Gyan Sahayakના વિરોધ વચ્ચે TET-TATના આટલા ઉમેદવારોએ ભર્યા કરાર આધારિત ભરતીના ફોર્મ, શિક્ષણ વિભાગે કર્યો દાવો! જાણો આંકડો


  • Published By :
  • Published Date : 2023-09-12 10:16:33

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે એક તરફ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. કરાર આધારીત ભરતીને રદ્દ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. ગાંધીનગર ખાતે ઉમેદવારો આંદોલન કરવા પહોંચ્યા હતા. અલગ અલગ માધ્યમો દ્વારા ઉમેદવારો વિરોધ દર્શાવી રહ્યા છે. આ બધા વચ્ચે કરાર આધારિત ભરતી માટે હજારોની સંખ્યામાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આંકડો સામે આવ્યો છે. ધોરણ 9 અને 10 માટે ભરાયેલા ફોર્મની વાત કરીએ તો 19 હજારથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે તેવી માહિતી સામે આવી છે. તો પ્રાથમિક શાળા માટે 18500થી વધારે ફોર્મ ભરાયા છે તેવી માહિતી પણ સામે આવી છે. મહત્વનું છે કે પ્રાથમિક માટે મુદ્દત લંબાવવામાં આવી છે. પાંચ દિવસ સુધી તારીખને લંબાવવામાં આવી છે.


અલગ અલગ પ્રકારે ઉમેદવારોએ નોંધાવ્યો વિરોધ  

છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ભાવિ શિક્ષકો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે આંદોલન કરી રહ્યા છે. 11 માસના કરાર આધારિત ભરતીનો તે વિરોધ કરી રહ્યા છે. અલગ અલગ રીતે પોતાની માગ, પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે ઉમેદવારો પ્રયત્નો કરી રહ્યા છે. મુખ્યમંત્રી., શિક્ષણમંત્રી સહિત અનેક નેતાઓને પત્ર લખી રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમનો અવાજ સાંભળવવામાં આવ્યો ન હતો. ત્યારે ભગવાન તેમજ સાધુ સંતોને પણ પત્ર  આપી રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો. 


17 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરવાની તારીખને લંબાવાઈ 

કરાર આધારિત ભરતીનો એક તરફ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે તે ચોંકાવનારો છે. શિક્ષણ વિભાગના દાવા અનુસાર ધોરણ 9 અને ધોરણ 10માં કરાર આધારિત ભરતી માટે રાજ્યમાંથી કુલ 19050 ફોર્મ ભરવામાં આવ્યા છે.  માધ્યમિક માટે ફોર્મ ભરવાની મુદ્દત આજે પૂર્ણ થઈ રહી છે. પરંતુ પ્રાથમિક માટે આ મુદતને લંબાવવામાં આવી છે. પાંચ દિવસો માટે ફોર્મ ભરવાની તારીખને લંબાવાઈ છે. એવી પણ માહિતી સામે આવી છે પ્રાથમિક માટે અત્યાર સુધીમાં 18598 ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને આગામી દિવસો દરમિયાન વધુ ફોર્મ ભરાશે તેવી સંભાવના છે. 17 સપ્ટેમ્બર સુધી આ તારીખને લંબાવવામાં આવી છે. 


એક તરફ વિરોધ તો બીજી તરફ ઉમેદવારો આપી રહ્યા છે સમર્થન!

મહત્વનું છે કે એક તરફ અનેક ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓ તેમના સમર્થનમાં આવ્યા છે. અલગ અલગ પ્રકારે ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે તો બીજી તરફ અનેક ઉમેદવારો એવા છે જે ફોર્મ ભરી રહ્યા છે. જ્યારે ઉમેદવારો વિરોધ કરી રહ્યા હતા ત્યારે ઉમેદવારોએ કહ્યું હતું કે ફોર્મ ભરવામાં નહીં આવે પરંતુ જે આંકડો સામે આવ્યો છે તે ચોંકાવનારો છે. હવે જોવું એ રહ્યું કે આ આંદોલનમાં આગળ શું નવો વળાંક આવે છે. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.