વિપક્ષના વિરોધ વચ્ચે વક્ફ સુધારા ખરડો લોકસભામાં રજૂ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-02 13:52:49

વક્ફ સુધારા બિલ આજે લોકસભામાં ૧૨ વાગ્યે રજૂ થઇ ચૂક્યું છે. લોકસભામાં આના કારણે ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ વચ્ચે ઘમાસાણના એંધાણ છે. વક્ફ બિલ પર ચર્ચા થઇ ગયા બાદ તેને વોટિંગમાં મુકવામાં આવશે . સંભાવના પુરે પુરી છે કે એનડીએ આ બિલને લોકસભામાં પાસ કરાવી લેશે. 

Lok Sabha to take up Waqf bill Wednesday, RS next day; BJP, major allies  issue whips for support - OrissaPOST

વક્ફ સુધારા ખરડો સરકાર દ્વારા લોકસભામાં રજૂ કરી દેવાયો છે. વક્ફ સુધારા ખરડાને આ પેહલા જોઈન્ટ પાર્લિયામેંટ્રી કમિટીમાં મોકલી દેવાયો હતો . આ કમિટીમાં સત્તાધારી પક્ષના અને વિરોધ પક્ષના સાંસદો હોય છે. આ જેપીસીમાં વિપક્ષી સાંસદોના ૪૪ સૂચનોને ખારીજ કરી દેવાયા છે જયારે એનડીએના સાંસદોના ૧૪ સુધારાને માન્ય રખાયા છે. હવે આ પછી જેપીસીમાંથી પાછું આવ્યા  બાદ આ ખરડાને લોકસભામાં રજૂ કરવા બિઝનેસ અડવાઇસરી કમિટીએ મંજૂરી આપી દીધી છે.  આ વક્ફ બિલ અંગે ચર્ચા કરવા માટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા ૮ કલાક ચર્ચાનો સમય નક્કી કરાયો છે. આ ચર્ચામાં એનડીએના સાંસદોને ૪ કલાક ૪૦ મિનિટનો સમય મળ્યો છે. આ પછીના સમયમાં વિપક્ષના સાંસદો પોતાના વિચાર રજૂ કરશે. ગઈકાલે એટલેકે , મંગળવારે સંસદની બિઝનેસ અડવાઇસરી કમિટીની બેઠકમાંથી વિપક્ષે વોક આઉટ કર્યું હતું. 

INDIA bloc Mumbai meeting live updates | INDIA alliance will defeat BJP in  national elections, says Rahul Gandhi - The Hindu

વાત કરીએ કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પક્ષના સાથીદાર એવા તેલુગુ દેશંમ પાર્ટી અને જનતા દળ યુનાઇટેડની . તો આ બેઉ પાર્ટીઓ માટે પોતપોતાના રાજ્ય અનુક્રમે આંધ્ર પ્રદેશ અને બિહારમાં મુસ્લિમ મતો મહત્વના છે. વાત કરીએ બિહારની તો બિહારમાં આ વર્ષના અંતે ૨૦૨૫ના નવેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ છે . આ માટે મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે પસમંદા મુસ્લિમોનો સાથ જરૂરી છે તો જ બિહારમાં એનડીએની વાપસી શક્ય બનશે . આપને જણાવી દયિકે આ પસમંદા મુસ્લિમ એટલે , દલિત અને પછાત સમુદાયના મુસ્લિમ . પીએમ મોદી અવારનવાર તેમના વિકાસ અને કલ્યાણની વાત કરતા રહે છે.  આંધ્રપ્રદેશની વાત કરીએ તો , ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી TDP એટલેકે , તેલુગુ દેશંમ પાર્ટીએ વક્ફ બિલમાં જે ત્રણ સુધારા સૂચવ્યા હતા તે ત્રણેય સુધારા સ્વીકારી લેવાયા છે.  માટે હવે એનડીએના સાથી પક્ષોમાં ટીડીપી અને જદયુ આ બિલની ફેવરમાં વોટિંગ કરશે.  હવે એનડીએના લોકસભામાં ૨૯૩ સાંસદો છે . ૨૭૨ના મેજીક ફિગરની જરૂર છે.  વક્ફ સુધારા ખરડો એ , વક્ફ એક્ટ , ૧૯૯૫માં સુધારા કરવા માટે સરકાર દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે. આ ખરડાને લાવવા પાછળ સરકારે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે , તેનાથી વક્ફને લગતી સંપત્તિઓનું પારદર્શિતાપૂર્વક સંચાલન કરવા માટે. આ નવા ખરડામાં વક્ફ બોર્ડમાં મહિલાઓને સ્થાન મળશે જયારે કેગ દ્વારા તેની તપાસ પણ થઈ શકે છે. 

તો આ મામલે જે પણ અપડેટ હશે અમે તમને આપીશું . 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.