ટિકિટ ફાળવણી અંગે અલ્પેશ ઠાકોરે આપ્યું નિવેદન


  • Published By :
  • Published Date : 2022-11-08 11:27:28

ગુજરાત વિધાનસભા ઈલેક્શનની તારીખ જાહેર થઈ ગઈ છે. ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. કયા ઉમેદવારને ટિકિટ આપવી તે માટે મુખ્યમંત્રી અને સી.આર પાટીલ દિલ્હી પહોંચ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા દરેક સમાજ મિટીંગ બોલાવી રહી છે. ક્ષત્રિય સમાજે પણ ચૂંટણી પૂર્વે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. જ્યાં અલ્પેશ ઠાકોરે ટિકિટ ફાળવણીને લઈ નિવેદન આપ્યું છે. જો પાર્ટી મને ટિકિટ નહીં આપે તો પણ હું અને મારી સેના ભાજપને જીતાડવા પ્રયત્ન કરીશું. 


સ્નેહ મિલન કાર્યક્રમનું કરાયું આયોજન 

ભાજપ ગમે ત્યારે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. ટિકિટ માટે અનેક સમાજ માગણી કરી રહી છે. વિવિધ સમાજ દ્વારા રાજકીય પક્ષોને દબાણ કરવામાં આવી રહ્યું છે. મહેસાણા ખાતે ઠાકોર સમાજે એક મિટીંગનું આયોજન કર્યું હતું. 


પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડીશું - અલ્પેશ ઠાકોર

જેમાં રાધનપુર બેઠકની ટિકિટ માટે અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો પક્ષ મને ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ.અને જો પક્ષ મને ટિકિટ નહીં આપે તો પણ જે ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તેને  હું અને મારા સમર્થકો પાર્ટીને સમર્થન આપીશું. રાધનપુરમાં ભાજપની જીત થશે તેવી આશા અલ્પેશ ઠાકોરે વ્યક્ત કરી છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.