Ambalal Patelએ વરસાદ તેમજ શિયાળાને લઈ કરી આગાહી, આ તારીખ બાદ અનુભવાશે કડકડતી ઠંડી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-02 17:07:00

સપ્ટેમ્બર મહિનામાં વરસાદે અનેક જિલ્લાઓમાં ભૂક્કા બોલાવ્યા છે. અનેક જગ્યાઓ પર એટલો વરસાદ થયો કે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું. ઉપરવાસમાં વરસાદ થવાને કારણે તેમજ ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાને કારણે ગુજરાતના અનેક ડેમોમાં પાણીની આવક ખૂબ થઈ હતી. અનેક ડેમો પોતાના મહત્તમ સપાટી પર પહોંચ્યા હતા. અનેક જિલ્લામાં એલર્ટ પણ જાહેર કરી દીધું હતું. ત્યારે હવે થોડા દિવસો બાદ ચોમાસુ વિદાય લેવાનું છે. ઓક્ટોબર મહિનામાં ચોમાસા સિઝનની પૂર્ણાહૂર્તિ થઈ જશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પરંતુ નવરાત્રી દરમિયાન ગુજરાતમાં ફરી એક વખત વરસાદની એન્ટ્રી થશે તેવી આગાહી અંબાલાલ પટેલે તેમજ હવામાન વિભાગે કરી છે. 


આવનાર દિવસોમાં વધી શકે છે ગરમીનું પ્રમાણ

ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. અનેક શહેરો એવા છે જ્યાં તાપમાન 37 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. તે ઉપરાંત આવનાર દિવસોમાં તાપમાન વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ તાપમાનનો પારો વધી રહ્યો છે. અમદાવાદમાં સામાન્ય કરતા 3 ડિગ્રી તાપમાન વધારે નોંધાયું છે. ત્યારે ગરમીને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગરમીને લઈ આગાહી કરી છે. અંબાલાલ કાકાએ આગાહી કરતા જણાવ્યું કે 5 ઓક્ટોબર સુધી ભારે ગરમી પડશે. મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 36 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગુજરાતના અનેક ભાગોમાં ગરમી 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 


નવરાત્રી દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસી શકે છે વરસાદ!

ગરમીને લઈને તેમણે આગાહી તો કરી છે પરંતુ ઓક્ટોબરમાં વરસાદ થશે તેવી આગાહી પણ અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે. 7 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. 12થી 14 ઓક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. નવરાત્રી દરમિયાન વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે. 15 ઓક્ટોબર આસપાસ વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે. આજ માટે હવામાન વિભાગે આગાહી કરી છે. 2 ઓક્ટોબરના રોજ સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 10મી ઓક્ટોબર આસપાસ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતા છે. જેને કારણે અમુક સ્થળો પર વરસાદ વરસી શકે છે. 


5 ફેબ્રુઆરી બાદ થશે કાતિલ ઠંડીનો અનુભવ 

ગુજરાતમાં શિયાળો ક્યારથી શરૂ થશે તેની આગાહી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. 19 ડિસેમ્બર બાદ હિમાલય પર ભારે હિમવર્ષાની થઈ શકે છે. આ ભારે હિમવર્ષાને કારણે ફેબ્રુઆરીમાં કડકડતી ઠંડીની શક્યતાઓ રહેલી છે. 5 ફેબ્રુઆરી બાદ કાતિલ ઠંડીનો અહેસાસ થઈ શકે છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.