નસવાડીમાં અમિત ચાવડાએ ગુજરાત સરકાર અને પાટીલ પર આકરા પ્રહારો કર્યા


  • Published By :
  • Published Date : 2022-11-03 22:04:44

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. એટલે હવે રાજનેતાઓના મોઢામાંથી એકબીજાની પાર્ટી વિશે ઝેર ઓકવામાં આવશે. આ મહિનાની અંદર ગુજરાતની રાજનીતિમાં એવા નિવેદનો પણ આપવામાં આવશે જે એકદમ ઘૃણાસ્પદ હશે. છોટાઉદેપુરના નસવાડીમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પયાત્રા પહોંચી હતી. નસવાડીની યાત્રામાં અમિત ચાવડાએ ભાજપના નેતાઓ પર અને મુખ્યમંત્રી પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાઉ અને ભૂપાભાઈનું જ ચાલે છે. ગુજરાતની રાજનીતિનો રીમોટ કંટ્રોલ પાટીલ ભાઉના હાથમાં છે. આ એજ ભાઉ છે જેના પર ગુજરાતમાં 100 જેટલા ગુના નોંધાયા છે. આવા લોકો સરકાર ચલાવશે તો લોકોનું કેવું ભલું થશે તે ચર્ચાનો વિષય છે. 

અમિત ચાવડાએ ભાજપ સરકાર પર ઉઠાવ્યા સવાલો

અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા આક્ષેપો કર્યા હતા કે વર્ષ 2017ની ચૂંટણી વિજય રૂપાણીની આગેવાનીમાં લડવામાં આવી હતી. લોકોએ પણ વિજય રૂપાણીને મતો આપ્યા હતા અને સરકાર બનાવડાવી હતી પરંતુ ભાજપે તો સરકાર અધવચ્ચે જ પાડી દીધી અને પૂરા મંત્રીમંડળને ઘરભેગા કર્યા. આના પરથી લાગે છે કે ગુજરાતની સરકાર જ નિષ્ફળ છે.

કોંગ્રેસ આવતીકાલે અંદાજે 100 બેઠકોના ઉમેદવારોના નામની કામગીરી પૂરી કરશેઃ મનીષ દોશી

રાજનેતાઓની તીખી નિવેદનબાજી હવે શરૂ થઈ જશે અને મતદાન સુધી નેતાઓ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરતા જોવા મળી શકે છે. ગુજરાતના ત્રીપાંખિયા જંગમાં સાંપ્રદાયિક રીતે પણ નિવેદનો સંભળાતા રહેશે ત્યારે ચૂંટણી સુધી કઈ પાર્ટી લોકોને પોતાની વિચારધારા કે કામ તરફ ખેંચી શકશે તે જોવાનું રહેશે. આવતીકાલે કોંગ્રેસની સીઈસીની બેઠક મળશે જેમાં નામો આવ્યા છે તેની ચર્ચા કરવામાં આવશે. ગ્રામ્યથી લઈ અત્યાર સુધીમાં 1800 જેટલા કોંગ્રેસના ઉમેદવારોએ ધારાસભ્ય પદ માટે દાવેદારી નોંધાવી છે. તેમાંથી કેટલા લોકોને ચૂંટણી લડાવવી તે મામલે ચર્ચા કરવામાં આવશે અને આવતીકાલે સીઈસીની બેઠકમાં કોંગ્રેસના 100 જેટલી વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસના ઉમેદવારોના નામની કામગીરી પૂરી કરી દેવામાં આવશે. જ્યારે પૂરો સર્વે થઈ જશે ત્યાર બાદ કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરી દેશે તેવી જમાવટને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ માહિતી આપી હતી. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"