મોંઘવારી વચ્ચે RBIએ રેપો રેટમાં કર્યો વધારો, જેને લઈ તમામ લોન થશે મોંઘી


  • Published By :
  • Published Date : 2023-02-08 11:03:14

આરબીઆઈએ ફરી એક વખત રેપો રેટમાં વધારો કર્યો છે. નાણાકીય વર્ષ 2022-23 માટે ભારતીય રિઝર્વ બેંકની છેલ્લી ક્રેકિટ પોલીસીના નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત રેપો રેટના દરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે.આરબીઆઈના ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવેલા ઉતાર-ચઢાવ અને ફૂગાવાના આંકડાની અસર થઈ રહી છે.

  

છઠ્ઠી વખત વધ્યા રેપો રેટ 

રેપો રેટમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. છઠ્ઠી વખત આરબીઆઈ દ્વારા રેપોરેટમાં વધારો કરાયો છે. આ વખતે રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે જેને કારણે રેપો રેટ 6.25 ટકા વધીને 6.50 ટકા થઈ ગઈ છે. આ નિર્ણયને કારણે હોમ લોનની ઈએમઆઈમાં વધારો થશે. ભારતીય રિઝર્વ બેંકે મે મહિનામાં 0.40 ટકા, જૂનમાં 0.50 ટકા, ઓગસ્ટમાં પણ 0.50 ટકા અને સપ્ટેમ્બરમાં પણ 0.50 ટકાની વૃદ્ધિ કરવામાં આવી છે. ડિસેમ્બરમાં 0.35 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને આજે એટલે કે ફ્રેબ્રુઆરી મહિનામાં 0.25 ટકાનો વધારો કરાયો છે. જેને કારણે રેપો રેટ 6.25 ટકાથી વધારીને 6.50 ટકા કરવામાં આવી છે. આ નિર્ણય અંગે શક્તિકાંત દાસે જાણકારી આપી હતી.

      


આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.