ઝુકેગા નહીં કહીને નીકળેલા અમરાભાઈ ઝુકી તો ગયા, ખેડૂત નેતા અમરાભાઈ ચૌધરીએ CM સાથે શું વાત કરી? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-16 18:42:46

દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણના સમર્થકના બે લાફાંથી શરૂ થયેલી અમરાભાઇ ચૌધરીની ન્યાય યાત્રા ગાંધીનગરમાં વિરામ પામી છે. બનાસકાંઠાથી નીકળેલી ખેડૂતોની ન્યાય યાત્રાનો આજે સાતમો દિવસ છે.  અમરાભાઇ ચૌધરી સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર રજૂઆત કરવા રવાના થયા હતા. સાતમા દિવસે ન્યાય યાત્રા મહેસાણાના ગોઝારીયા ખાતે પહોંચી હતી. જોકે ગોઝારીયા ખાતે મહેસાણા જિલ્લા પોલીસનો મોટો કાફલો ખડકી દેવામા આવતા તમામ ખેડૂતોને અહીથી આગળ ન વધવા દેવાના આદેશ અપાયા હોવાથી યાત્રાને રોકવામાં આવી હતી.


અમરાભાઈને CMનું તેડું  


અમરાભાઈ ચૌધરીના નેતૃત્વમાં નિકળેલી ખેડૂતોની ન્યાય યાત્રાને ગોઝારીયા ખાતે રોકવામાં આવ્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તેમને સમજાવવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓ મધ્યસ્થી બનીને અમરાભાઈ સહિત તમામ ખેડૂત આગેવાનોને ગાંધીનગર લઈ ગઈ હતી. આ ખેડૂત આગેવાનોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. જમાવટે જ્યારે આ મુલાકાત અંગે અમરાભાઈને પુછ્યું તો તેમણે કહ્યું કે સમાધાન થઈ ગયું છે. જો કે મૂળ મુદ્દો કેશાજી ચૌહાણના રાજીનામા બાબતે તેઓ મુખ્યમંત્રી સંમત થયા નથી. તે જ રીતે અમરાભાઈએ તેમનું આંદોલન હાલ પુરતું પુરૂ થયું હોવાનું પણ જણાવ્યું હતું. જો કે અમરાભાઈએ તે પણ કહ્યું હતું કે જો તેમની માગણીઓ સંતોષાશે નહીં તો તે ફરી આંદોલન કરશે તેવી પણ ચિમકી આપી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.