આલ્ફા વિદ્યા સંકૂલે શિક્ષકોનું કર્યું સન્માન, 61 શિક્ષકોને ભેટ આપી તેમના સેવાકાર્યની કરાઈ કદર


  • Published By :
  • Published Date : 2023-03-10 14:52:42

માનવના જીવનમાં શિક્ષકોનું અલગ જ સ્થાન હોય છે. શિક્ષકોને માન આપવું એ દરેક વિદ્યાર્થીની ફરજ હોય છે. ત્યારે જૂનાગઢમાં આલ્ફા વિદ્યા સંકુલમાં 61 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા છે. સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલા શિક્ષકોને વિવિધ ભેટ સોગાદો આપવામાં આવી હતી. ભેટ સોગાદમાં મારુતિ અલ્ટો, ટાટા અલ્ટ્રોઝ, હ્યુન્ડાઈ ક્રેટા, આઈફોન જેવા ઈનામોની ભેટ આપવામાં આવી હતી. 



શિક્ષકોને ભેટ આપી કરાયા સન્માનિત  

જૂદા-જૂદા અવસરો તેમજ તહેવાર પર કંપની દ્વારા કંપની સાથે જોડાયેલા લોકોને ભેટ આપવામાં આવતી હોય છે. ત્યારે જૂનાગઢમાં એક શૈક્ષણિક સંસ્થાએ પોતાના શિક્ષકોને ભેટ આપી છે. સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલા શિક્ષકોને ભેટ આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. 


અનાર પટેલ રહ્યા હતા ઉપસ્થિત 

શિક્ષકોને 1 કરોડના ઈનામો આપવામાં આવ્યા છે જેમાં મારુતિ અલ્ટો, ટાટા અલ્ટ્રોઝ, હ્યુન્ડાઈ ક્રેટા, 3 આઈફોન, 4 હોન્ડા એક્ટિવા, 18 હીરો સ્પેલન્ડર, 8 લેપટોપ અને 25 માઈક્રોવેવનો સમાવેશ થાય છે. 61 શિક્ષકોને વિવિધ ભેટ આપી તેમના સેવા કાર્ય બદલ સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે અનાર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.