એમેઝોન અને ફ્લિપકાર્ટને સરકારે ફટકારી નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-02-13 14:56:02

ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોન અને ફ્લિપકાર્ટને સરકારે નોટિસ ફટકારી છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ એમેઝોન અને ફ્લિપકાર્ટને ડ્ર્ગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940નું ઉલ્લંઘન કરવા માટે આ નોટિસ ફટકારી છે. 


શા માટે નોટિસ ફટકારી?


દવા નિયામક ઓથોરિટી DCGIએ નોટિસમાં આ બંને કંપનીઓ પાસે જવાબ માંગ્યો છે. જેમાં તેમને પુછવામાં આવ્યું છે કે ડ્ર્ગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940ના ઉલ્લંઘનને લઈ તમારા પર કાર્યવાહી કેમ ન કરવામાં આવે?.DCGIના જણાવ્યા પ્રમાણે ઓનલાઈન કોઈ પણ પ્રકારના સત્તાવાર લાયસન્સ વગર દવાઓના વેચાણથી તેની ક્વોલિટી પર ખરાબ અસર પડે છે. આ પરિસ્થિતીમાં લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને  DCGIએ આ પગલું ભર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે  DCGIએ ફટકારેલી નોટિસમાં લખવામાં આવ્યું છે કે દિલ્હી હાઈકોર્ટના ડિસેમ્બર 2018માં ઓનલાઈન ફાર્મસી દ્વારા લાયસન્સ વગર દવાઓના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવાાં આવ્યો હતો.


બંને કંપનીઓએ આપવો પડશે જવાબ


DCGIએ નોટિસ આપતા હવે એમેઝોન અને ફ્લિપકાર્ટે બંનેને જવાબ આપવા માટે બે દિવસનો સમય આપ્યો છે. કંપનીઓ દ્વારા આ બે દિવસમાં જવાબ આપવામાં નહીં આવે તો બંને કંપની વિરૂધ્ધ  DCGIના  કાયદા પ્રમાણે કાર્યવાહી કરશે. ઉલ્લેખનિય છે કે ઓનલાઈન દવાઓના વેચાણ માટે  DCGIનું લાયસન્સ લેવું અનિવાર્ય છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.