નસવાડીમાં અમિત ચાવડાએ ગુજરાત સરકાર અને પાટીલ પર આકરા પ્રહારો કર્યા


  • Published By :
  • Published Date : 2022-11-03 22:04:44

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. એટલે હવે રાજનેતાઓના મોઢામાંથી એકબીજાની પાર્ટી વિશે ઝેર ઓકવામાં આવશે. આ મહિનાની અંદર ગુજરાતની રાજનીતિમાં એવા નિવેદનો પણ આપવામાં આવશે જે એકદમ ઘૃણાસ્પદ હશે. છોટાઉદેપુરના નસવાડીમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પયાત્રા પહોંચી હતી. નસવાડીની યાત્રામાં અમિત ચાવડાએ ભાજપના નેતાઓ પર અને મુખ્યમંત્રી પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાઉ અને ભૂપાભાઈનું જ ચાલે છે. ગુજરાતની રાજનીતિનો રીમોટ કંટ્રોલ પાટીલ ભાઉના હાથમાં છે. આ એજ ભાઉ છે જેના પર ગુજરાતમાં 100 જેટલા ગુના નોંધાયા છે. આવા લોકો સરકાર ચલાવશે તો લોકોનું કેવું ભલું થશે તે ચર્ચાનો વિષય છે. 

અમિત ચાવડાએ ભાજપ સરકાર પર ઉઠાવ્યા સવાલો

અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા આક્ષેપો કર્યા હતા કે વર્ષ 2017ની ચૂંટણી વિજય રૂપાણીની આગેવાનીમાં લડવામાં આવી હતી. લોકોએ પણ વિજય રૂપાણીને મતો આપ્યા હતા અને સરકાર બનાવડાવી હતી પરંતુ ભાજપે તો સરકાર અધવચ્ચે જ પાડી દીધી અને પૂરા મંત્રીમંડળને ઘરભેગા કર્યા. આના પરથી લાગે છે કે ગુજરાતની સરકાર જ નિષ્ફળ છે.

કોંગ્રેસ આવતીકાલે અંદાજે 100 બેઠકોના ઉમેદવારોના નામની કામગીરી પૂરી કરશેઃ મનીષ દોશી

રાજનેતાઓની તીખી નિવેદનબાજી હવે શરૂ થઈ જશે અને મતદાન સુધી નેતાઓ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરતા જોવા મળી શકે છે. ગુજરાતના ત્રીપાંખિયા જંગમાં સાંપ્રદાયિક રીતે પણ નિવેદનો સંભળાતા રહેશે ત્યારે ચૂંટણી સુધી કઈ પાર્ટી લોકોને પોતાની વિચારધારા કે કામ તરફ ખેંચી શકશે તે જોવાનું રહેશે. આવતીકાલે કોંગ્રેસની સીઈસીની બેઠક મળશે જેમાં નામો આવ્યા છે તેની ચર્ચા કરવામાં આવશે. ગ્રામ્યથી લઈ અત્યાર સુધીમાં 1800 જેટલા કોંગ્રેસના ઉમેદવારોએ ધારાસભ્ય પદ માટે દાવેદારી નોંધાવી છે. તેમાંથી કેટલા લોકોને ચૂંટણી લડાવવી તે મામલે ચર્ચા કરવામાં આવશે અને આવતીકાલે સીઈસીની બેઠકમાં કોંગ્રેસના 100 જેટલી વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસના ઉમેદવારોના નામની કામગીરી પૂરી કરી દેવામાં આવશે. જ્યારે પૂરો સર્વે થઈ જશે ત્યાર બાદ કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરી દેશે તેવી જમાવટને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ માહિતી આપી હતી. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.