આલ્ફા વિદ્યા સંકૂલે શિક્ષકોનું કર્યું સન્માન, 61 શિક્ષકોને ભેટ આપી તેમના સેવાકાર્યની કરાઈ કદર


  • Published By :
  • Published Date : 2023-03-10 14:52:42

માનવના જીવનમાં શિક્ષકોનું અલગ જ સ્થાન હોય છે. શિક્ષકોને માન આપવું એ દરેક વિદ્યાર્થીની ફરજ હોય છે. ત્યારે જૂનાગઢમાં આલ્ફા વિદ્યા સંકુલમાં 61 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા છે. સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલા શિક્ષકોને વિવિધ ભેટ સોગાદો આપવામાં આવી હતી. ભેટ સોગાદમાં મારુતિ અલ્ટો, ટાટા અલ્ટ્રોઝ, હ્યુન્ડાઈ ક્રેટા, આઈફોન જેવા ઈનામોની ભેટ આપવામાં આવી હતી. 



શિક્ષકોને ભેટ આપી કરાયા સન્માનિત  

જૂદા-જૂદા અવસરો તેમજ તહેવાર પર કંપની દ્વારા કંપની સાથે જોડાયેલા લોકોને ભેટ આપવામાં આવતી હોય છે. ત્યારે જૂનાગઢમાં એક શૈક્ષણિક સંસ્થાએ પોતાના શિક્ષકોને ભેટ આપી છે. સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલા શિક્ષકોને ભેટ આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. 


અનાર પટેલ રહ્યા હતા ઉપસ્થિત 

શિક્ષકોને 1 કરોડના ઈનામો આપવામાં આવ્યા છે જેમાં મારુતિ અલ્ટો, ટાટા અલ્ટ્રોઝ, હ્યુન્ડાઈ ક્રેટા, 3 આઈફોન, 4 હોન્ડા એક્ટિવા, 18 હીરો સ્પેલન્ડર, 8 લેપટોપ અને 25 માઈક્રોવેવનો સમાવેશ થાય છે. 61 શિક્ષકોને વિવિધ ભેટ આપી તેમના સેવા કાર્ય બદલ સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે અનાર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.