મોંઘવારી વચ્ચે RBIએ રેપો રેટમાં કર્યો વધારો, જેને લઈ તમામ લોન થશે મોંઘી


  • Published By :
  • Published Date : 2023-02-08 11:03:14

આરબીઆઈએ ફરી એક વખત રેપો રેટમાં વધારો કર્યો છે. નાણાકીય વર્ષ 2022-23 માટે ભારતીય રિઝર્વ બેંકની છેલ્લી ક્રેકિટ પોલીસીના નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત રેપો રેટના દરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે.આરબીઆઈના ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવેલા ઉતાર-ચઢાવ અને ફૂગાવાના આંકડાની અસર થઈ રહી છે.

  

છઠ્ઠી વખત વધ્યા રેપો રેટ 

રેપો રેટમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. છઠ્ઠી વખત આરબીઆઈ દ્વારા રેપોરેટમાં વધારો કરાયો છે. આ વખતે રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે જેને કારણે રેપો રેટ 6.25 ટકા વધીને 6.50 ટકા થઈ ગઈ છે. આ નિર્ણયને કારણે હોમ લોનની ઈએમઆઈમાં વધારો થશે. ભારતીય રિઝર્વ બેંકે મે મહિનામાં 0.40 ટકા, જૂનમાં 0.50 ટકા, ઓગસ્ટમાં પણ 0.50 ટકા અને સપ્ટેમ્બરમાં પણ 0.50 ટકાની વૃદ્ધિ કરવામાં આવી છે. ડિસેમ્બરમાં 0.35 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને આજે એટલે કે ફ્રેબ્રુઆરી મહિનામાં 0.25 ટકાનો વધારો કરાયો છે. જેને કારણે રેપો રેટ 6.25 ટકાથી વધારીને 6.50 ટકા કરવામાં આવી છે. આ નિર્ણય અંગે શક્તિકાંત દાસે જાણકારી આપી હતી.

      


પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.