મોંઘવારી વચ્ચે RBIએ રેપો રેટમાં કર્યો વધારો, જેને લઈ તમામ લોન થશે મોંઘી


  • Published By :
  • Published Date : 2023-02-08 11:03:14

આરબીઆઈએ ફરી એક વખત રેપો રેટમાં વધારો કર્યો છે. નાણાકીય વર્ષ 2022-23 માટે ભારતીય રિઝર્વ બેંકની છેલ્લી ક્રેકિટ પોલીસીના નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત રેપો રેટના દરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે.આરબીઆઈના ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવેલા ઉતાર-ચઢાવ અને ફૂગાવાના આંકડાની અસર થઈ રહી છે.

  

છઠ્ઠી વખત વધ્યા રેપો રેટ 

રેપો રેટમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. છઠ્ઠી વખત આરબીઆઈ દ્વારા રેપોરેટમાં વધારો કરાયો છે. આ વખતે રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે જેને કારણે રેપો રેટ 6.25 ટકા વધીને 6.50 ટકા થઈ ગઈ છે. આ નિર્ણયને કારણે હોમ લોનની ઈએમઆઈમાં વધારો થશે. ભારતીય રિઝર્વ બેંકે મે મહિનામાં 0.40 ટકા, જૂનમાં 0.50 ટકા, ઓગસ્ટમાં પણ 0.50 ટકા અને સપ્ટેમ્બરમાં પણ 0.50 ટકાની વૃદ્ધિ કરવામાં આવી છે. ડિસેમ્બરમાં 0.35 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને આજે એટલે કે ફ્રેબ્રુઆરી મહિનામાં 0.25 ટકાનો વધારો કરાયો છે. જેને કારણે રેપો રેટ 6.25 ટકાથી વધારીને 6.50 ટકા કરવામાં આવી છે. આ નિર્ણય અંગે શક્તિકાંત દાસે જાણકારી આપી હતી.

      


રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.