નસવાડીમાં અમિત ચાવડાએ ગુજરાત સરકાર અને પાટીલ પર આકરા પ્રહારો કર્યા


  • Published By :
  • Published Date : 2022-11-03 22:04:44

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. એટલે હવે રાજનેતાઓના મોઢામાંથી એકબીજાની પાર્ટી વિશે ઝેર ઓકવામાં આવશે. આ મહિનાની અંદર ગુજરાતની રાજનીતિમાં એવા નિવેદનો પણ આપવામાં આવશે જે એકદમ ઘૃણાસ્પદ હશે. છોટાઉદેપુરના નસવાડીમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પયાત્રા પહોંચી હતી. નસવાડીની યાત્રામાં અમિત ચાવડાએ ભાજપના નેતાઓ પર અને મુખ્યમંત્રી પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાઉ અને ભૂપાભાઈનું જ ચાલે છે. ગુજરાતની રાજનીતિનો રીમોટ કંટ્રોલ પાટીલ ભાઉના હાથમાં છે. આ એજ ભાઉ છે જેના પર ગુજરાતમાં 100 જેટલા ગુના નોંધાયા છે. આવા લોકો સરકાર ચલાવશે તો લોકોનું કેવું ભલું થશે તે ચર્ચાનો વિષય છે. 

અમિત ચાવડાએ ભાજપ સરકાર પર ઉઠાવ્યા સવાલો

અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા આક્ષેપો કર્યા હતા કે વર્ષ 2017ની ચૂંટણી વિજય રૂપાણીની આગેવાનીમાં લડવામાં આવી હતી. લોકોએ પણ વિજય રૂપાણીને મતો આપ્યા હતા અને સરકાર બનાવડાવી હતી પરંતુ ભાજપે તો સરકાર અધવચ્ચે જ પાડી દીધી અને પૂરા મંત્રીમંડળને ઘરભેગા કર્યા. આના પરથી લાગે છે કે ગુજરાતની સરકાર જ નિષ્ફળ છે.

કોંગ્રેસ આવતીકાલે અંદાજે 100 બેઠકોના ઉમેદવારોના નામની કામગીરી પૂરી કરશેઃ મનીષ દોશી

રાજનેતાઓની તીખી નિવેદનબાજી હવે શરૂ થઈ જશે અને મતદાન સુધી નેતાઓ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરતા જોવા મળી શકે છે. ગુજરાતના ત્રીપાંખિયા જંગમાં સાંપ્રદાયિક રીતે પણ નિવેદનો સંભળાતા રહેશે ત્યારે ચૂંટણી સુધી કઈ પાર્ટી લોકોને પોતાની વિચારધારા કે કામ તરફ ખેંચી શકશે તે જોવાનું રહેશે. આવતીકાલે કોંગ્રેસની સીઈસીની બેઠક મળશે જેમાં નામો આવ્યા છે તેની ચર્ચા કરવામાં આવશે. ગ્રામ્યથી લઈ અત્યાર સુધીમાં 1800 જેટલા કોંગ્રેસના ઉમેદવારોએ ધારાસભ્ય પદ માટે દાવેદારી નોંધાવી છે. તેમાંથી કેટલા લોકોને ચૂંટણી લડાવવી તે મામલે ચર્ચા કરવામાં આવશે અને આવતીકાલે સીઈસીની બેઠકમાં કોંગ્રેસના 100 જેટલી વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસના ઉમેદવારોના નામની કામગીરી પૂરી કરી દેવામાં આવશે. જ્યારે પૂરો સર્વે થઈ જશે ત્યાર બાદ કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરી દેશે તેવી જમાવટને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ માહિતી આપી હતી. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.