Ambalal Patelએ વરસાદ તેમજ શિયાળાને લઈ કરી આગાહી, આ તારીખ બાદ અનુભવાશે કડકડતી ઠંડી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-02 17:07:00

સપ્ટેમ્બર મહિનામાં વરસાદે અનેક જિલ્લાઓમાં ભૂક્કા બોલાવ્યા છે. અનેક જગ્યાઓ પર એટલો વરસાદ થયો કે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું. ઉપરવાસમાં વરસાદ થવાને કારણે તેમજ ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાને કારણે ગુજરાતના અનેક ડેમોમાં પાણીની આવક ખૂબ થઈ હતી. અનેક ડેમો પોતાના મહત્તમ સપાટી પર પહોંચ્યા હતા. અનેક જિલ્લામાં એલર્ટ પણ જાહેર કરી દીધું હતું. ત્યારે હવે થોડા દિવસો બાદ ચોમાસુ વિદાય લેવાનું છે. ઓક્ટોબર મહિનામાં ચોમાસા સિઝનની પૂર્ણાહૂર્તિ થઈ જશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પરંતુ નવરાત્રી દરમિયાન ગુજરાતમાં ફરી એક વખત વરસાદની એન્ટ્રી થશે તેવી આગાહી અંબાલાલ પટેલે તેમજ હવામાન વિભાગે કરી છે. 


આવનાર દિવસોમાં વધી શકે છે ગરમીનું પ્રમાણ

ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. અનેક શહેરો એવા છે જ્યાં તાપમાન 37 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. તે ઉપરાંત આવનાર દિવસોમાં તાપમાન વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ તાપમાનનો પારો વધી રહ્યો છે. અમદાવાદમાં સામાન્ય કરતા 3 ડિગ્રી તાપમાન વધારે નોંધાયું છે. ત્યારે ગરમીને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગરમીને લઈ આગાહી કરી છે. અંબાલાલ કાકાએ આગાહી કરતા જણાવ્યું કે 5 ઓક્ટોબર સુધી ભારે ગરમી પડશે. મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 36 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગુજરાતના અનેક ભાગોમાં ગરમી 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 


નવરાત્રી દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસી શકે છે વરસાદ!

ગરમીને લઈને તેમણે આગાહી તો કરી છે પરંતુ ઓક્ટોબરમાં વરસાદ થશે તેવી આગાહી પણ અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે. 7 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. 12થી 14 ઓક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. નવરાત્રી દરમિયાન વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે. 15 ઓક્ટોબર આસપાસ વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે. આજ માટે હવામાન વિભાગે આગાહી કરી છે. 2 ઓક્ટોબરના રોજ સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 10મી ઓક્ટોબર આસપાસ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતા છે. જેને કારણે અમુક સ્થળો પર વરસાદ વરસી શકે છે. 


5 ફેબ્રુઆરી બાદ થશે કાતિલ ઠંડીનો અનુભવ 

ગુજરાતમાં શિયાળો ક્યારથી શરૂ થશે તેની આગાહી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. 19 ડિસેમ્બર બાદ હિમાલય પર ભારે હિમવર્ષાની થઈ શકે છે. આ ભારે હિમવર્ષાને કારણે ફેબ્રુઆરીમાં કડકડતી ઠંડીની શક્યતાઓ રહેલી છે. 5 ફેબ્રુઆરી બાદ કાતિલ ઠંડીનો અહેસાસ થઈ શકે છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.