એમેઝોન અને ફ્લિપકાર્ટને સરકારે ફટકારી નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-02-13 14:56:02

ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોન અને ફ્લિપકાર્ટને સરકારે નોટિસ ફટકારી છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ એમેઝોન અને ફ્લિપકાર્ટને ડ્ર્ગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940નું ઉલ્લંઘન કરવા માટે આ નોટિસ ફટકારી છે. 


શા માટે નોટિસ ફટકારી?


દવા નિયામક ઓથોરિટી DCGIએ નોટિસમાં આ બંને કંપનીઓ પાસે જવાબ માંગ્યો છે. જેમાં તેમને પુછવામાં આવ્યું છે કે ડ્ર્ગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940ના ઉલ્લંઘનને લઈ તમારા પર કાર્યવાહી કેમ ન કરવામાં આવે?.DCGIના જણાવ્યા પ્રમાણે ઓનલાઈન કોઈ પણ પ્રકારના સત્તાવાર લાયસન્સ વગર દવાઓના વેચાણથી તેની ક્વોલિટી પર ખરાબ અસર પડે છે. આ પરિસ્થિતીમાં લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને  DCGIએ આ પગલું ભર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે  DCGIએ ફટકારેલી નોટિસમાં લખવામાં આવ્યું છે કે દિલ્હી હાઈકોર્ટના ડિસેમ્બર 2018માં ઓનલાઈન ફાર્મસી દ્વારા લાયસન્સ વગર દવાઓના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવાાં આવ્યો હતો.


બંને કંપનીઓએ આપવો પડશે જવાબ


DCGIએ નોટિસ આપતા હવે એમેઝોન અને ફ્લિપકાર્ટે બંનેને જવાબ આપવા માટે બે દિવસનો સમય આપ્યો છે. કંપનીઓ દ્વારા આ બે દિવસમાં જવાબ આપવામાં નહીં આવે તો બંને કંપની વિરૂધ્ધ  DCGIના  કાયદા પ્રમાણે કાર્યવાહી કરશે. ઉલ્લેખનિય છે કે ઓનલાઈન દવાઓના વેચાણ માટે  DCGIનું લાયસન્સ લેવું અનિવાર્ય છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.