એમેઝોન અને ફ્લિપકાર્ટને સરકારે ફટકારી નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-02-13 14:56:02

ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોન અને ફ્લિપકાર્ટને સરકારે નોટિસ ફટકારી છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ એમેઝોન અને ફ્લિપકાર્ટને ડ્ર્ગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940નું ઉલ્લંઘન કરવા માટે આ નોટિસ ફટકારી છે. 


શા માટે નોટિસ ફટકારી?


દવા નિયામક ઓથોરિટી DCGIએ નોટિસમાં આ બંને કંપનીઓ પાસે જવાબ માંગ્યો છે. જેમાં તેમને પુછવામાં આવ્યું છે કે ડ્ર્ગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940ના ઉલ્લંઘનને લઈ તમારા પર કાર્યવાહી કેમ ન કરવામાં આવે?.DCGIના જણાવ્યા પ્રમાણે ઓનલાઈન કોઈ પણ પ્રકારના સત્તાવાર લાયસન્સ વગર દવાઓના વેચાણથી તેની ક્વોલિટી પર ખરાબ અસર પડે છે. આ પરિસ્થિતીમાં લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને  DCGIએ આ પગલું ભર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે  DCGIએ ફટકારેલી નોટિસમાં લખવામાં આવ્યું છે કે દિલ્હી હાઈકોર્ટના ડિસેમ્બર 2018માં ઓનલાઈન ફાર્મસી દ્વારા લાયસન્સ વગર દવાઓના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવાાં આવ્યો હતો.


બંને કંપનીઓએ આપવો પડશે જવાબ


DCGIએ નોટિસ આપતા હવે એમેઝોન અને ફ્લિપકાર્ટે બંનેને જવાબ આપવા માટે બે દિવસનો સમય આપ્યો છે. કંપનીઓ દ્વારા આ બે દિવસમાં જવાબ આપવામાં નહીં આવે તો બંને કંપની વિરૂધ્ધ  DCGIના  કાયદા પ્રમાણે કાર્યવાહી કરશે. ઉલ્લેખનિય છે કે ઓનલાઈન દવાઓના વેચાણ માટે  DCGIનું લાયસન્સ લેવું અનિવાર્ય છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.