દર ગુરૂવારે AMC કરશે ડ્રાય ડેની ઉજવણી


  • Published By :
  • Published Date : 2022-11-11 17:18:37

અમદાવાદમાં હાલ ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં શિયાળાની ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે. શહેરમાં ડેન્ગ્યુના કેસ સામે આવી રહ્યા છે. જેને અટકાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પગલા લેવાઈ રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા કેસોને નિયંત્રણ લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત અઠવાડિયામાં એકવાર મચ્છર નાબુદી અભિયાન ચલાવશે. દર ગુરૂવારે સાત ઝોનના તમામ વોર્ડમાં આવેલા ઘરોની મુલાકાત લેશે. અને ઘરમાં રહેલા પાત્રોની ચકાસણી કરશે.


amcના અધિકારીઓ અભિયાનમાં જોડાયા

મચ્છર નાબુદી અભિયાનની કરાઈ શરૂઆત

આજકાલ મચ્છરજન્ય રોગ ચાળો વધી રહ્યો છે. અનેક લોકો મચ્છરજન્ય રોગનો શિકાર બની રહ્યા છે. મેલેરિયાથી અનેક લોકો બિમાર થઈ રહ્યા છે. મચ્છરજન્ય રોગો પર નિયંત્રણ રાખવા તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. ડેન્ગ્યુના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ડેન્ગ્યુને અટકાવવા તંત્ર દ્વારા દર ગુરૂવારના દિવસે ડ્રાય ડેની ઉજવણી કરવામાં આવશે. તંત્ર દ્વારા મચ્છર નાબુદી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.             




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.