દર ગુરૂવારે AMC કરશે ડ્રાય ડેની ઉજવણી


  • Published By :
  • Published Date : 2022-11-11 17:18:37

અમદાવાદમાં હાલ ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં શિયાળાની ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે. શહેરમાં ડેન્ગ્યુના કેસ સામે આવી રહ્યા છે. જેને અટકાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પગલા લેવાઈ રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા કેસોને નિયંત્રણ લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત અઠવાડિયામાં એકવાર મચ્છર નાબુદી અભિયાન ચલાવશે. દર ગુરૂવારે સાત ઝોનના તમામ વોર્ડમાં આવેલા ઘરોની મુલાકાત લેશે. અને ઘરમાં રહેલા પાત્રોની ચકાસણી કરશે.


amcના અધિકારીઓ અભિયાનમાં જોડાયા

મચ્છર નાબુદી અભિયાનની કરાઈ શરૂઆત

આજકાલ મચ્છરજન્ય રોગ ચાળો વધી રહ્યો છે. અનેક લોકો મચ્છરજન્ય રોગનો શિકાર બની રહ્યા છે. મેલેરિયાથી અનેક લોકો બિમાર થઈ રહ્યા છે. મચ્છરજન્ય રોગો પર નિયંત્રણ રાખવા તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. ડેન્ગ્યુના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ડેન્ગ્યુને અટકાવવા તંત્ર દ્વારા દર ગુરૂવારના દિવસે ડ્રાય ડેની ઉજવણી કરવામાં આવશે. તંત્ર દ્વારા મચ્છર નાબુદી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.             




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.