એક સમયે ભાજપ વિરુદ્ધ બોલનાર અલ્પેશ ઠાકોરે ભાજપ માટે આપ્યું નિવેદન, કહ્યું ભાજપને આ ચૂંટણીમાં 150 સીટ મળશે


  • Published By :
  • Published Date : 2022-11-17 12:31:27

ગુજરાતમાં ચૂંટણી રંગ બરાબરનો જામ્યો છે. ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટી અને નેતાઓ એક બીજા પર આરોપ લગાવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનાર અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને લઈ નિવેદન આપ્યું છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા અલ્પેશે કહ્યું કે કોંગ્રેસે વર્ચસ્વ ગુમાવી દીધું છે અને એક પણ નેતા પાસે જનસમર્થન નથી. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 150થી વધુ સીટો આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

  

કોંગ્રેસે વર્ચસ્વ ગુમાવી દીધું છે - અલ્પેશ

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓના નિવેદનથી રાજકારણ ગરમાઈ રહ્યું છે. કોંગ્રેસને લઈ અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું છે કે કોંગ્રેસ વર્ચસ્વ ગુમાવી દીધું છે. તેમણે કહ્યું કે ગુજરાતની ચૂંટણી અમારા માટે કોઈ પડકાર નથી. અહીં કમળ ભૂતકાળમાં જીત્યો છે અને ભવિષ્યમાં પણ જીતશે. ભાજપ 150 સીટ જીતી સરકાર બનાવશે. કોંગ્રેસનો રાજ્યમાં કોઈ આધાર નથી, તેમના નેતાઓ એકબીજા સાથે લડી રહ્યા છે અને હાર માની ગયા છે.

લ્યો કરો વાત, મેઘાલયમાં કોંગ્રેસ અને ભાજપ એક જ ગઠબંધનમાં જોડાયા | In  Meghalaya Congress and BJP have joined in equal front

એક સમયે ભાજપનો વિરોધ કરનાર આજે કરે છે ભાજપના ગુણગાન

ત્યારે એક પ્રશ્ન અવશ્ય પૂછવાની ઈચ્છા થાય કે ભાજપમાં એવો કયો પારસમણી છે કે ભાજપમાં જોડાયા બાદ ભાજપનો પ્રચાર કરવામાં વ્યસ્ત થઈ જાય છે. એક સમયે જે સરકારનો અને સરકારની નીતિનો વિરોધ કરતા હોય તે જ લોકો ભાજપમાં જોડાયા પછી ભાજપના ગુણગાન ગાય છે. આ સવાલ માત્ર અલ્પેશ ઠાકોર માટેનો સવાલ નથી પરંતુ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા દરેક નેતાઓ માટે છે.

Ganiben Thakor is misusing Thakor youth for his own political interests: Alpesh  Thakor

ભાજપ પ્રત્યેનો પ્રેમ અનેક વખત છલકાઈ જાય છે

જે નેતાઓને ભાજપમાં ખામી જ ખામી દેખાતી હતી પરંતુ ભાજપમાં જોડાયા બાદ પાર્ટીનો એક પણ દુર્ગુણ નથી દેખાતા. કોંગ્રેસને અલવિદા કહી અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેમાંથી એક નામ હતું અલ્પેશ ઠાકોર. એક સમયે ભાજપ વિરોધમાં આંદોલન કરનાર અલ્પેશ ઠાકોરનો ભાજપમાં જોડાયા બાદ ભાજપ પ્રત્યે તેમનો પ્રેમ અનેક વખત સામે આવતો રહે છે.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.