AMCએ એક જ દિવસમાં પકડ્યા રખડતા મૂકાયેલા આટલા ઢોરોને, અનેક ઢોરવાસ થયા ફૂલ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-02 14:33:48

રખડતા ઢોરનો ત્રાસ કેટલો વધી ગયો છે તે આપણે જાણીએ છીએ. ગમે ત્યારે રખડતા ઢોર આપણી પર હુમલો કરી શકે છે તેનો ડર લોકોને લાગે છે. હાઈકોર્ટ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જે અધિકારી આ કાર્યવાહી નથી કરતા તેમના નામ આપવા માટે પણ હાઈકોર્ટે આદેશ આપ્યો છે. હાઈકોર્ટની ટકોર બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. એએમસીએ ટ્વિટ કરી છે અને લખ્યું છે કે અમદાવાદ શહેરમાં પશુત્રાસ અટકાવવા માટે પોલિસી-2023નો અમલ શરૂ કરાયો છે. 1 નવેમ્બરની કાર્યવાહીમાં શહેરના 7 ઝોનમાંથી જાહેર સ્થળો પર રખડતા મૂકવામાં આવેલા 300 જેટલા પશુઓ પકડવામાં આવ્યા છે.  

ઢોર નિયંત્રણ પોલીસીમાં એએમસીએ કર્યો ફેરફાર 

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. રખડતા શ્વાન તેમજ રખડતા ઢોરને કારણે રાહદારીઓના જીવન પર સંકટ તોળાતું હોય છે. પરંતુ વાહનચાલકોને પણ રખડતા ઢોર અડફેટે લઈ લે છે જેને કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે અથવા તો મોતને ભેટે છે.  હાઈકોર્ટ આ મામલે એકદમ ગંભીર હોય તેવું લાગી રહ્યું છે. કડક કાર્યવાહી કરવા માટે તંત્ર દ્વારા શું પગલા લેવાયા છે તેનો હિસાબ હાઈકોર્ટે માગ્યો છે. હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. નિયંત્રણ પોલીસીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 


એક જ દિવસમાં 300 રખડતા ઢોર પકડાયા!

દરરોજ રખડતા ઢોર પર અમે સ્ટોરી લખતા હોઈએ છીએ. રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે વગેરે વગેરે... ત્યારે ગઈકાલે પણ એએમસી દ્વારા નવી પોલિસી અંતર્ગત રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જાહેર સ્થળ પર રાખવામાં આવેલા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. પહેલી નવેમ્બરના રોજ અમદાવાદ શહેરના સાત ઝોનમાંથી 300 પશુઓને પકડવામાં આવ્યા હતા ઉપરાંત 27870 કિલો ઘાસચારો જપ્ત કરાયો છે. મહત્વનું છે કે જો એએમસી માત્ર એક જ દિવસ 300 જેટલી ગાયોને પકડી શકે છે તો રસ્તા પર કેટલી ગાયો હશે જે ફરતી હશે...


ઢોરને પકડવા જતી ટીમ પર કરાયો હતો હુમલો 

મહત્વનું છે કે અનેક વખત એવા દ્રશ્યો પણ સામે આવતા હોય છે જેમાં ઢોર પકડવા માટે ટીમ જતી હોય છે તેમની પર હુમલો કરવામાં આવે છે. અમદાવાદમાં પણ એક બે દિવસ પહેલા એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ટીમ પર પોલીસની હાજરીમાં હુમલો કરાયો છે. ઢોરને પકડવા જ્યારે જ્યારે પણ ટીમ જાય છે ત્યારે તેમના જીવન પર જોખમ તોળાતું હોય છે. એવા પણ સમાચાર સામે આવ્યા છે કે અનેક પશુવાસ ફૂલ થઈ ગયા છે. ગાયોને રાખવા માટે જગ્યા નથી તેવી પણ માહિતી સામે આવી છે. જોવું એ રહ્યું કે તંત્રની આટલી કાર્યવાહી બાદ, હાઈકોર્ટની ફટકાર બાદ લોકોને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ મળે છે કે નહીં..



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.