Gujaratમાં મેઘરાજાની જમાવટ, વરસાદને લઈ Ambalal Patelએ કરી એવી આગાહી કે ખેડૂતો થઈ જશે ખુશ! જાણો ક્યારે થશે વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-09-07 18:44:18

સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનો જેમ કોરો કટ સાબિત થયો તેવો કોરો કટ સપ્ટેમ્બર મહિનો સાબિત નહીં થાય. આ આગાહી સાંભળતા જ ધરતીપુત્રોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગાહી સાચી પણ સાબિત થઈ રહી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. 24 કલાકમાં પણ 112 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે અંબાલાલ પટેલે ફરી સારા વરસાદની આગાહી કરી છે. મજબૂત સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે. 


આ જિલ્લાઓમાં વરસી શકે છે આ તારીખો દરમિયાન વરસાદ

ગુજરાતમાં બે પ્રકારની આગાહી કરવામાં આવે છે. એક આગાહી જે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે અને બીજી આગાહી એ જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરાતી હોય છે. અંબાલાલ પટેલની આગાહી મુખ્યત્વે સાચી સાબિત થતી હોય છે. સપ્ટેમ્બરમાં કારો વરસાદ થશે તેવી આગાહી અનેક વખત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ત્યારે વરસાદને લઈ ફરી એક વખત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આગાહી પ્રમાણે હમણા મજબૂત સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે જેને કારણે આવનાર દિવસોમાં મેઘમહેર જોવા મળી શકે છે. 10 થી 14 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં સારો વરસાદ રહેશે તેવી આગાહી અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે. 


ઓક્ટોબરમાં વાવાઝોડું થશે સક્રિય! 

એક તરફ આપણે વરસાદની વાત કરી રહ્યા છીએ તો બીજી તરફ અંબાલાલ કાકાએ ચક્રવાતની આગાહી કરી છે. 20 સપ્ટેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે. તે ઉપરાંત હિંદ મહાસાગરનું વાતાવરણ પણ સાનુકુળ રહેશે. 10 ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે. ઓક્ટોબર મહિનામાં વાવાઝોડું સક્રિય થશે. મજબૂત સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના અનેક ભાગોમાં અનેક ઈંચ વરસાદ પણ વરસી શકે છે. અનેક જગ્યાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. કેટલાક ભાગોમાં તો પૂર જેવી સ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે. 


અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ 

મહત્વનું છે કે ગઈકાલથી ગુજરાતના હવામાનમાં ફેરફાર આવ્યો છે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે. વરસાદને કારણે ડેમની જળસપાટીમાં પણ વધારો થયો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. પાલડી, વાસણા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.