક સાથે રાજીનામું આપ્યું હતું. એક હતા અલ્પેશ કથીરિયા અને બીજા હતા ધાર્મિક માલવીયા. તે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો ચાલી રહી હતી ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે તેઓ આવતી કાલે ભાજપમાં સામેલ થઈ  શકે છે. સી.આર.પાટીલની હાજરીમાં બંને નેતાઓ કેસરિયો ધારણ કરી શકે છે તેવી માહિતી સામે આવી છે....  


 

અનેક રાજનેતાઓ આપી રહ્યા છે પાર્ટીમાંથી રાજીનામું

જ્યારે કોઈ નેતા પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપે છે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે એ જોવાનું રહ્યું કે તેઓ ભાજપમાં ક્યારે જોડાય છે... આપણી સામે અનેક એવા ઉદાહરણો છે જેમાં પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ જતા હોય છે.. રાજ્યમાં પક્ષપલટાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અનેક નેતાઓ પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ રહ્યા છે.. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. 



વિધાનસભાની આ બેઠક પરથી લડ્યા હતા ચૂંટણી 

ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે પાસના બે નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આવતી કાલે કેસરિયો ધારણ કરી શકે છે..... મહત્વનું છે કે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જબરદસ્ત માહોલ બનાવ્યો હતો, અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવીયા સુરતની હાઈ પ્રોફાઈલ બેઠકો પર પોતાના સમાજના સહારે ચૂંટણી પણ લડ્યા હતા, વરાછા બેઠક પર કથિરીયાનો જંગ ગુજરાત સરકારમાં જે તે સમયના મંત્રી અને પાટીદાર નેતા કુમાર કાનાણી સામે થયો હતો જો કે વરાછા બેઠક કથીરીયા જીતી ના શક્યા અને હાર પછી અલ્પેશ કથિરીયાને સંગઠનમાં મોટી જવાબદારીની અપેક્ષા હતી પણ એ અપેક્ષા પુરી ના થઈ શકી.  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.