રાધનપુરમાં અલ્પેશ ઠાકોરનો વિરોધ, ચૂંટણીમાં ઠાકોરોનો ઉપયોગ કરતા હોવાનો સમાજના અગ્રણીઓનો આરોપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 12:10:05

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ ઠાકોર અગ્રણી અલ્પેશ ઠાકોરની મુશ્કેલીઓ વધી રહી છે. રાધનપુર વિધાનસભાની સીટ પરથી ચૂંટણી લડવા માટે ઈચ્છુક અલ્પેશ ઠાકોર સામે ઠાકોર સમાજમાં જ વિરોધના સુર ઉઠ્યા છે. અલ્પેશ ઠાકોરને સ્થાનિક ભાજપ કાર્યકરોનું પણ સમર્થન મળી રહ્યું નથી. 



સમીના રણાવાળામાં યોજાયેલા સંમેલનમાં વિરોધ


ઠાકોર સમાજનું એક મોટું સંમેલન સમીના રણાવાળા ખાતે યોજાયું હતું. આ સમેલનમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉમટ્યા હતા. જેમાં ઠાકોર આગેવાન સુરેશ ઠાકોરે અલ્પેશ ઠાકોરનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, અલ્પેશ ઠાકોર તો ઠાકોર સમાજને પતાવવાનું મશીન છે. એનો ઠાકોર સમાજને પતાવવામાં ઉપયોગ થઈ રહ્યો છે. જ્યાં પણ હોય એને મૂકવાનો, પ્રચાર કરાવવાનો, અને ઠાકોરોને હરાવવાના અને ઠાકોરોની વાત કરે છે અને ઠાકોર સમાજના નામે સંગઠન બનાવીને ચાલે છે. કોને બનાવો છો તમે. એકબાજુ રાધનપુર વિધાનસભામાં તમે સમાજને એમ કહો છો, હું સમાજ માટે આવ્યો છું, જ્યારે બીજી વિધાનસભામાં ઠાકોર સમાજના ઉમેદવાર સામે પ્રચાર કરો છો તમે. એ બે વાતો નહીં ચાલે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.