ઝુકેગા નહીં કહીને નીકળેલા અમરાભાઈ ઝુકી તો ગયા, ખેડૂત નેતા અમરાભાઈ ચૌધરીએ CM સાથે શું વાત કરી? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-16 18:42:46

દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણના સમર્થકના બે લાફાંથી શરૂ થયેલી અમરાભાઇ ચૌધરીની ન્યાય યાત્રા ગાંધીનગરમાં વિરામ પામી છે. બનાસકાંઠાથી નીકળેલી ખેડૂતોની ન્યાય યાત્રાનો આજે સાતમો દિવસ છે.  અમરાભાઇ ચૌધરી સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર રજૂઆત કરવા રવાના થયા હતા. સાતમા દિવસે ન્યાય યાત્રા મહેસાણાના ગોઝારીયા ખાતે પહોંચી હતી. જોકે ગોઝારીયા ખાતે મહેસાણા જિલ્લા પોલીસનો મોટો કાફલો ખડકી દેવામા આવતા તમામ ખેડૂતોને અહીથી આગળ ન વધવા દેવાના આદેશ અપાયા હોવાથી યાત્રાને રોકવામાં આવી હતી.


અમરાભાઈને CMનું તેડું  


અમરાભાઈ ચૌધરીના નેતૃત્વમાં નિકળેલી ખેડૂતોની ન્યાય યાત્રાને ગોઝારીયા ખાતે રોકવામાં આવ્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તેમને સમજાવવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓ મધ્યસ્થી બનીને અમરાભાઈ સહિત તમામ ખેડૂત આગેવાનોને ગાંધીનગર લઈ ગઈ હતી. આ ખેડૂત આગેવાનોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. જમાવટે જ્યારે આ મુલાકાત અંગે અમરાભાઈને પુછ્યું તો તેમણે કહ્યું કે સમાધાન થઈ ગયું છે. જો કે મૂળ મુદ્દો કેશાજી ચૌહાણના રાજીનામા બાબતે તેઓ મુખ્યમંત્રી સંમત થયા નથી. તે જ રીતે અમરાભાઈએ તેમનું આંદોલન હાલ પુરતું પુરૂ થયું હોવાનું પણ જણાવ્યું હતું. જો કે અમરાભાઈએ તે પણ કહ્યું હતું કે જો તેમની માગણીઓ સંતોષાશે નહીં તો તે ફરી આંદોલન કરશે તેવી પણ ચિમકી આપી હતી.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે