દર ગુરૂવારે AMC કરશે ડ્રાય ડેની ઉજવણી


  • Published By :
  • Published Date : 2022-11-11 17:18:37

અમદાવાદમાં હાલ ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં શિયાળાની ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે. શહેરમાં ડેન્ગ્યુના કેસ સામે આવી રહ્યા છે. જેને અટકાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પગલા લેવાઈ રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા કેસોને નિયંત્રણ લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત અઠવાડિયામાં એકવાર મચ્છર નાબુદી અભિયાન ચલાવશે. દર ગુરૂવારે સાત ઝોનના તમામ વોર્ડમાં આવેલા ઘરોની મુલાકાત લેશે. અને ઘરમાં રહેલા પાત્રોની ચકાસણી કરશે.


amcના અધિકારીઓ અભિયાનમાં જોડાયા

મચ્છર નાબુદી અભિયાનની કરાઈ શરૂઆત

આજકાલ મચ્છરજન્ય રોગ ચાળો વધી રહ્યો છે. અનેક લોકો મચ્છરજન્ય રોગનો શિકાર બની રહ્યા છે. મેલેરિયાથી અનેક લોકો બિમાર થઈ રહ્યા છે. મચ્છરજન્ય રોગો પર નિયંત્રણ રાખવા તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. ડેન્ગ્યુના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ડેન્ગ્યુને અટકાવવા તંત્ર દ્વારા દર ગુરૂવારના દિવસે ડ્રાય ડેની ઉજવણી કરવામાં આવશે. તંત્ર દ્વારા મચ્છર નાબુદી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.             




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.