સફાઈ જળવાય તે માટે એએમસી લેશે પગલાં, અમદાવાદમાં સોસાયટી બહાર કચરો નાખ્યો તો થશે આટલા હજારનો દંડ!


  • Published By :
  • Published Date : 2023-03-29 11:13:54

સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાનની વાતો કરવામાં આવી છે. દેશભરમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ એવી અનેક જગ્યાઓ છે જ્યાં સ્વચ્છતાની જગ્યાએ કચરો જોવા મળતો હોય છે. અમદાવાદમાં પણ એવી અનેક સોસાયટીઓ હોય જ્યાં એન્ટરન્સ પર કચરો જોવા મળતો હોય છે. અનેક સોસાયટી બહાર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે ત્યારે અમદાવાદમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે એએમસી કડક બન્યું છે. મ્યુનિસિપિલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે જે શહેરભરમાં ફરશે. સોસાયટીની બહાર કચરો જોવા મળશે તો દંડ ફટકારવામાં આવશે. 10 હજાર જેટલો દંડ ફટકારવામાં આવી શકે છે.


સોસાયટી બહાર કચરો નાખતા પહેલા ચેતી જજો  

કહેવાય છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. દેશમાં સાફ સફાઈ રહે તે માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ એવી અનેક જગ્યાઓ છે જ્યાં સફાઈની બદલીમાં ગંદકી જોવા મળતી હોય છે. અમદાવાદમાં અનેક સોસાયટીઓ બહાર કચરો નાખેલો જોવા મળતો હોય છે. સોસાયટી બહાર કચરો જોવા મળશે તો દંડ કરવામાં આવશે. 


એએમસીની ટીમોને કરાઈ તૈનાત 

અમદાવાદમાં સ્વચ્છતા રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન એક્શન મોડમાં આવી ગઈ છે. આજથી અમદાવાદની કોઈ સોસાયટીની બહાર કચરો હશે તો 10 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. તે ઉપરાંત કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિકની બેગમાં પેક કરાયેલા ખાદ્ય પદાર્થ સહિતની વિવિધ વસ્તુઓ વેચતા એકમો પર પણ નજર રાખવામાં આવશે. કચરાના વેસ્ટમાંથી પ્લાસ્ટિકનો કચરો ત્વરિત લેવા સૂચના આપવામાં આવી છે. અનેક જગ્યાઓ પરથી ચાના કપ પણ મળી આવે છે. મળતી માહિતી અનુસાર હજુ પણ રોજના 20 લાખ જેટલા ચાના કપ મળી આવે છે. એવામાં એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની આ ટીમો દ્વારા આ અંગે પણ ઝુંબેશ ચલાવવામાં આવશે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.