ટિકિટ ફાળવણી અંગે અલ્પેશ ઠાકોરે આપ્યું નિવેદન


  • Published By :
  • Published Date : 2022-11-08 11:27:28

ગુજરાત વિધાનસભા ઈલેક્શનની તારીખ જાહેર થઈ ગઈ છે. ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. કયા ઉમેદવારને ટિકિટ આપવી તે માટે મુખ્યમંત્રી અને સી.આર પાટીલ દિલ્હી પહોંચ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા દરેક સમાજ મિટીંગ બોલાવી રહી છે. ક્ષત્રિય સમાજે પણ ચૂંટણી પૂર્વે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. જ્યાં અલ્પેશ ઠાકોરે ટિકિટ ફાળવણીને લઈ નિવેદન આપ્યું છે. જો પાર્ટી મને ટિકિટ નહીં આપે તો પણ હું અને મારી સેના ભાજપને જીતાડવા પ્રયત્ન કરીશું. 


સ્નેહ મિલન કાર્યક્રમનું કરાયું આયોજન 

ભાજપ ગમે ત્યારે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. ટિકિટ માટે અનેક સમાજ માગણી કરી રહી છે. વિવિધ સમાજ દ્વારા રાજકીય પક્ષોને દબાણ કરવામાં આવી રહ્યું છે. મહેસાણા ખાતે ઠાકોર સમાજે એક મિટીંગનું આયોજન કર્યું હતું. 


પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડીશું - અલ્પેશ ઠાકોર

જેમાં રાધનપુર બેઠકની ટિકિટ માટે અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો પક્ષ મને ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ.અને જો પક્ષ મને ટિકિટ નહીં આપે તો પણ જે ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તેને  હું અને મારા સમર્થકો પાર્ટીને સમર્થન આપીશું. રાધનપુરમાં ભાજપની જીત થશે તેવી આશા અલ્પેશ ઠાકોરે વ્યક્ત કરી છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.