દર ગુરૂવારે AMC કરશે ડ્રાય ડેની ઉજવણી


  • Published By :
  • Published Date : 2022-11-11 17:18:37

અમદાવાદમાં હાલ ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં શિયાળાની ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે. શહેરમાં ડેન્ગ્યુના કેસ સામે આવી રહ્યા છે. જેને અટકાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પગલા લેવાઈ રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા કેસોને નિયંત્રણ લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત અઠવાડિયામાં એકવાર મચ્છર નાબુદી અભિયાન ચલાવશે. દર ગુરૂવારે સાત ઝોનના તમામ વોર્ડમાં આવેલા ઘરોની મુલાકાત લેશે. અને ઘરમાં રહેલા પાત્રોની ચકાસણી કરશે.


amcના અધિકારીઓ અભિયાનમાં જોડાયા

મચ્છર નાબુદી અભિયાનની કરાઈ શરૂઆત

આજકાલ મચ્છરજન્ય રોગ ચાળો વધી રહ્યો છે. અનેક લોકો મચ્છરજન્ય રોગનો શિકાર બની રહ્યા છે. મેલેરિયાથી અનેક લોકો બિમાર થઈ રહ્યા છે. મચ્છરજન્ય રોગો પર નિયંત્રણ રાખવા તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. ડેન્ગ્યુના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ડેન્ગ્યુને અટકાવવા તંત્ર દ્વારા દર ગુરૂવારના દિવસે ડ્રાય ડેની ઉજવણી કરવામાં આવશે. તંત્ર દ્વારા મચ્છર નાબુદી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.             




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"