AMCના આરોગ્ય વિભાગના પીપળજ સ્થિત કોલ્ડ સ્ટોરેજમાં દરોડા, 600 ટન જેટલો બટર અને ચીઝનો જથ્થો કર્યો જપ્ત


  • Published By :
  • Published Date : 2023-10-13 21:44:53

તહેવારની સીઝન ચાલી રહી છે ત્યારે દુધ અને દુધની બનાવટોમાં ભેળસેળ વધી રહી છે. ત્યારે સરકારનો આરોગ્યનો વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે. અમદાવાદમાં હવે ઘી અને પનીર બાદ  બટર અને ચીઝના એકમો પર કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે આજે પીપળજમાં આવેલા દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ એકમમાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાં દરોડા પાડવામાં આવ્યા હતા. AMCના આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરતાં 1 કરોડની કિંમતનો શંકાસ્પદ બટર અને ચીઝનો જથ્થો ઝડપી પાડ્યો છે. તમિલનાડુ અને રાજસ્થાન સહિત અલગ અલગ રાજ્યોમાંથી જથ્થો લવાયો હોવાનું સામે આવ્યું છે. બટરનો જથ્થો સીઝ કરી સેમ્પલ લેબમાં મોકલાયા છે.


600 ટન જેટલો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો


AMCના આરોગ્ય વિભાગેની કાર્યવાહી દરમિયાન સ્ટોરેજમાં અલગ અલગ કંપનીથી લવાયેલા ચીઝ, બટરના જથ્થાની તપાસ કરવામાં આવી હતી અને 600 ટન જેટલો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.દેશના વિવિધ રાજ્યોમાંથી વેચાણ અર્થે આવેલો આ જથ્થો કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે. આ શંકાસ્પદ જથ્થામાંથી 8 સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યાં છે.        


આ કંપનીઓનો બટર-ચીઝનો જથ્થો રાખવામાં આવ્યો હતો


વ્હાઇટ બટર - કોટા , રાજસ્થાન, લુઝ ચીઝ - ઉમિયા મિલ્ક પ્રોડક્ટ , સીટીએમ , અમદાવાદ ,પ્રોસેસ્ડ ચીઝ ક્યુબ , મિલ્કીમીસ્ટ - તમિલનાડુ વ્હાઇટ બટર , માહી બ્રાન્ડ -મહેસાણા, પેસ્ચયુરાઇસ્ડ વ્હાઇટ બટર , માહી બ્રાન્ડ સોલ્ટેડ ટેબલ બટર , મિલ્કીમીસ્ટ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલા આ બટર અને ચીઝનો 600 ટન શંકાસ્પદ જથ્થો સિઝ કરવાની સાથે 8 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેના ચકાસણી અર્થે અર્થે લેબમાં મોકલવામાં આવ્યાં છે.                   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.