આલ્ફા વિદ્યા સંકૂલે શિક્ષકોનું કર્યું સન્માન, 61 શિક્ષકોને ભેટ આપી તેમના સેવાકાર્યની કરાઈ કદર


  • Published By :
  • Published Date : 2023-03-10 14:52:42

માનવના જીવનમાં શિક્ષકોનું અલગ જ સ્થાન હોય છે. શિક્ષકોને માન આપવું એ દરેક વિદ્યાર્થીની ફરજ હોય છે. ત્યારે જૂનાગઢમાં આલ્ફા વિદ્યા સંકુલમાં 61 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા છે. સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલા શિક્ષકોને વિવિધ ભેટ સોગાદો આપવામાં આવી હતી. ભેટ સોગાદમાં મારુતિ અલ્ટો, ટાટા અલ્ટ્રોઝ, હ્યુન્ડાઈ ક્રેટા, આઈફોન જેવા ઈનામોની ભેટ આપવામાં આવી હતી. 



શિક્ષકોને ભેટ આપી કરાયા સન્માનિત  

જૂદા-જૂદા અવસરો તેમજ તહેવાર પર કંપની દ્વારા કંપની સાથે જોડાયેલા લોકોને ભેટ આપવામાં આવતી હોય છે. ત્યારે જૂનાગઢમાં એક શૈક્ષણિક સંસ્થાએ પોતાના શિક્ષકોને ભેટ આપી છે. સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલા શિક્ષકોને ભેટ આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. 


અનાર પટેલ રહ્યા હતા ઉપસ્થિત 

શિક્ષકોને 1 કરોડના ઈનામો આપવામાં આવ્યા છે જેમાં મારુતિ અલ્ટો, ટાટા અલ્ટ્રોઝ, હ્યુન્ડાઈ ક્રેટા, 3 આઈફોન, 4 હોન્ડા એક્ટિવા, 18 હીરો સ્પેલન્ડર, 8 લેપટોપ અને 25 માઈક્રોવેવનો સમાવેશ થાય છે. 61 શિક્ષકોને વિવિધ ભેટ આપી તેમના સેવા કાર્ય બદલ સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે અનાર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.