સફાઈ જળવાય તે માટે એએમસી લેશે પગલાં, અમદાવાદમાં સોસાયટી બહાર કચરો નાખ્યો તો થશે આટલા હજારનો દંડ!


  • Published By :
  • Published Date : 2023-03-29 11:13:54

સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાનની વાતો કરવામાં આવી છે. દેશભરમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ એવી અનેક જગ્યાઓ છે જ્યાં સ્વચ્છતાની જગ્યાએ કચરો જોવા મળતો હોય છે. અમદાવાદમાં પણ એવી અનેક સોસાયટીઓ હોય જ્યાં એન્ટરન્સ પર કચરો જોવા મળતો હોય છે. અનેક સોસાયટી બહાર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે ત્યારે અમદાવાદમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે એએમસી કડક બન્યું છે. મ્યુનિસિપિલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે જે શહેરભરમાં ફરશે. સોસાયટીની બહાર કચરો જોવા મળશે તો દંડ ફટકારવામાં આવશે. 10 હજાર જેટલો દંડ ફટકારવામાં આવી શકે છે.


સોસાયટી બહાર કચરો નાખતા પહેલા ચેતી જજો  

કહેવાય છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. દેશમાં સાફ સફાઈ રહે તે માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ એવી અનેક જગ્યાઓ છે જ્યાં સફાઈની બદલીમાં ગંદકી જોવા મળતી હોય છે. અમદાવાદમાં અનેક સોસાયટીઓ બહાર કચરો નાખેલો જોવા મળતો હોય છે. સોસાયટી બહાર કચરો જોવા મળશે તો દંડ કરવામાં આવશે. 


એએમસીની ટીમોને કરાઈ તૈનાત 

અમદાવાદમાં સ્વચ્છતા રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન એક્શન મોડમાં આવી ગઈ છે. આજથી અમદાવાદની કોઈ સોસાયટીની બહાર કચરો હશે તો 10 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. તે ઉપરાંત કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિકની બેગમાં પેક કરાયેલા ખાદ્ય પદાર્થ સહિતની વિવિધ વસ્તુઓ વેચતા એકમો પર પણ નજર રાખવામાં આવશે. કચરાના વેસ્ટમાંથી પ્લાસ્ટિકનો કચરો ત્વરિત લેવા સૂચના આપવામાં આવી છે. અનેક જગ્યાઓ પરથી ચાના કપ પણ મળી આવે છે. મળતી માહિતી અનુસાર હજુ પણ રોજના 20 લાખ જેટલા ચાના કપ મળી આવે છે. એવામાં એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની આ ટીમો દ્વારા આ અંગે પણ ઝુંબેશ ચલાવવામાં આવશે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે