થોડા દિવસો પહેલા AAPમાંથી રાજીનામું આપનાર અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયા આવતી કાલે જોડાઈ શકે છે ભાજપમાં...


  • Published By :
  • Published Date : 2024-04-26 12:36:41

થોડા દિવસ પહેલા આપના બે નેતાઓએ એક સાથે રાજીનામું આપ્યું હતું. એક હતા અલ્પેશ કથીરિયા અને બીજા હતા ધાર્મિક માલવીયા. તે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો ચાલી રહી હતી ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે તેઓ આવતી કાલે ભાજપમાં સામેલ થઈ  શકે છે. સી.આર.પાટીલની હાજરીમાં બંને નેતાઓ કેસરિયો ધારણ કરી શકે છે તેવી માહિતી સામે આવી છે....  


 

અનેક રાજનેતાઓ આપી રહ્યા છે પાર્ટીમાંથી રાજીનામું

જ્યારે કોઈ નેતા પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપે છે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે એ જોવાનું રહ્યું કે તેઓ ભાજપમાં ક્યારે જોડાય છે... આપણી સામે અનેક એવા ઉદાહરણો છે જેમાં પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ જતા હોય છે.. રાજ્યમાં પક્ષપલટાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અનેક નેતાઓ પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ રહ્યા છે.. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. 



વિધાનસભાની આ બેઠક પરથી લડ્યા હતા ચૂંટણી 

ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે પાસના બે નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આવતી કાલે કેસરિયો ધારણ કરી શકે છે..... મહત્વનું છે કે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જબરદસ્ત માહોલ બનાવ્યો હતો, અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવીયા સુરતની હાઈ પ્રોફાઈલ બેઠકો પર પોતાના સમાજના સહારે ચૂંટણી પણ લડ્યા હતા, વરાછા બેઠક પર કથિરીયાનો જંગ ગુજરાત સરકારમાં જે તે સમયના મંત્રી અને પાટીદાર નેતા કુમાર કાનાણી સામે થયો હતો જો કે વરાછા બેઠક કથીરીયા જીતી ના શક્યા અને હાર પછી અલ્પેશ કથિરીયાને સંગઠનમાં મોટી જવાબદારીની અપેક્ષા હતી પણ એ અપેક્ષા પુરી ના થઈ શકી.  



ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .