કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગની આગાહી, અનેક શહેરોમાં થઈ શકે છે કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-01-26 13:19:26

રાજ્યમાં એક તરફ જ્યારે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. એક બે દિવસ શીતલહેરનો અનુભવ થવાનો છે. ત્યારે આગામી દિવસો દરમિયાન હવામાન વિભાગે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે.


બનાસકાંઠા તેમજ પાટણ માટે કરાઈ કમોસમી વરસાદની આગાહી 

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. અમુક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે. હિમવર્ષાને કારણે અનેક રાજ્યોમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ તાપમાનનો પારો ગગડી રહ્યો છે. ગુજરાતના અનેક શહેરોમાં તાપમાન 11 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠામાં 7 ડિગ્રી, પાલનપુરમાં 10 ડિગ્રી, ભુજમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં પણ તાપમાનનો પારો 11 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. 


અનેક શહેરોમાં કરાઈ છે કોલ્ડવેવની આગાહી  

નવા વર્ષથી રાજ્યમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હજી પણ ઠંડીનું જોર યથાવત જોવા મળી રહ્યું છે. ત્યારે કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહી કરાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદની સાથે સાથે કોલ્ડવેવની આગાહી પણ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં કોલ્ડવેવ રહેશે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.