AMCએ એક જ દિવસમાં પકડ્યા રખડતા મૂકાયેલા આટલા ઢોરોને, અનેક ઢોરવાસ થયા ફૂલ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-02 14:33:48

રખડતા ઢોરનો ત્રાસ કેટલો વધી ગયો છે તે આપણે જાણીએ છીએ. ગમે ત્યારે રખડતા ઢોર આપણી પર હુમલો કરી શકે છે તેનો ડર લોકોને લાગે છે. હાઈકોર્ટ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જે અધિકારી આ કાર્યવાહી નથી કરતા તેમના નામ આપવા માટે પણ હાઈકોર્ટે આદેશ આપ્યો છે. હાઈકોર્ટની ટકોર બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. એએમસીએ ટ્વિટ કરી છે અને લખ્યું છે કે અમદાવાદ શહેરમાં પશુત્રાસ અટકાવવા માટે પોલિસી-2023નો અમલ શરૂ કરાયો છે. 1 નવેમ્બરની કાર્યવાહીમાં શહેરના 7 ઝોનમાંથી જાહેર સ્થળો પર રખડતા મૂકવામાં આવેલા 300 જેટલા પશુઓ પકડવામાં આવ્યા છે.  

ઢોર નિયંત્રણ પોલીસીમાં એએમસીએ કર્યો ફેરફાર 

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. રખડતા શ્વાન તેમજ રખડતા ઢોરને કારણે રાહદારીઓના જીવન પર સંકટ તોળાતું હોય છે. પરંતુ વાહનચાલકોને પણ રખડતા ઢોર અડફેટે લઈ લે છે જેને કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે અથવા તો મોતને ભેટે છે.  હાઈકોર્ટ આ મામલે એકદમ ગંભીર હોય તેવું લાગી રહ્યું છે. કડક કાર્યવાહી કરવા માટે તંત્ર દ્વારા શું પગલા લેવાયા છે તેનો હિસાબ હાઈકોર્ટે માગ્યો છે. હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. નિયંત્રણ પોલીસીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 


એક જ દિવસમાં 300 રખડતા ઢોર પકડાયા!

દરરોજ રખડતા ઢોર પર અમે સ્ટોરી લખતા હોઈએ છીએ. રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે વગેરે વગેરે... ત્યારે ગઈકાલે પણ એએમસી દ્વારા નવી પોલિસી અંતર્ગત રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જાહેર સ્થળ પર રાખવામાં આવેલા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. પહેલી નવેમ્બરના રોજ અમદાવાદ શહેરના સાત ઝોનમાંથી 300 પશુઓને પકડવામાં આવ્યા હતા ઉપરાંત 27870 કિલો ઘાસચારો જપ્ત કરાયો છે. મહત્વનું છે કે જો એએમસી માત્ર એક જ દિવસ 300 જેટલી ગાયોને પકડી શકે છે તો રસ્તા પર કેટલી ગાયો હશે જે ફરતી હશે...


ઢોરને પકડવા જતી ટીમ પર કરાયો હતો હુમલો 

મહત્વનું છે કે અનેક વખત એવા દ્રશ્યો પણ સામે આવતા હોય છે જેમાં ઢોર પકડવા માટે ટીમ જતી હોય છે તેમની પર હુમલો કરવામાં આવે છે. અમદાવાદમાં પણ એક બે દિવસ પહેલા એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ટીમ પર પોલીસની હાજરીમાં હુમલો કરાયો છે. ઢોરને પકડવા જ્યારે જ્યારે પણ ટીમ જાય છે ત્યારે તેમના જીવન પર જોખમ તોળાતું હોય છે. એવા પણ સમાચાર સામે આવ્યા છે કે અનેક પશુવાસ ફૂલ થઈ ગયા છે. ગાયોને રાખવા માટે જગ્યા નથી તેવી પણ માહિતી સામે આવી છે. જોવું એ રહ્યું કે તંત્રની આટલી કાર્યવાહી બાદ, હાઈકોર્ટની ફટકાર બાદ લોકોને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ મળે છે કે નહીં..



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.