વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલે કહી આ વાત! હવામાન વિભાગે જણાવ્યું વાવાઝોડું ટકરાશે તે બાદ શું થશે? જાણો


  • Published By :
  • Published Date : 2023-06-13 12:59:49

વાવાઝોડાને લઈ સતત અપડેટ આવી રહી છે. વાવાઝોડાને કારણે અનેક જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. તો કોઈ જગ્યા પર ભારે પવન વહી રહ્યો છે. ગુજરાતમાં વાવાઝોડું ક્યારે ટકરાશે તે અંગે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે. તે મુજબ 15 તારીખ સાંજે વાવાઝોડું માંડવીથી લઈને કરાચીની વચ્ચે ટકરાઈ શકે છે. જખૌ બંદર નજીકથી આ વાવાઝોડું પસાર થઈ શકે છે. 


વાવાઝોડા ટકરાયા બાદ શું થશે અસર?

હવામાન વિભાગ દ્વારા બિપોરજોયને લઈ અપડેટ આપવામાં આવી રહી છે. મનોરમા મોહંતીએ આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે કચ્છના જખૌ બંદર ખાતે બિપોરજોય ટકરાઈ શકે છે અને તે વખતે પવનની ગતિ 125થી 135 કિલોમીટર પ્રતિકલાકની હોવાની સંભાવના છે. વાવાઝોડાને કારણે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. તે સિવાય તેમણે માછીમારોને 16 જૂન સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે. વાવાઝોડા ટકરાયા બાદ શું અસર થશે તેની માહિતી પણ મનોરમા મોહંતી દ્વારા આપવામાં આવી છે. જે મુજબ વાવાઝોડું ટકરાયા બાદ તે રાજસ્થાન તરફ જશે. જેને કારણે નોર્થ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.   



અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈ કરી આગાહી!

વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ જાણકારી આપી છે. આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે 14થી 16 જૂન સમગ્ર રાજ્ય માટે ધ્યાન રાખવું જરુરી છે. દરિયા કિનારાના જિલ્લાઓની સાથે ઉત્તર અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ વિસ્તારમાં 45 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને તમામ લોકોએ સાવચેતી રાખવી જરુરી છે. તે સિવાય પશ્ચિમ-ઉત્તરના ભાગોમાં ભારે પવન ફુંકાઈ શકે છે. વાવાઝોડાનું જોખમ જખૌ બંદર પર છે. પૂર્વ ગુજરાત અને રાજસ્થાનના ભાગો પર પણ વાવાઝોડાની અસર થશે. મધ્ય ગુજરાતમાં પણ પવનની અસર થશે.  



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?