AMC એક્શન મોડમાં, પેપર કપ બાદ ચાની કીટલીઓ પર પાર્સલમાં આપવામાં આવતી થેલી પર લાગશે પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2023-01-24 12:55:07

અમદાવાદમાં ચાની કીટલી પર મળતા પેપર કપ પર એએમસી દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આરોગ્ય માટે હાનિકારક હોવાને કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચાના કપ બંધ થતા ચાની કિંમતમાં વધારો થયો છે. ત્યારે એએમસી દ્વારા વધુ એક વસ્તુ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કીટલી પર પાર્સલમાં આપવામાં આવતી માઈક્રોનની પ્લાસ્ટિકની થેલીઓ બંધ કરવામાં આવશે. પાર્સલમાં 60 માઈક્રોનથી ઓછી જાડાઈની થેલી આપી નહીં શકાય. 

ચાહત અને ચા - રમેશ ઠકકર - કહુંબો


પેપર કપ પર લગાવાયો છે પ્રતિબંધ 

સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. અમદાવાદમાં સ્વચ્છતાને ધ્યાનમાં રાખી ચાની કીટલી પર મળતા પેપર કપ પર એએમસી દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જેને કારણે ચાની કીટલી પર મળતા પેપર કપ બંધ થઈ ગયા છે. પેપર કપ બંધ થતા ચાની કિંમતમાં વધારો થયો છે. 


60 માઈક્રોનથી નીચેની પ્લાસ્ટિક થેલી નહીં વાપરી શકાય 

ત્યારે એએમસી દ્વારા વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે.  નિર્ણય અંતર્ગત ચાની કીટલી પર 60 માઈક્રોનથી ઓછી પ્લાસ્ટિક બેગ  પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 60 માઈક્રોનથી ઓછી પ્લાસ્ટિક બેગને ડીકમ્પોસ કરવું અધરૂ છે. અને જેને કારણે પ્રદુષણ ફેલાય છે. આ વાતને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક અંદાજ પ્રમાણે એક દિવસમાં 20 લાખથી વધુ પેપરકપ ફેકવામાં આવે છે જેને કારણે ડ્રેનેજ સિસ્ટમમાં મુશ્કેલી ઉભી થાય છે. જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.       




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.