વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલે કહી આ વાત! હવામાન વિભાગે જણાવ્યું વાવાઝોડું ટકરાશે તે બાદ શું થશે? જાણો


  • Published By :
  • Published Date : 2023-06-13 12:59:49

વાવાઝોડાને લઈ સતત અપડેટ આવી રહી છે. વાવાઝોડાને કારણે અનેક જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. તો કોઈ જગ્યા પર ભારે પવન વહી રહ્યો છે. ગુજરાતમાં વાવાઝોડું ક્યારે ટકરાશે તે અંગે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે. તે મુજબ 15 તારીખ સાંજે વાવાઝોડું માંડવીથી લઈને કરાચીની વચ્ચે ટકરાઈ શકે છે. જખૌ બંદર નજીકથી આ વાવાઝોડું પસાર થઈ શકે છે. 


વાવાઝોડા ટકરાયા બાદ શું થશે અસર?

હવામાન વિભાગ દ્વારા બિપોરજોયને લઈ અપડેટ આપવામાં આવી રહી છે. મનોરમા મોહંતીએ આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે કચ્છના જખૌ બંદર ખાતે બિપોરજોય ટકરાઈ શકે છે અને તે વખતે પવનની ગતિ 125થી 135 કિલોમીટર પ્રતિકલાકની હોવાની સંભાવના છે. વાવાઝોડાને કારણે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. તે સિવાય તેમણે માછીમારોને 16 જૂન સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે. વાવાઝોડા ટકરાયા બાદ શું અસર થશે તેની માહિતી પણ મનોરમા મોહંતી દ્વારા આપવામાં આવી છે. જે મુજબ વાવાઝોડું ટકરાયા બાદ તે રાજસ્થાન તરફ જશે. જેને કારણે નોર્થ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.   



અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈ કરી આગાહી!

વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ જાણકારી આપી છે. આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે 14થી 16 જૂન સમગ્ર રાજ્ય માટે ધ્યાન રાખવું જરુરી છે. દરિયા કિનારાના જિલ્લાઓની સાથે ઉત્તર અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ વિસ્તારમાં 45 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને તમામ લોકોએ સાવચેતી રાખવી જરુરી છે. તે સિવાય પશ્ચિમ-ઉત્તરના ભાગોમાં ભારે પવન ફુંકાઈ શકે છે. વાવાઝોડાનું જોખમ જખૌ બંદર પર છે. પૂર્વ ગુજરાત અને રાજસ્થાનના ભાગો પર પણ વાવાઝોડાની અસર થશે. મધ્ય ગુજરાતમાં પણ પવનની અસર થશે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.