અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી, રાજ્યના આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના


  • Published By :
  • Published Date : 2023-11-24 20:36:08

રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવામાનમાં પલટો આવવાના અણસાર આપ્યો છે. ગુજરાતમાં શિયાળાની સીઝનમાં કમોસમી વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે.  અંબાલાલ પટેલે આગાહી કરી છે રાજ્યમાં ઠંડી અને ગરમીની બેવડી ઋતુની વચ્ચે હવે માવઠું પણ થશે. ગુજરાતમાં તારીખ 26થી 28ના રોજ માવઠું થશે. આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં ભારે ફેરફાર થવાની આગાહી કરતા અંબાલાલ પટેલે ખેડૂતોને પણ સાવધ રહેવાની અપીલ કરી છે.


શું કહ્યું અંબાલાલ પટેલે?


હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું કે, નક્ષત્રોની અસર ગુજરાત પર થશે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બની અસર થશે. તેમજ પૂર્વ ભારતમાં પણ અસર થઈ શકે છે. તેમના મતે આગામી દિવસોમાં ખગોળીય દ્રષ્ટિએ જોતા શુક્રના ભ્રમણના લીધે તારીખ 24 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સ્વાતી નક્ષત્રનો શુક્ર ભારે વરસાદ કરશે. મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. ચિત્રા અને સ્વાતી નક્ષત્રની અસર ગુજરાતમાં પણ થશે. પશ્ચિમ બંગાળમાં ચક્રવાત ઉદભવ છે, જેને લઈ ડિસેમ્બરમાં પણ માવઠું થઈ શકે છે. મુંબઇ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.


આ વિસ્તારોમાં માવઠાની આગાહી


અંબાલાલ પટેલે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાર વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. દરિયા કિનારાના ભાગો એટલે કે ગિર-સોમનાથ, વેરાવળ, જામનગર ઉપરાંત અમરેલીમાં પણ વરસાદ પડશે. આ માવઠું સિઝનનું ભારે માવઠું હશે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગર અને કચ્ચમાં પણ વરસાદ પડી શકે. અમુક ભાગમાં ચોમાસા જેવો ભારે કમોસમી વરસાદ પડશે. 


હવામાન વિભાગે પણ કરી છે આગાહી


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની જેમ જ હવામાન વિભાગે પણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 24 થી 27 નવેમ્બર દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 26 નવેમ્બરના રોજ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદના ઝાપટા પડવાની આગાહી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.