રાધનપુરમાં અલ્પેશ ઠાકોરનો વિરોધ, ચૂંટણીમાં ઠાકોરોનો ઉપયોગ કરતા હોવાનો સમાજના અગ્રણીઓનો આરોપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 12:10:05

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ ઠાકોર અગ્રણી અલ્પેશ ઠાકોરની મુશ્કેલીઓ વધી રહી છે. રાધનપુર વિધાનસભાની સીટ પરથી ચૂંટણી લડવા માટે ઈચ્છુક અલ્પેશ ઠાકોર સામે ઠાકોર સમાજમાં જ વિરોધના સુર ઉઠ્યા છે. અલ્પેશ ઠાકોરને સ્થાનિક ભાજપ કાર્યકરોનું પણ સમર્થન મળી રહ્યું નથી. 



સમીના રણાવાળામાં યોજાયેલા સંમેલનમાં વિરોધ


ઠાકોર સમાજનું એક મોટું સંમેલન સમીના રણાવાળા ખાતે યોજાયું હતું. આ સમેલનમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉમટ્યા હતા. જેમાં ઠાકોર આગેવાન સુરેશ ઠાકોરે અલ્પેશ ઠાકોરનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, અલ્પેશ ઠાકોર તો ઠાકોર સમાજને પતાવવાનું મશીન છે. એનો ઠાકોર સમાજને પતાવવામાં ઉપયોગ થઈ રહ્યો છે. જ્યાં પણ હોય એને મૂકવાનો, પ્રચાર કરાવવાનો, અને ઠાકોરોને હરાવવાના અને ઠાકોરોની વાત કરે છે અને ઠાકોર સમાજના નામે સંગઠન બનાવીને ચાલે છે. કોને બનાવો છો તમે. એકબાજુ રાધનપુર વિધાનસભામાં તમે સમાજને એમ કહો છો, હું સમાજ માટે આવ્યો છું, જ્યારે બીજી વિધાનસભામાં ઠાકોર સમાજના ઉમેદવાર સામે પ્રચાર કરો છો તમે. એ બે વાતો નહીં ચાલે.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .