AMCના આરોગ્ય વિભાગના પીપળજ સ્થિત કોલ્ડ સ્ટોરેજમાં દરોડા, 600 ટન જેટલો બટર અને ચીઝનો જથ્થો કર્યો જપ્ત


  • Published By :
  • Published Date : 2023-10-13 21:44:53

તહેવારની સીઝન ચાલી રહી છે ત્યારે દુધ અને દુધની બનાવટોમાં ભેળસેળ વધી રહી છે. ત્યારે સરકારનો આરોગ્યનો વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે. અમદાવાદમાં હવે ઘી અને પનીર બાદ  બટર અને ચીઝના એકમો પર કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે આજે પીપળજમાં આવેલા દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ એકમમાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાં દરોડા પાડવામાં આવ્યા હતા. AMCના આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરતાં 1 કરોડની કિંમતનો શંકાસ્પદ બટર અને ચીઝનો જથ્થો ઝડપી પાડ્યો છે. તમિલનાડુ અને રાજસ્થાન સહિત અલગ અલગ રાજ્યોમાંથી જથ્થો લવાયો હોવાનું સામે આવ્યું છે. બટરનો જથ્થો સીઝ કરી સેમ્પલ લેબમાં મોકલાયા છે.


600 ટન જેટલો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો


AMCના આરોગ્ય વિભાગેની કાર્યવાહી દરમિયાન સ્ટોરેજમાં અલગ અલગ કંપનીથી લવાયેલા ચીઝ, બટરના જથ્થાની તપાસ કરવામાં આવી હતી અને 600 ટન જેટલો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.દેશના વિવિધ રાજ્યોમાંથી વેચાણ અર્થે આવેલો આ જથ્થો કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે. આ શંકાસ્પદ જથ્થામાંથી 8 સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યાં છે.        


આ કંપનીઓનો બટર-ચીઝનો જથ્થો રાખવામાં આવ્યો હતો


વ્હાઇટ બટર - કોટા , રાજસ્થાન, લુઝ ચીઝ - ઉમિયા મિલ્ક પ્રોડક્ટ , સીટીએમ , અમદાવાદ ,પ્રોસેસ્ડ ચીઝ ક્યુબ , મિલ્કીમીસ્ટ - તમિલનાડુ વ્હાઇટ બટર , માહી બ્રાન્ડ -મહેસાણા, પેસ્ચયુરાઇસ્ડ વ્હાઇટ બટર , માહી બ્રાન્ડ સોલ્ટેડ ટેબલ બટર , મિલ્કીમીસ્ટ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલા આ બટર અને ચીઝનો 600 ટન શંકાસ્પદ જથ્થો સિઝ કરવાની સાથે 8 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેના ચકાસણી અર્થે અર્થે લેબમાં મોકલવામાં આવ્યાં છે.                   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.