AMCએ એક જ દિવસમાં પકડ્યા રખડતા મૂકાયેલા આટલા ઢોરોને, અનેક ઢોરવાસ થયા ફૂલ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-02 14:33:48

રખડતા ઢોરનો ત્રાસ કેટલો વધી ગયો છે તે આપણે જાણીએ છીએ. ગમે ત્યારે રખડતા ઢોર આપણી પર હુમલો કરી શકે છે તેનો ડર લોકોને લાગે છે. હાઈકોર્ટ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જે અધિકારી આ કાર્યવાહી નથી કરતા તેમના નામ આપવા માટે પણ હાઈકોર્ટે આદેશ આપ્યો છે. હાઈકોર્ટની ટકોર બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. એએમસીએ ટ્વિટ કરી છે અને લખ્યું છે કે અમદાવાદ શહેરમાં પશુત્રાસ અટકાવવા માટે પોલિસી-2023નો અમલ શરૂ કરાયો છે. 1 નવેમ્બરની કાર્યવાહીમાં શહેરના 7 ઝોનમાંથી જાહેર સ્થળો પર રખડતા મૂકવામાં આવેલા 300 જેટલા પશુઓ પકડવામાં આવ્યા છે.  

ઢોર નિયંત્રણ પોલીસીમાં એએમસીએ કર્યો ફેરફાર 

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. રખડતા શ્વાન તેમજ રખડતા ઢોરને કારણે રાહદારીઓના જીવન પર સંકટ તોળાતું હોય છે. પરંતુ વાહનચાલકોને પણ રખડતા ઢોર અડફેટે લઈ લે છે જેને કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે અથવા તો મોતને ભેટે છે.  હાઈકોર્ટ આ મામલે એકદમ ગંભીર હોય તેવું લાગી રહ્યું છે. કડક કાર્યવાહી કરવા માટે તંત્ર દ્વારા શું પગલા લેવાયા છે તેનો હિસાબ હાઈકોર્ટે માગ્યો છે. હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. નિયંત્રણ પોલીસીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 


એક જ દિવસમાં 300 રખડતા ઢોર પકડાયા!

દરરોજ રખડતા ઢોર પર અમે સ્ટોરી લખતા હોઈએ છીએ. રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે વગેરે વગેરે... ત્યારે ગઈકાલે પણ એએમસી દ્વારા નવી પોલિસી અંતર્ગત રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જાહેર સ્થળ પર રાખવામાં આવેલા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. પહેલી નવેમ્બરના રોજ અમદાવાદ શહેરના સાત ઝોનમાંથી 300 પશુઓને પકડવામાં આવ્યા હતા ઉપરાંત 27870 કિલો ઘાસચારો જપ્ત કરાયો છે. મહત્વનું છે કે જો એએમસી માત્ર એક જ દિવસ 300 જેટલી ગાયોને પકડી શકે છે તો રસ્તા પર કેટલી ગાયો હશે જે ફરતી હશે...


ઢોરને પકડવા જતી ટીમ પર કરાયો હતો હુમલો 

મહત્વનું છે કે અનેક વખત એવા દ્રશ્યો પણ સામે આવતા હોય છે જેમાં ઢોર પકડવા માટે ટીમ જતી હોય છે તેમની પર હુમલો કરવામાં આવે છે. અમદાવાદમાં પણ એક બે દિવસ પહેલા એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ટીમ પર પોલીસની હાજરીમાં હુમલો કરાયો છે. ઢોરને પકડવા જ્યારે જ્યારે પણ ટીમ જાય છે ત્યારે તેમના જીવન પર જોખમ તોળાતું હોય છે. એવા પણ સમાચાર સામે આવ્યા છે કે અનેક પશુવાસ ફૂલ થઈ ગયા છે. ગાયોને રાખવા માટે જગ્યા નથી તેવી પણ માહિતી સામે આવી છે. જોવું એ રહ્યું કે તંત્રની આટલી કાર્યવાહી બાદ, હાઈકોર્ટની ફટકાર બાદ લોકોને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ મળે છે કે નહીં..



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.