કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગની આગાહી, અનેક શહેરોમાં થઈ શકે છે કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-01-26 13:19:26

રાજ્યમાં એક તરફ જ્યારે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. એક બે દિવસ શીતલહેરનો અનુભવ થવાનો છે. ત્યારે આગામી દિવસો દરમિયાન હવામાન વિભાગે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે.


બનાસકાંઠા તેમજ પાટણ માટે કરાઈ કમોસમી વરસાદની આગાહી 

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. અમુક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે. હિમવર્ષાને કારણે અનેક રાજ્યોમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ તાપમાનનો પારો ગગડી રહ્યો છે. ગુજરાતના અનેક શહેરોમાં તાપમાન 11 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠામાં 7 ડિગ્રી, પાલનપુરમાં 10 ડિગ્રી, ભુજમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં પણ તાપમાનનો પારો 11 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. 


અનેક શહેરોમાં કરાઈ છે કોલ્ડવેવની આગાહી  

નવા વર્ષથી રાજ્યમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હજી પણ ઠંડીનું જોર યથાવત જોવા મળી રહ્યું છે. ત્યારે કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહી કરાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદની સાથે સાથે કોલ્ડવેવની આગાહી પણ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં કોલ્ડવેવ રહેશે.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.