ગુજરાતના હવામાનને લઈ અંબાલાલ પટેલે કરી આગાહી, આવનાર દિવસોમાં ઘટશે ઠંડીનું જોર!


  • Published By :
  • Published Date : 2023-02-02 11:39:06

રાજ્યમાં અનેક દિવસોથી કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. થોડા સમય પહેલા કમોસમી વરસાદ થયો હતો જેને કારણે સવારે અને રાત્રીના સમયે ઠંડીનો ચમકારો જોવા મળતો હતો. ત્યારે આગામી દિવસોમાં ઠંડીથી રાહત મળશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે તાપમાનમાં વધારો થઈ શકે છે. 


આવનાર બે ત્રણ દિવસ રહેશે ઠંડીનો ચમકારો  

આ વર્ષે લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. લોકોનું કહેવું છે અનેક વર્ષો બાદ રાજ્યમાં આવી ઠંડી પડી છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. થોડા દિવસો પહેલા અનેક શહેરોમાં કમોસમી વરસાદ પડયો હતો, કમોસમી વરસાદને કારણે ઠંડીથી આંશિક રાહત મળી હતી. પરંતુ એક બે દિવસથી ફરી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ઠંડીથી રાહત મળશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવામાં આવ્યું છે. આગામી બે-ત્રણ દિવસ તાપમાનનો પારો સતત ગગડતો રહેશે પરંતુ તે બાદ ઠંડી ધીમે ધીમે વિદાય લેશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.   


ફેબ્રુઆરી અંતમાં ધીરે ધીરે થશે ગરમીનું આગમાન 

આવનાર સમયમાં ધીમે ધીમે ગરમી પોતાનું જોર પકડશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં ઠંડી ધીરે ધીરે વિદાય લઈ લેશે જેને કારણે તાપમાનમાં વધારો થવાનો છે. આગામી સમયમાં લઘુતમ તાપમાન 40 ડિગ્રીની નજીક પહોંચી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય આગાહી પ્રમાણે આ ઉનાળો આકરો રહેવાનો છે. માર્ચ મહિનામાં ગરમીમાં વધારો થશે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.