Ambaji Mandir : ભાદરવી પૂનમના મેળામાં ઉમટી જન મેદની, આટલા લાખ ભક્તોએ કર્યા માતાજીના દર્શન, જુઓ ભક્તિના રંગે રંગાયેલા ભક્તોના વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-28 11:05:21

આવતી કાલે ભાદરવી પૂનમ છે. પૂનમને લઈ માઈ મંદિરોમાં વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પૂનમ માતાજીને સમર્પિત હોય છે. આમ તો દરેક પૂનમનું મહત્વ વિશેષ હોય છે પરંતુ ભાદરવી પૂનમ તેમજ પોષી પૂનમનો મહિમા અનેરો હોય છે. ભાદરવી પૂનમ દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. લાખોની જનમેદની શક્તિપીઠ અંબાજીમાં ઉમટી છે. પગપાળા અનેક માઈભક્તો અંબાજી પહોંચતા હોય છે. 23 સપ્ટેમ્બરથી શરૂ થયેલા મેળામાં 30.50 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ મંદિરની મુલાકાત લઈ લીધી છે. અંબાજી તરફ જતા માર્ગ બોલ મારી અંબે જય જય અંબે.. ગરબાની રમઝટ પણ માઈ ભક્તો ચાચર ચોકમાં બોલાવી રહ્યા છે. અંબાજી મેળામાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મુલાકાત લઈ લીધી છે.


પાંચ દિવસમાં 30.50 લાખ ભક્તોએ લીધી મુલાકાત

કહેવાય છે કે શ્રદ્ધાને પૂરાવાની જરૂર નથી હોતી. અંબાજી મંદિરમાં સામાન્ય દિવસોમાં પણ ભક્તોની જનમેદની ઉમટતી હોય છે. શક્તિ પીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના દિવસે લાખો ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. 30.50 લાખ ભક્તોએ મંદિરની મુલાકાત લઈ લીધો છે. ત્યારે આવતી કાલે ભાદરવી પૂનમ છે. ભાદરવી પૂનમ સુધીમાં 40 લાખ જેટલા ભક્તો દર્શનાર્થે આવી શકે છે તેવું અનુમાન છે. 

ભક્તિના રંગમાં રંગાયું યાત્રાધામ અંબાજી 

રાજ્યના અલગ અલગ ખૂણેથી માઈ ભક્તો શક્તિપીઠ પહોંચી રહ્યા છે. કોઈ ધ્વજા લઈને મંદિરના પ્રાંગણ પહોંચી રહ્યા છે તો કોઈ ઘૂંટણના બળે ચાલી માતાજીના દર્શન કરવા પહોંચી રહ્યા છે. ચાચર ચોકમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જય અંબેના નાદથી અંબાજી તરફ આવતા રસ્તાઓ ગુંજી રહ્યા છે. મંદિરનું પટાંગણ પણ ભક્તિના રંગમાં રંગાયું છે. આનંદની લાગણી વ્યાપી ઉઠી છે. ભક્તો ભક્તિમાં તરબોળ દેખાયા છે. જે દ્રશ્યો સામે આવ્યા છે તે આંખો ભીની કરી દે તેવા છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.