AMCના આરોગ્ય વિભાગના પીપળજ સ્થિત કોલ્ડ સ્ટોરેજમાં દરોડા, 600 ટન જેટલો બટર અને ચીઝનો જથ્થો કર્યો જપ્ત


  • Published By :
  • Published Date : 2023-10-13 21:44:53

તહેવારની સીઝન ચાલી રહી છે ત્યારે દુધ અને દુધની બનાવટોમાં ભેળસેળ વધી રહી છે. ત્યારે સરકારનો આરોગ્યનો વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે. અમદાવાદમાં હવે ઘી અને પનીર બાદ  બટર અને ચીઝના એકમો પર કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે આજે પીપળજમાં આવેલા દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ એકમમાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાં દરોડા પાડવામાં આવ્યા હતા. AMCના આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરતાં 1 કરોડની કિંમતનો શંકાસ્પદ બટર અને ચીઝનો જથ્થો ઝડપી પાડ્યો છે. તમિલનાડુ અને રાજસ્થાન સહિત અલગ અલગ રાજ્યોમાંથી જથ્થો લવાયો હોવાનું સામે આવ્યું છે. બટરનો જથ્થો સીઝ કરી સેમ્પલ લેબમાં મોકલાયા છે.


600 ટન જેટલો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો


AMCના આરોગ્ય વિભાગેની કાર્યવાહી દરમિયાન સ્ટોરેજમાં અલગ અલગ કંપનીથી લવાયેલા ચીઝ, બટરના જથ્થાની તપાસ કરવામાં આવી હતી અને 600 ટન જેટલો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.દેશના વિવિધ રાજ્યોમાંથી વેચાણ અર્થે આવેલો આ જથ્થો કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે. આ શંકાસ્પદ જથ્થામાંથી 8 સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યાં છે.        


આ કંપનીઓનો બટર-ચીઝનો જથ્થો રાખવામાં આવ્યો હતો


વ્હાઇટ બટર - કોટા , રાજસ્થાન, લુઝ ચીઝ - ઉમિયા મિલ્ક પ્રોડક્ટ , સીટીએમ , અમદાવાદ ,પ્રોસેસ્ડ ચીઝ ક્યુબ , મિલ્કીમીસ્ટ - તમિલનાડુ વ્હાઇટ બટર , માહી બ્રાન્ડ -મહેસાણા, પેસ્ચયુરાઇસ્ડ વ્હાઇટ બટર , માહી બ્રાન્ડ સોલ્ટેડ ટેબલ બટર , મિલ્કીમીસ્ટ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલા આ બટર અને ચીઝનો 600 ટન શંકાસ્પદ જથ્થો સિઝ કરવાની સાથે 8 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેના ચકાસણી અર્થે અર્થે લેબમાં મોકલવામાં આવ્યાં છે.                   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી