ગુજરાતના હવામાનને લઈ અંબાલાલ પટેલે કરી આગાહી, આવનાર દિવસોમાં ઘટશે ઠંડીનું જોર!


  • Published By :
  • Published Date : 2023-02-02 11:39:06

રાજ્યમાં અનેક દિવસોથી કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. થોડા સમય પહેલા કમોસમી વરસાદ થયો હતો જેને કારણે સવારે અને રાત્રીના સમયે ઠંડીનો ચમકારો જોવા મળતો હતો. ત્યારે આગામી દિવસોમાં ઠંડીથી રાહત મળશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે તાપમાનમાં વધારો થઈ શકે છે. 


આવનાર બે ત્રણ દિવસ રહેશે ઠંડીનો ચમકારો  

આ વર્ષે લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. લોકોનું કહેવું છે અનેક વર્ષો બાદ રાજ્યમાં આવી ઠંડી પડી છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. થોડા દિવસો પહેલા અનેક શહેરોમાં કમોસમી વરસાદ પડયો હતો, કમોસમી વરસાદને કારણે ઠંડીથી આંશિક રાહત મળી હતી. પરંતુ એક બે દિવસથી ફરી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ઠંડીથી રાહત મળશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવામાં આવ્યું છે. આગામી બે-ત્રણ દિવસ તાપમાનનો પારો સતત ગગડતો રહેશે પરંતુ તે બાદ ઠંડી ધીમે ધીમે વિદાય લેશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.   


ફેબ્રુઆરી અંતમાં ધીરે ધીરે થશે ગરમીનું આગમાન 

આવનાર સમયમાં ધીમે ધીમે ગરમી પોતાનું જોર પકડશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં ઠંડી ધીરે ધીરે વિદાય લઈ લેશે જેને કારણે તાપમાનમાં વધારો થવાનો છે. આગામી સમયમાં લઘુતમ તાપમાન 40 ડિગ્રીની નજીક પહોંચી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય આગાહી પ્રમાણે આ ઉનાળો આકરો રહેવાનો છે. માર્ચ મહિનામાં ગરમીમાં વધારો થશે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.