Gujaratમાં મેઘરાજાની જમાવટ, વરસાદને લઈ Ambalal Patelએ કરી એવી આગાહી કે ખેડૂતો થઈ જશે ખુશ! જાણો ક્યારે થશે વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-09-07 18:44:18

સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનો જેમ કોરો કટ સાબિત થયો તેવો કોરો કટ સપ્ટેમ્બર મહિનો સાબિત નહીં થાય. આ આગાહી સાંભળતા જ ધરતીપુત્રોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગાહી સાચી પણ સાબિત થઈ રહી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. 24 કલાકમાં પણ 112 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે અંબાલાલ પટેલે ફરી સારા વરસાદની આગાહી કરી છે. મજબૂત સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે. 


આ જિલ્લાઓમાં વરસી શકે છે આ તારીખો દરમિયાન વરસાદ

ગુજરાતમાં બે પ્રકારની આગાહી કરવામાં આવે છે. એક આગાહી જે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે અને બીજી આગાહી એ જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરાતી હોય છે. અંબાલાલ પટેલની આગાહી મુખ્યત્વે સાચી સાબિત થતી હોય છે. સપ્ટેમ્બરમાં કારો વરસાદ થશે તેવી આગાહી અનેક વખત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ત્યારે વરસાદને લઈ ફરી એક વખત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આગાહી પ્રમાણે હમણા મજબૂત સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે જેને કારણે આવનાર દિવસોમાં મેઘમહેર જોવા મળી શકે છે. 10 થી 14 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં સારો વરસાદ રહેશે તેવી આગાહી અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે. 


ઓક્ટોબરમાં વાવાઝોડું થશે સક્રિય! 

એક તરફ આપણે વરસાદની વાત કરી રહ્યા છીએ તો બીજી તરફ અંબાલાલ કાકાએ ચક્રવાતની આગાહી કરી છે. 20 સપ્ટેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે. તે ઉપરાંત હિંદ મહાસાગરનું વાતાવરણ પણ સાનુકુળ રહેશે. 10 ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે. ઓક્ટોબર મહિનામાં વાવાઝોડું સક્રિય થશે. મજબૂત સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના અનેક ભાગોમાં અનેક ઈંચ વરસાદ પણ વરસી શકે છે. અનેક જગ્યાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. કેટલાક ભાગોમાં તો પૂર જેવી સ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે. 


અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ 

મહત્વનું છે કે ગઈકાલથી ગુજરાતના હવામાનમાં ફેરફાર આવ્યો છે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે. વરસાદને કારણે ડેમની જળસપાટીમાં પણ વધારો થયો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. પાલડી, વાસણા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.