વિપક્ષના વિરોધ વચ્ચે વક્ફ સુધારા ખરડો લોકસભામાં રજૂ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-02 13:52:49

વક્ફ સુધારા બિલ આજે લોકસભામાં ૧૨ વાગ્યે રજૂ થઇ ચૂક્યું છે. લોકસભામાં આના કારણે ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ વચ્ચે ઘમાસાણના એંધાણ છે. વક્ફ બિલ પર ચર્ચા થઇ ગયા બાદ તેને વોટિંગમાં મુકવામાં આવશે . સંભાવના પુરે પુરી છે કે એનડીએ આ બિલને લોકસભામાં પાસ કરાવી લેશે. 

Lok Sabha to take up Waqf bill Wednesday, RS next day; BJP, major allies  issue whips for support - OrissaPOST

વક્ફ સુધારા ખરડો સરકાર દ્વારા લોકસભામાં રજૂ કરી દેવાયો છે. વક્ફ સુધારા ખરડાને આ પેહલા જોઈન્ટ પાર્લિયામેંટ્રી કમિટીમાં મોકલી દેવાયો હતો . આ કમિટીમાં સત્તાધારી પક્ષના અને વિરોધ પક્ષના સાંસદો હોય છે. આ જેપીસીમાં વિપક્ષી સાંસદોના ૪૪ સૂચનોને ખારીજ કરી દેવાયા છે જયારે એનડીએના સાંસદોના ૧૪ સુધારાને માન્ય રખાયા છે. હવે આ પછી જેપીસીમાંથી પાછું આવ્યા  બાદ આ ખરડાને લોકસભામાં રજૂ કરવા બિઝનેસ અડવાઇસરી કમિટીએ મંજૂરી આપી દીધી છે.  આ વક્ફ બિલ અંગે ચર્ચા કરવા માટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા ૮ કલાક ચર્ચાનો સમય નક્કી કરાયો છે. આ ચર્ચામાં એનડીએના સાંસદોને ૪ કલાક ૪૦ મિનિટનો સમય મળ્યો છે. આ પછીના સમયમાં વિપક્ષના સાંસદો પોતાના વિચાર રજૂ કરશે. ગઈકાલે એટલેકે , મંગળવારે સંસદની બિઝનેસ અડવાઇસરી કમિટીની બેઠકમાંથી વિપક્ષે વોક આઉટ કર્યું હતું. 

INDIA bloc Mumbai meeting live updates | INDIA alliance will defeat BJP in  national elections, says Rahul Gandhi - The Hindu

વાત કરીએ કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પક્ષના સાથીદાર એવા તેલુગુ દેશંમ પાર્ટી અને જનતા દળ યુનાઇટેડની . તો આ બેઉ પાર્ટીઓ માટે પોતપોતાના રાજ્ય અનુક્રમે આંધ્ર પ્રદેશ અને બિહારમાં મુસ્લિમ મતો મહત્વના છે. વાત કરીએ બિહારની તો બિહારમાં આ વર્ષના અંતે ૨૦૨૫ના નવેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ છે . આ માટે મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે પસમંદા મુસ્લિમોનો સાથ જરૂરી છે તો જ બિહારમાં એનડીએની વાપસી શક્ય બનશે . આપને જણાવી દયિકે આ પસમંદા મુસ્લિમ એટલે , દલિત અને પછાત સમુદાયના મુસ્લિમ . પીએમ મોદી અવારનવાર તેમના વિકાસ અને કલ્યાણની વાત કરતા રહે છે.  આંધ્રપ્રદેશની વાત કરીએ તો , ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી TDP એટલેકે , તેલુગુ દેશંમ પાર્ટીએ વક્ફ બિલમાં જે ત્રણ સુધારા સૂચવ્યા હતા તે ત્રણેય સુધારા સ્વીકારી લેવાયા છે.  માટે હવે એનડીએના સાથી પક્ષોમાં ટીડીપી અને જદયુ આ બિલની ફેવરમાં વોટિંગ કરશે.  હવે એનડીએના લોકસભામાં ૨૯૩ સાંસદો છે . ૨૭૨ના મેજીક ફિગરની જરૂર છે.  વક્ફ સુધારા ખરડો એ , વક્ફ એક્ટ , ૧૯૯૫માં સુધારા કરવા માટે સરકાર દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે. આ ખરડાને લાવવા પાછળ સરકારે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે , તેનાથી વક્ફને લગતી સંપત્તિઓનું પારદર્શિતાપૂર્વક સંચાલન કરવા માટે. આ નવા ખરડામાં વક્ફ બોર્ડમાં મહિલાઓને સ્થાન મળશે જયારે કેગ દ્વારા તેની તપાસ પણ થઈ શકે છે. 

તો આ મામલે જે પણ અપડેટ હશે અમે તમને આપીશું . 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.