અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદ અને કાતિલ ઠંડી અંગે કરી નવી આગાહી, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-11-05 13:32:46

ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ બેવડી ઋતુની અનુભૂતી થઈ રહી છે, દિવસે ગરમી, રાત્રે ઠંડી અને સવારે ધુમ્મસથી લોકોની હાલત કફોડી બની છે. રાજ્યમાં ઉતર-પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે છતાં પણ લઘુતમ તાપમાન સામાન્ય છે. હવે આવી પરિસ્થિતીમાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત માવઠાની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે રાજયમાં કાતિલ ઠંડીની સાથે ચક્રવાત અને કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાનની શક્યતા છે.


ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટાની શક્યતા


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. 8 થી 12 નવેમ્બરના દેશના ઉત્તરીય પર્વતિય વિસ્તારમાં ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન સુધીમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે. તેની અસર ગુજરાતના અમુક ભાગોમાં થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારમાં વાદળો ઘેરાઈ શકે  શકે અને વરસાદી ઝાપટું પડવાની શક્યતા છે. તે ઉપરાતં 12 નવેમ્બર બાદ પણ અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને લો પ્રેશર બનશે. બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે 12  નવેમ્બર પછી વધુ હલચલ જોવા મળશે 14થી 16 નવેમ્બરના ચક્રવાત સક્રિય થવાની શક્યતા રહેશે. આ ચક્રવાતો ડિસેમ્બરની શરુઆત સુધી રહેવાની શક્યતા છે.


22 ડિસેમ્બરથી કાતિલ ઠંડી પડશે


બંગાળાના ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વાદળ છાયુ વાતાવરણ જોવા મળશે. શિયાળામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા જશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ડિસેમ્બરમાં આવશે 22 ડિસેમ્બરથી કડકડતી ઠંડી પડશે જાન્યુઆરીમાં ઠંડોગાર રહેશે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, ફેબ્રુઆરીની શરુઆતમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે. એટલે 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી વચ્ચે કડક્ડતી ઠંડી પડશે. ડિસેમ્બરના એન્ડ સુધી એક પછી એક સિસ્ટમ બન્યા કરશે અને એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવ્યા કરશે. જેની અસર વાતાવરણ પર જોવા મળશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.