Ambalal Patelએ વરસાદ તેમજ શિયાળાને લઈ કરી આગાહી, આ તારીખ બાદ અનુભવાશે કડકડતી ઠંડી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-02 17:07:00

સપ્ટેમ્બર મહિનામાં વરસાદે અનેક જિલ્લાઓમાં ભૂક્કા બોલાવ્યા છે. અનેક જગ્યાઓ પર એટલો વરસાદ થયો કે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું. ઉપરવાસમાં વરસાદ થવાને કારણે તેમજ ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાને કારણે ગુજરાતના અનેક ડેમોમાં પાણીની આવક ખૂબ થઈ હતી. અનેક ડેમો પોતાના મહત્તમ સપાટી પર પહોંચ્યા હતા. અનેક જિલ્લામાં એલર્ટ પણ જાહેર કરી દીધું હતું. ત્યારે હવે થોડા દિવસો બાદ ચોમાસુ વિદાય લેવાનું છે. ઓક્ટોબર મહિનામાં ચોમાસા સિઝનની પૂર્ણાહૂર્તિ થઈ જશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પરંતુ નવરાત્રી દરમિયાન ગુજરાતમાં ફરી એક વખત વરસાદની એન્ટ્રી થશે તેવી આગાહી અંબાલાલ પટેલે તેમજ હવામાન વિભાગે કરી છે. 


આવનાર દિવસોમાં વધી શકે છે ગરમીનું પ્રમાણ

ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. અનેક શહેરો એવા છે જ્યાં તાપમાન 37 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. તે ઉપરાંત આવનાર દિવસોમાં તાપમાન વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ તાપમાનનો પારો વધી રહ્યો છે. અમદાવાદમાં સામાન્ય કરતા 3 ડિગ્રી તાપમાન વધારે નોંધાયું છે. ત્યારે ગરમીને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગરમીને લઈ આગાહી કરી છે. અંબાલાલ કાકાએ આગાહી કરતા જણાવ્યું કે 5 ઓક્ટોબર સુધી ભારે ગરમી પડશે. મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 36 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગુજરાતના અનેક ભાગોમાં ગરમી 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 


નવરાત્રી દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસી શકે છે વરસાદ!

ગરમીને લઈને તેમણે આગાહી તો કરી છે પરંતુ ઓક્ટોબરમાં વરસાદ થશે તેવી આગાહી પણ અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે. 7 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. 12થી 14 ઓક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. નવરાત્રી દરમિયાન વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે. 15 ઓક્ટોબર આસપાસ વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે. આજ માટે હવામાન વિભાગે આગાહી કરી છે. 2 ઓક્ટોબરના રોજ સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 10મી ઓક્ટોબર આસપાસ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતા છે. જેને કારણે અમુક સ્થળો પર વરસાદ વરસી શકે છે. 


5 ફેબ્રુઆરી બાદ થશે કાતિલ ઠંડીનો અનુભવ 

ગુજરાતમાં શિયાળો ક્યારથી શરૂ થશે તેની આગાહી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. 19 ડિસેમ્બર બાદ હિમાલય પર ભારે હિમવર્ષાની થઈ શકે છે. આ ભારે હિમવર્ષાને કારણે ફેબ્રુઆરીમાં કડકડતી ઠંડીની શક્યતાઓ રહેલી છે. 5 ફેબ્રુઆરી બાદ કાતિલ ઠંડીનો અહેસાસ થઈ શકે છે.   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી