AMC એક્શન મોડમાં, પેપર કપ બાદ ચાની કીટલીઓ પર પાર્સલમાં આપવામાં આવતી થેલી પર લાગશે પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2023-01-24 12:55:07

અમદાવાદમાં ચાની કીટલી પર મળતા પેપર કપ પર એએમસી દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આરોગ્ય માટે હાનિકારક હોવાને કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચાના કપ બંધ થતા ચાની કિંમતમાં વધારો થયો છે. ત્યારે એએમસી દ્વારા વધુ એક વસ્તુ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કીટલી પર પાર્સલમાં આપવામાં આવતી માઈક્રોનની પ્લાસ્ટિકની થેલીઓ બંધ કરવામાં આવશે. પાર્સલમાં 60 માઈક્રોનથી ઓછી જાડાઈની થેલી આપી નહીં શકાય. 

ચાહત અને ચા - રમેશ ઠકકર - કહુંબો


પેપર કપ પર લગાવાયો છે પ્રતિબંધ 

સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. અમદાવાદમાં સ્વચ્છતાને ધ્યાનમાં રાખી ચાની કીટલી પર મળતા પેપર કપ પર એએમસી દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જેને કારણે ચાની કીટલી પર મળતા પેપર કપ બંધ થઈ ગયા છે. પેપર કપ બંધ થતા ચાની કિંમતમાં વધારો થયો છે. 


60 માઈક્રોનથી નીચેની પ્લાસ્ટિક થેલી નહીં વાપરી શકાય 

ત્યારે એએમસી દ્વારા વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે.  નિર્ણય અંતર્ગત ચાની કીટલી પર 60 માઈક્રોનથી ઓછી પ્લાસ્ટિક બેગ  પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 60 માઈક્રોનથી ઓછી પ્લાસ્ટિક બેગને ડીકમ્પોસ કરવું અધરૂ છે. અને જેને કારણે પ્રદુષણ ફેલાય છે. આ વાતને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક અંદાજ પ્રમાણે એક દિવસમાં 20 લાખથી વધુ પેપરકપ ફેકવામાં આવે છે જેને કારણે ડ્રેનેજ સિસ્ટમમાં મુશ્કેલી ઉભી થાય છે. જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.       




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.