અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી, રાજ્યના આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના


  • Published By :
  • Published Date : 2023-11-24 20:36:08

રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવામાનમાં પલટો આવવાના અણસાર આપ્યો છે. ગુજરાતમાં શિયાળાની સીઝનમાં કમોસમી વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે.  અંબાલાલ પટેલે આગાહી કરી છે રાજ્યમાં ઠંડી અને ગરમીની બેવડી ઋતુની વચ્ચે હવે માવઠું પણ થશે. ગુજરાતમાં તારીખ 26થી 28ના રોજ માવઠું થશે. આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં ભારે ફેરફાર થવાની આગાહી કરતા અંબાલાલ પટેલે ખેડૂતોને પણ સાવધ રહેવાની અપીલ કરી છે.


શું કહ્યું અંબાલાલ પટેલે?


હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું કે, નક્ષત્રોની અસર ગુજરાત પર થશે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બની અસર થશે. તેમજ પૂર્વ ભારતમાં પણ અસર થઈ શકે છે. તેમના મતે આગામી દિવસોમાં ખગોળીય દ્રષ્ટિએ જોતા શુક્રના ભ્રમણના લીધે તારીખ 24 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સ્વાતી નક્ષત્રનો શુક્ર ભારે વરસાદ કરશે. મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. ચિત્રા અને સ્વાતી નક્ષત્રની અસર ગુજરાતમાં પણ થશે. પશ્ચિમ બંગાળમાં ચક્રવાત ઉદભવ છે, જેને લઈ ડિસેમ્બરમાં પણ માવઠું થઈ શકે છે. મુંબઇ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.


આ વિસ્તારોમાં માવઠાની આગાહી


અંબાલાલ પટેલે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાર વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. દરિયા કિનારાના ભાગો એટલે કે ગિર-સોમનાથ, વેરાવળ, જામનગર ઉપરાંત અમરેલીમાં પણ વરસાદ પડશે. આ માવઠું સિઝનનું ભારે માવઠું હશે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગર અને કચ્ચમાં પણ વરસાદ પડી શકે. અમુક ભાગમાં ચોમાસા જેવો ભારે કમોસમી વરસાદ પડશે. 


હવામાન વિભાગે પણ કરી છે આગાહી


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની જેમ જ હવામાન વિભાગે પણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 24 થી 27 નવેમ્બર દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 26 નવેમ્બરના રોજ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદના ઝાપટા પડવાની આગાહી છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.