ગુજરાતના હવામાનને લઈ અંબાલાલ પટેલે કરી આગાહી, આવનાર દિવસોમાં ઘટશે ઠંડીનું જોર!


  • Published By :
  • Published Date : 2023-02-02 11:39:06

રાજ્યમાં અનેક દિવસોથી કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. થોડા સમય પહેલા કમોસમી વરસાદ થયો હતો જેને કારણે સવારે અને રાત્રીના સમયે ઠંડીનો ચમકારો જોવા મળતો હતો. ત્યારે આગામી દિવસોમાં ઠંડીથી રાહત મળશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે તાપમાનમાં વધારો થઈ શકે છે. 


આવનાર બે ત્રણ દિવસ રહેશે ઠંડીનો ચમકારો  

આ વર્ષે લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. લોકોનું કહેવું છે અનેક વર્ષો બાદ રાજ્યમાં આવી ઠંડી પડી છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. થોડા દિવસો પહેલા અનેક શહેરોમાં કમોસમી વરસાદ પડયો હતો, કમોસમી વરસાદને કારણે ઠંડીથી આંશિક રાહત મળી હતી. પરંતુ એક બે દિવસથી ફરી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ઠંડીથી રાહત મળશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવામાં આવ્યું છે. આગામી બે-ત્રણ દિવસ તાપમાનનો પારો સતત ગગડતો રહેશે પરંતુ તે બાદ ઠંડી ધીમે ધીમે વિદાય લેશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.   


ફેબ્રુઆરી અંતમાં ધીરે ધીરે થશે ગરમીનું આગમાન 

આવનાર સમયમાં ધીમે ધીમે ગરમી પોતાનું જોર પકડશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં ઠંડી ધીરે ધીરે વિદાય લઈ લેશે જેને કારણે તાપમાનમાં વધારો થવાનો છે. આગામી સમયમાં લઘુતમ તાપમાન 40 ડિગ્રીની નજીક પહોંચી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય આગાહી પ્રમાણે આ ઉનાળો આકરો રહેવાનો છે. માર્ચ મહિનામાં ગરમીમાં વધારો થશે. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.