રાધનપુરમાં અલ્પેશ ઠાકોરનો વિરોધ, ચૂંટણીમાં ઠાકોરોનો ઉપયોગ કરતા હોવાનો સમાજના અગ્રણીઓનો આરોપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 12:10:05

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ ઠાકોર અગ્રણી અલ્પેશ ઠાકોરની મુશ્કેલીઓ વધી રહી છે. રાધનપુર વિધાનસભાની સીટ પરથી ચૂંટણી લડવા માટે ઈચ્છુક અલ્પેશ ઠાકોર સામે ઠાકોર સમાજમાં જ વિરોધના સુર ઉઠ્યા છે. અલ્પેશ ઠાકોરને સ્થાનિક ભાજપ કાર્યકરોનું પણ સમર્થન મળી રહ્યું નથી. 



સમીના રણાવાળામાં યોજાયેલા સંમેલનમાં વિરોધ


ઠાકોર સમાજનું એક મોટું સંમેલન સમીના રણાવાળા ખાતે યોજાયું હતું. આ સમેલનમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉમટ્યા હતા. જેમાં ઠાકોર આગેવાન સુરેશ ઠાકોરે અલ્પેશ ઠાકોરનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, અલ્પેશ ઠાકોર તો ઠાકોર સમાજને પતાવવાનું મશીન છે. એનો ઠાકોર સમાજને પતાવવામાં ઉપયોગ થઈ રહ્યો છે. જ્યાં પણ હોય એને મૂકવાનો, પ્રચાર કરાવવાનો, અને ઠાકોરોને હરાવવાના અને ઠાકોરોની વાત કરે છે અને ઠાકોર સમાજના નામે સંગઠન બનાવીને ચાલે છે. કોને બનાવો છો તમે. એકબાજુ રાધનપુર વિધાનસભામાં તમે સમાજને એમ કહો છો, હું સમાજ માટે આવ્યો છું, જ્યારે બીજી વિધાનસભામાં ઠાકોર સમાજના ઉમેદવાર સામે પ્રચાર કરો છો તમે. એ બે વાતો નહીં ચાલે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે