થોડા દિવસો પહેલા AAPમાંથી રાજીનામું આપનાર અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયા આવતી કાલે જોડાઈ શકે છે ભાજપમાં...


  • Published By :
  • Published Date : 2024-04-26 12:36:41

થોડા દિવસ પહેલા આપના બે નેતાઓએ એક સાથે રાજીનામું આપ્યું હતું. એક હતા અલ્પેશ કથીરિયા અને બીજા હતા ધાર્મિક માલવીયા. તે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો ચાલી રહી હતી ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે તેઓ આવતી કાલે ભાજપમાં સામેલ થઈ  શકે છે. સી.આર.પાટીલની હાજરીમાં બંને નેતાઓ કેસરિયો ધારણ કરી શકે છે તેવી માહિતી સામે આવી છે....  


 

અનેક રાજનેતાઓ આપી રહ્યા છે પાર્ટીમાંથી રાજીનામું

જ્યારે કોઈ નેતા પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપે છે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે એ જોવાનું રહ્યું કે તેઓ ભાજપમાં ક્યારે જોડાય છે... આપણી સામે અનેક એવા ઉદાહરણો છે જેમાં પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ જતા હોય છે.. રાજ્યમાં પક્ષપલટાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અનેક નેતાઓ પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ રહ્યા છે.. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. 



વિધાનસભાની આ બેઠક પરથી લડ્યા હતા ચૂંટણી 

ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે પાસના બે નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આવતી કાલે કેસરિયો ધારણ કરી શકે છે..... મહત્વનું છે કે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જબરદસ્ત માહોલ બનાવ્યો હતો, અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવીયા સુરતની હાઈ પ્રોફાઈલ બેઠકો પર પોતાના સમાજના સહારે ચૂંટણી પણ લડ્યા હતા, વરાછા બેઠક પર કથિરીયાનો જંગ ગુજરાત સરકારમાં જે તે સમયના મંત્રી અને પાટીદાર નેતા કુમાર કાનાણી સામે થયો હતો જો કે વરાછા બેઠક કથીરીયા જીતી ના શક્યા અને હાર પછી અલ્પેશ કથિરીયાને સંગઠનમાં મોટી જવાબદારીની અપેક્ષા હતી પણ એ અપેક્ષા પુરી ના થઈ શકી.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે