Gyan Sahayakના વિરોધ વચ્ચે TET-TATના આટલા ઉમેદવારોએ ભર્યા કરાર આધારિત ભરતીના ફોર્મ, શિક્ષણ વિભાગે કર્યો દાવો! જાણો આંકડો


  • Published By :
  • Published Date : 2023-09-12 10:16:33

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે એક તરફ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. કરાર આધારીત ભરતીને રદ્દ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. ગાંધીનગર ખાતે ઉમેદવારો આંદોલન કરવા પહોંચ્યા હતા. અલગ અલગ માધ્યમો દ્વારા ઉમેદવારો વિરોધ દર્શાવી રહ્યા છે. આ બધા વચ્ચે કરાર આધારિત ભરતી માટે હજારોની સંખ્યામાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આંકડો સામે આવ્યો છે. ધોરણ 9 અને 10 માટે ભરાયેલા ફોર્મની વાત કરીએ તો 19 હજારથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે તેવી માહિતી સામે આવી છે. તો પ્રાથમિક શાળા માટે 18500થી વધારે ફોર્મ ભરાયા છે તેવી માહિતી પણ સામે આવી છે. મહત્વનું છે કે પ્રાથમિક માટે મુદ્દત લંબાવવામાં આવી છે. પાંચ દિવસ સુધી તારીખને લંબાવવામાં આવી છે.


અલગ અલગ પ્રકારે ઉમેદવારોએ નોંધાવ્યો વિરોધ  

છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ભાવિ શિક્ષકો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે આંદોલન કરી રહ્યા છે. 11 માસના કરાર આધારિત ભરતીનો તે વિરોધ કરી રહ્યા છે. અલગ અલગ રીતે પોતાની માગ, પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે ઉમેદવારો પ્રયત્નો કરી રહ્યા છે. મુખ્યમંત્રી., શિક્ષણમંત્રી સહિત અનેક નેતાઓને પત્ર લખી રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમનો અવાજ સાંભળવવામાં આવ્યો ન હતો. ત્યારે ભગવાન તેમજ સાધુ સંતોને પણ પત્ર  આપી રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો. 


17 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરવાની તારીખને લંબાવાઈ 

કરાર આધારિત ભરતીનો એક તરફ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે તે ચોંકાવનારો છે. શિક્ષણ વિભાગના દાવા અનુસાર ધોરણ 9 અને ધોરણ 10માં કરાર આધારિત ભરતી માટે રાજ્યમાંથી કુલ 19050 ફોર્મ ભરવામાં આવ્યા છે.  માધ્યમિક માટે ફોર્મ ભરવાની મુદ્દત આજે પૂર્ણ થઈ રહી છે. પરંતુ પ્રાથમિક માટે આ મુદતને લંબાવવામાં આવી છે. પાંચ દિવસો માટે ફોર્મ ભરવાની તારીખને લંબાવાઈ છે. એવી પણ માહિતી સામે આવી છે પ્રાથમિક માટે અત્યાર સુધીમાં 18598 ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને આગામી દિવસો દરમિયાન વધુ ફોર્મ ભરાશે તેવી સંભાવના છે. 17 સપ્ટેમ્બર સુધી આ તારીખને લંબાવવામાં આવી છે. 


એક તરફ વિરોધ તો બીજી તરફ ઉમેદવારો આપી રહ્યા છે સમર્થન!

મહત્વનું છે કે એક તરફ અનેક ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓ તેમના સમર્થનમાં આવ્યા છે. અલગ અલગ પ્રકારે ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે તો બીજી તરફ અનેક ઉમેદવારો એવા છે જે ફોર્મ ભરી રહ્યા છે. જ્યારે ઉમેદવારો વિરોધ કરી રહ્યા હતા ત્યારે ઉમેદવારોએ કહ્યું હતું કે ફોર્મ ભરવામાં નહીં આવે પરંતુ જે આંકડો સામે આવ્યો છે તે ચોંકાવનારો છે. હવે જોવું એ રહ્યું કે આ આંદોલનમાં આગળ શું નવો વળાંક આવે છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.