સફાઈ જળવાય તે માટે એએમસી લેશે પગલાં, અમદાવાદમાં સોસાયટી બહાર કચરો નાખ્યો તો થશે આટલા હજારનો દંડ!


  • Published By :
  • Published Date : 2023-03-29 11:13:54

સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાનની વાતો કરવામાં આવી છે. દેશભરમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ એવી અનેક જગ્યાઓ છે જ્યાં સ્વચ્છતાની જગ્યાએ કચરો જોવા મળતો હોય છે. અમદાવાદમાં પણ એવી અનેક સોસાયટીઓ હોય જ્યાં એન્ટરન્સ પર કચરો જોવા મળતો હોય છે. અનેક સોસાયટી બહાર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે ત્યારે અમદાવાદમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે એએમસી કડક બન્યું છે. મ્યુનિસિપિલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે જે શહેરભરમાં ફરશે. સોસાયટીની બહાર કચરો જોવા મળશે તો દંડ ફટકારવામાં આવશે. 10 હજાર જેટલો દંડ ફટકારવામાં આવી શકે છે.


સોસાયટી બહાર કચરો નાખતા પહેલા ચેતી જજો  

કહેવાય છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. દેશમાં સાફ સફાઈ રહે તે માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ એવી અનેક જગ્યાઓ છે જ્યાં સફાઈની બદલીમાં ગંદકી જોવા મળતી હોય છે. અમદાવાદમાં અનેક સોસાયટીઓ બહાર કચરો નાખેલો જોવા મળતો હોય છે. સોસાયટી બહાર કચરો જોવા મળશે તો દંડ કરવામાં આવશે. 


એએમસીની ટીમોને કરાઈ તૈનાત 

અમદાવાદમાં સ્વચ્છતા રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન એક્શન મોડમાં આવી ગઈ છે. આજથી અમદાવાદની કોઈ સોસાયટીની બહાર કચરો હશે તો 10 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. તે ઉપરાંત કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિકની બેગમાં પેક કરાયેલા ખાદ્ય પદાર્થ સહિતની વિવિધ વસ્તુઓ વેચતા એકમો પર પણ નજર રાખવામાં આવશે. કચરાના વેસ્ટમાંથી પ્લાસ્ટિકનો કચરો ત્વરિત લેવા સૂચના આપવામાં આવી છે. અનેક જગ્યાઓ પરથી ચાના કપ પણ મળી આવે છે. મળતી માહિતી અનુસાર હજુ પણ રોજના 20 લાખ જેટલા ચાના કપ મળી આવે છે. એવામાં એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની આ ટીમો દ્વારા આ અંગે પણ ઝુંબેશ ચલાવવામાં આવશે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.