અંબાલાલ પટેલની આગાહીઃ સપ્ટેમ્બરમાં જોવા મળશે મેઘરાજાની ધુઆધાર બેટિંગ, આ ભાગોમાં થશે મેઘમહેર


  • Published By :
  • Published Date : 2023-08-27 17:42:31

રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી સમયમાં સાનુકૂળ સ્થિતિ બનવાની આગાહી કરી છે. રાજ્યમાં ઓગસ્ટ મહિનાના અંતમાં વરસાદના કોઈ એંધાણ નથી. પરંતુ સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલે હિન્દ મહાસાગરનું અને બંગાળની ખાડીનું હવામાન નવી સિસ્ટમો બનાવવા માટે સારા સંજોગો બનવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સાથે તેમણે સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું કેવો વળાંક લેશે તે અંગે અને હવામાનમાં થનારા ફેરફારો અંગેની શક્યતાઓ વ્યક્ત કરી છે. ઓગસ્ટ માસમાં ચોમાસું ખેંચાયેલું રહ્યું છે ત્યારે હજુ વરસાદ માટે થોડો સમય રાહ જોવી પડશે. અંબાલાલ પટેલે સપ્ટેમ્બર માસમાં ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે. આ ઉપરાંત 13 અને 14 સપ્ટેમ્બર દરમિયાન અરબ સાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતા રહેશે. જેના પરિણામે ગરમીનું પ્રમાણ પણ વધી શકે છે. 


બંગાળના ઉપસાગરમાં વેલમાર્ક લો પ્રેશર બનશે


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, પૂર્વ-પશ્ચિમ મહાસાગરમાં જળવાયું ગરમ થવાના કારણે ઓગસ્ટ માસમાં વરસાદ થવાની સંભાવનાઓ નથી, પરંતુ હવે ધીરે-ધીરે સંજોગો સકારાત્મક બનશે. હિન્દ મહાસાગરનું હવામાન પણ સાનુકૂળ થશે. પૂર્વના દેશોમાં બનેલા ટ્રોપિકલ સ્ટોર્મના કારણે અરબ સાગરમાં બનેલો ભેજ ખેંચાઈ જાય છે. લગભગ 28-29 તારીખમાં આ ભેજ ખેંચાશે અને 30-31માં સિસ્ટમ્સ ધીમે-ધીમે મંદ પડશે. જોકે, 4-5 સપ્ટેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં તેના અવશેષરૂપી ગતિવિધિમાં વધારો થશે. આમ, બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થશે. વેલમાર્ક લો પ્રેશર બનશે અને જે ગતિવિધિના કારણે દેશના દક્ષિણપૂર્વના તટિય ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આ દરમિયાન દક્ષિણ ભારતના ભાગો, મહારાષ્ટ્ર, ઓરિસા, પૂર્વ રાજસ્થાન, પૂર્વ ઉત્તરપ્રદેશના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આ સાથે અંબાલાલ પટેલે ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરીને જણાવ્યું છે કે, સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં હવામાનમાં ફેરફાર થશે અને બીજા સપ્તાહમાં વરસાદ થવાની શક્યતાઓ છે. જેમાં ઉત્તર ગુજરાત, પંચમહાલના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, કચ્છના કેટલાક ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે.


13મી સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર વચ્ચે સખત ગરમી

 

અંબાલાલ પટેલે તારીખો સાથે આગાહી કરીને જણાવ્યું કે, તારીખ 13 અને 14 સપ્ટેમ્બરમાં અરબ સાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતાઓ રહેશે, અરબ સાગર અને બંગાળના ઉપસાગર સક્રિય થવાથી પહેલા અઠવાડિયામાં હવામાનમાં પલટો આવી શકે છે, જ્યારે બીજા અઠવાડિયામાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે. જોકે, ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાઓ પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે વર્ષની શરુઆતમાં આ વર્ષે ચોમાસું અટપટું રહેવાની અને કેટલાક હવામાનમાં પલટા આવવાની શક્યતાઓ વ્યક્ત કરી દીધી હતી. ત્યારે હવે ચોમાસા વચ્ચે ગરમી વધવાની સંભાવના વ્યક્ત કરી છે. 13મી સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર વચ્ચે ગરમી વધુ પડવાની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે. સખત ગરમી પડવાની આગાહી કરીને તેઓ જણાવે છે કે, કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 37-38 ડિગ્રી સેલ્સિયસ જવાની શક્યતાઓ છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.