કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગની આગાહી, અનેક શહેરોમાં થઈ શકે છે કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-01-26 13:19:26

રાજ્યમાં એક તરફ જ્યારે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. એક બે દિવસ શીતલહેરનો અનુભવ થવાનો છે. ત્યારે આગામી દિવસો દરમિયાન હવામાન વિભાગે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે.


બનાસકાંઠા તેમજ પાટણ માટે કરાઈ કમોસમી વરસાદની આગાહી 

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. અમુક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે. હિમવર્ષાને કારણે અનેક રાજ્યોમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ તાપમાનનો પારો ગગડી રહ્યો છે. ગુજરાતના અનેક શહેરોમાં તાપમાન 11 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠામાં 7 ડિગ્રી, પાલનપુરમાં 10 ડિગ્રી, ભુજમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં પણ તાપમાનનો પારો 11 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. 


અનેક શહેરોમાં કરાઈ છે કોલ્ડવેવની આગાહી  

નવા વર્ષથી રાજ્યમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હજી પણ ઠંડીનું જોર યથાવત જોવા મળી રહ્યું છે. ત્યારે કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહી કરાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદની સાથે સાથે કોલ્ડવેવની આગાહી પણ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં કોલ્ડવેવ રહેશે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.