વિપક્ષના વિરોધ વચ્ચે વક્ફ સુધારા ખરડો લોકસભામાં રજૂ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-02 13:52:49

વક્ફ સુધારા બિલ આજે લોકસભામાં ૧૨ વાગ્યે રજૂ થઇ ચૂક્યું છે. લોકસભામાં આના કારણે ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ વચ્ચે ઘમાસાણના એંધાણ છે. વક્ફ બિલ પર ચર્ચા થઇ ગયા બાદ તેને વોટિંગમાં મુકવામાં આવશે . સંભાવના પુરે પુરી છે કે એનડીએ આ બિલને લોકસભામાં પાસ કરાવી લેશે. 

Lok Sabha to take up Waqf bill Wednesday, RS next day; BJP, major allies  issue whips for support - OrissaPOST

વક્ફ સુધારા ખરડો સરકાર દ્વારા લોકસભામાં રજૂ કરી દેવાયો છે. વક્ફ સુધારા ખરડાને આ પેહલા જોઈન્ટ પાર્લિયામેંટ્રી કમિટીમાં મોકલી દેવાયો હતો . આ કમિટીમાં સત્તાધારી પક્ષના અને વિરોધ પક્ષના સાંસદો હોય છે. આ જેપીસીમાં વિપક્ષી સાંસદોના ૪૪ સૂચનોને ખારીજ કરી દેવાયા છે જયારે એનડીએના સાંસદોના ૧૪ સુધારાને માન્ય રખાયા છે. હવે આ પછી જેપીસીમાંથી પાછું આવ્યા  બાદ આ ખરડાને લોકસભામાં રજૂ કરવા બિઝનેસ અડવાઇસરી કમિટીએ મંજૂરી આપી દીધી છે.  આ વક્ફ બિલ અંગે ચર્ચા કરવા માટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા ૮ કલાક ચર્ચાનો સમય નક્કી કરાયો છે. આ ચર્ચામાં એનડીએના સાંસદોને ૪ કલાક ૪૦ મિનિટનો સમય મળ્યો છે. આ પછીના સમયમાં વિપક્ષના સાંસદો પોતાના વિચાર રજૂ કરશે. ગઈકાલે એટલેકે , મંગળવારે સંસદની બિઝનેસ અડવાઇસરી કમિટીની બેઠકમાંથી વિપક્ષે વોક આઉટ કર્યું હતું. 

INDIA bloc Mumbai meeting live updates | INDIA alliance will defeat BJP in  national elections, says Rahul Gandhi - The Hindu

વાત કરીએ કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પક્ષના સાથીદાર એવા તેલુગુ દેશંમ પાર્ટી અને જનતા દળ યુનાઇટેડની . તો આ બેઉ પાર્ટીઓ માટે પોતપોતાના રાજ્ય અનુક્રમે આંધ્ર પ્રદેશ અને બિહારમાં મુસ્લિમ મતો મહત્વના છે. વાત કરીએ બિહારની તો બિહારમાં આ વર્ષના અંતે ૨૦૨૫ના નવેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ છે . આ માટે મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે પસમંદા મુસ્લિમોનો સાથ જરૂરી છે તો જ બિહારમાં એનડીએની વાપસી શક્ય બનશે . આપને જણાવી દયિકે આ પસમંદા મુસ્લિમ એટલે , દલિત અને પછાત સમુદાયના મુસ્લિમ . પીએમ મોદી અવારનવાર તેમના વિકાસ અને કલ્યાણની વાત કરતા રહે છે.  આંધ્રપ્રદેશની વાત કરીએ તો , ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી TDP એટલેકે , તેલુગુ દેશંમ પાર્ટીએ વક્ફ બિલમાં જે ત્રણ સુધારા સૂચવ્યા હતા તે ત્રણેય સુધારા સ્વીકારી લેવાયા છે.  માટે હવે એનડીએના સાથી પક્ષોમાં ટીડીપી અને જદયુ આ બિલની ફેવરમાં વોટિંગ કરશે.  હવે એનડીએના લોકસભામાં ૨૯૩ સાંસદો છે . ૨૭૨ના મેજીક ફિગરની જરૂર છે.  વક્ફ સુધારા ખરડો એ , વક્ફ એક્ટ , ૧૯૯૫માં સુધારા કરવા માટે સરકાર દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે. આ ખરડાને લાવવા પાછળ સરકારે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે , તેનાથી વક્ફને લગતી સંપત્તિઓનું પારદર્શિતાપૂર્વક સંચાલન કરવા માટે. આ નવા ખરડામાં વક્ફ બોર્ડમાં મહિલાઓને સ્થાન મળશે જયારે કેગ દ્વારા તેની તપાસ પણ થઈ શકે છે. 

તો આ મામલે જે પણ અપડેટ હશે અમે તમને આપીશું . 



There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.