મોંઘવારી વચ્ચે RBIએ રેપો રેટમાં કર્યો વધારો, જેને લઈ તમામ લોન થશે મોંઘી


  • Published By :
  • Published Date : 2023-02-08 11:03:14

આરબીઆઈએ ફરી એક વખત રેપો રેટમાં વધારો કર્યો છે. નાણાકીય વર્ષ 2022-23 માટે ભારતીય રિઝર્વ બેંકની છેલ્લી ક્રેકિટ પોલીસીના નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત રેપો રેટના દરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે.આરબીઆઈના ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવેલા ઉતાર-ચઢાવ અને ફૂગાવાના આંકડાની અસર થઈ રહી છે.

  

છઠ્ઠી વખત વધ્યા રેપો રેટ 

રેપો રેટમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. છઠ્ઠી વખત આરબીઆઈ દ્વારા રેપોરેટમાં વધારો કરાયો છે. આ વખતે રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે જેને કારણે રેપો રેટ 6.25 ટકા વધીને 6.50 ટકા થઈ ગઈ છે. આ નિર્ણયને કારણે હોમ લોનની ઈએમઆઈમાં વધારો થશે. ભારતીય રિઝર્વ બેંકે મે મહિનામાં 0.40 ટકા, જૂનમાં 0.50 ટકા, ઓગસ્ટમાં પણ 0.50 ટકા અને સપ્ટેમ્બરમાં પણ 0.50 ટકાની વૃદ્ધિ કરવામાં આવી છે. ડિસેમ્બરમાં 0.35 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને આજે એટલે કે ફ્રેબ્રુઆરી મહિનામાં 0.25 ટકાનો વધારો કરાયો છે. જેને કારણે રેપો રેટ 6.25 ટકાથી વધારીને 6.50 ટકા કરવામાં આવી છે. આ નિર્ણય અંગે શક્તિકાંત દાસે જાણકારી આપી હતી.

      


અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.