આલ્ફા વિદ્યા સંકૂલે શિક્ષકોનું કર્યું સન્માન, 61 શિક્ષકોને ભેટ આપી તેમના સેવાકાર્યની કરાઈ કદર


  • Published By :
  • Published Date : 2023-03-10 14:52:42

માનવના જીવનમાં શિક્ષકોનું અલગ જ સ્થાન હોય છે. શિક્ષકોને માન આપવું એ દરેક વિદ્યાર્થીની ફરજ હોય છે. ત્યારે જૂનાગઢમાં આલ્ફા વિદ્યા સંકુલમાં 61 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા છે. સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલા શિક્ષકોને વિવિધ ભેટ સોગાદો આપવામાં આવી હતી. ભેટ સોગાદમાં મારુતિ અલ્ટો, ટાટા અલ્ટ્રોઝ, હ્યુન્ડાઈ ક્રેટા, આઈફોન જેવા ઈનામોની ભેટ આપવામાં આવી હતી. 



શિક્ષકોને ભેટ આપી કરાયા સન્માનિત  

જૂદા-જૂદા અવસરો તેમજ તહેવાર પર કંપની દ્વારા કંપની સાથે જોડાયેલા લોકોને ભેટ આપવામાં આવતી હોય છે. ત્યારે જૂનાગઢમાં એક શૈક્ષણિક સંસ્થાએ પોતાના શિક્ષકોને ભેટ આપી છે. સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલા શિક્ષકોને ભેટ આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. 


અનાર પટેલ રહ્યા હતા ઉપસ્થિત 

શિક્ષકોને 1 કરોડના ઈનામો આપવામાં આવ્યા છે જેમાં મારુતિ અલ્ટો, ટાટા અલ્ટ્રોઝ, હ્યુન્ડાઈ ક્રેટા, 3 આઈફોન, 4 હોન્ડા એક્ટિવા, 18 હીરો સ્પેલન્ડર, 8 લેપટોપ અને 25 માઈક્રોવેવનો સમાવેશ થાય છે. 61 શિક્ષકોને વિવિધ ભેટ આપી તેમના સેવા કાર્ય બદલ સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે અનાર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.