અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદ અને કાતિલ ઠંડી અંગે કરી નવી આગાહી, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-11-05 13:32:46

ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ બેવડી ઋતુની અનુભૂતી થઈ રહી છે, દિવસે ગરમી, રાત્રે ઠંડી અને સવારે ધુમ્મસથી લોકોની હાલત કફોડી બની છે. રાજ્યમાં ઉતર-પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે છતાં પણ લઘુતમ તાપમાન સામાન્ય છે. હવે આવી પરિસ્થિતીમાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત માવઠાની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે રાજયમાં કાતિલ ઠંડીની સાથે ચક્રવાત અને કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાનની શક્યતા છે.


ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટાની શક્યતા


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. 8 થી 12 નવેમ્બરના દેશના ઉત્તરીય પર્વતિય વિસ્તારમાં ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન સુધીમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે. તેની અસર ગુજરાતના અમુક ભાગોમાં થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારમાં વાદળો ઘેરાઈ શકે  શકે અને વરસાદી ઝાપટું પડવાની શક્યતા છે. તે ઉપરાતં 12 નવેમ્બર બાદ પણ અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને લો પ્રેશર બનશે. બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે 12  નવેમ્બર પછી વધુ હલચલ જોવા મળશે 14થી 16 નવેમ્બરના ચક્રવાત સક્રિય થવાની શક્યતા રહેશે. આ ચક્રવાતો ડિસેમ્બરની શરુઆત સુધી રહેવાની શક્યતા છે.


22 ડિસેમ્બરથી કાતિલ ઠંડી પડશે


બંગાળાના ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વાદળ છાયુ વાતાવરણ જોવા મળશે. શિયાળામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા જશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ડિસેમ્બરમાં આવશે 22 ડિસેમ્બરથી કડકડતી ઠંડી પડશે જાન્યુઆરીમાં ઠંડોગાર રહેશે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, ફેબ્રુઆરીની શરુઆતમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે. એટલે 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી વચ્ચે કડક્ડતી ઠંડી પડશે. ડિસેમ્બરના એન્ડ સુધી એક પછી એક સિસ્ટમ બન્યા કરશે અને એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવ્યા કરશે. જેની અસર વાતાવરણ પર જોવા મળશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.