Ambaji Mandir : ભાદરવી પૂનમના મેળામાં ઉમટી જન મેદની, આટલા લાખ ભક્તોએ કર્યા માતાજીના દર્શન, જુઓ ભક્તિના રંગે રંગાયેલા ભક્તોના વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-28 11:05:21

આવતી કાલે ભાદરવી પૂનમ છે. પૂનમને લઈ માઈ મંદિરોમાં વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પૂનમ માતાજીને સમર્પિત હોય છે. આમ તો દરેક પૂનમનું મહત્વ વિશેષ હોય છે પરંતુ ભાદરવી પૂનમ તેમજ પોષી પૂનમનો મહિમા અનેરો હોય છે. ભાદરવી પૂનમ દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. લાખોની જનમેદની શક્તિપીઠ અંબાજીમાં ઉમટી છે. પગપાળા અનેક માઈભક્તો અંબાજી પહોંચતા હોય છે. 23 સપ્ટેમ્બરથી શરૂ થયેલા મેળામાં 30.50 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ મંદિરની મુલાકાત લઈ લીધી છે. અંબાજી તરફ જતા માર્ગ બોલ મારી અંબે જય જય અંબે.. ગરબાની રમઝટ પણ માઈ ભક્તો ચાચર ચોકમાં બોલાવી રહ્યા છે. અંબાજી મેળામાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મુલાકાત લઈ લીધી છે.


પાંચ દિવસમાં 30.50 લાખ ભક્તોએ લીધી મુલાકાત

કહેવાય છે કે શ્રદ્ધાને પૂરાવાની જરૂર નથી હોતી. અંબાજી મંદિરમાં સામાન્ય દિવસોમાં પણ ભક્તોની જનમેદની ઉમટતી હોય છે. શક્તિ પીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના દિવસે લાખો ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. 30.50 લાખ ભક્તોએ મંદિરની મુલાકાત લઈ લીધો છે. ત્યારે આવતી કાલે ભાદરવી પૂનમ છે. ભાદરવી પૂનમ સુધીમાં 40 લાખ જેટલા ભક્તો દર્શનાર્થે આવી શકે છે તેવું અનુમાન છે. 

ભક્તિના રંગમાં રંગાયું યાત્રાધામ અંબાજી 

રાજ્યના અલગ અલગ ખૂણેથી માઈ ભક્તો શક્તિપીઠ પહોંચી રહ્યા છે. કોઈ ધ્વજા લઈને મંદિરના પ્રાંગણ પહોંચી રહ્યા છે તો કોઈ ઘૂંટણના બળે ચાલી માતાજીના દર્શન કરવા પહોંચી રહ્યા છે. ચાચર ચોકમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જય અંબેના નાદથી અંબાજી તરફ આવતા રસ્તાઓ ગુંજી રહ્યા છે. મંદિરનું પટાંગણ પણ ભક્તિના રંગમાં રંગાયું છે. આનંદની લાગણી વ્યાપી ઉઠી છે. ભક્તો ભક્તિમાં તરબોળ દેખાયા છે. જે દ્રશ્યો સામે આવ્યા છે તે આંખો ભીની કરી દે તેવા છે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી