ગુજરાતના હવામાનને લઈ અંબાલાલ પટેલે કરી આગાહી, આવનાર દિવસોમાં ઘટશે ઠંડીનું જોર!


  • Published By :
  • Published Date : 2023-02-02 11:39:06

રાજ્યમાં અનેક દિવસોથી કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. થોડા સમય પહેલા કમોસમી વરસાદ થયો હતો જેને કારણે સવારે અને રાત્રીના સમયે ઠંડીનો ચમકારો જોવા મળતો હતો. ત્યારે આગામી દિવસોમાં ઠંડીથી રાહત મળશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે તાપમાનમાં વધારો થઈ શકે છે. 


આવનાર બે ત્રણ દિવસ રહેશે ઠંડીનો ચમકારો  

આ વર્ષે લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. લોકોનું કહેવું છે અનેક વર્ષો બાદ રાજ્યમાં આવી ઠંડી પડી છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. થોડા દિવસો પહેલા અનેક શહેરોમાં કમોસમી વરસાદ પડયો હતો, કમોસમી વરસાદને કારણે ઠંડીથી આંશિક રાહત મળી હતી. પરંતુ એક બે દિવસથી ફરી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ઠંડીથી રાહત મળશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવામાં આવ્યું છે. આગામી બે-ત્રણ દિવસ તાપમાનનો પારો સતત ગગડતો રહેશે પરંતુ તે બાદ ઠંડી ધીમે ધીમે વિદાય લેશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.   


ફેબ્રુઆરી અંતમાં ધીરે ધીરે થશે ગરમીનું આગમાન 

આવનાર સમયમાં ધીમે ધીમે ગરમી પોતાનું જોર પકડશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં ઠંડી ધીરે ધીરે વિદાય લઈ લેશે જેને કારણે તાપમાનમાં વધારો થવાનો છે. આગામી સમયમાં લઘુતમ તાપમાન 40 ડિગ્રીની નજીક પહોંચી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય આગાહી પ્રમાણે આ ઉનાળો આકરો રહેવાનો છે. માર્ચ મહિનામાં ગરમીમાં વધારો થશે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.