નસવાડીમાં અમિત ચાવડાએ ગુજરાત સરકાર અને પાટીલ પર આકરા પ્રહારો કર્યા


  • Published By :
  • Published Date : 2022-11-03 22:04:44

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. એટલે હવે રાજનેતાઓના મોઢામાંથી એકબીજાની પાર્ટી વિશે ઝેર ઓકવામાં આવશે. આ મહિનાની અંદર ગુજરાતની રાજનીતિમાં એવા નિવેદનો પણ આપવામાં આવશે જે એકદમ ઘૃણાસ્પદ હશે. છોટાઉદેપુરના નસવાડીમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પયાત્રા પહોંચી હતી. નસવાડીની યાત્રામાં અમિત ચાવડાએ ભાજપના નેતાઓ પર અને મુખ્યમંત્રી પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાઉ અને ભૂપાભાઈનું જ ચાલે છે. ગુજરાતની રાજનીતિનો રીમોટ કંટ્રોલ પાટીલ ભાઉના હાથમાં છે. આ એજ ભાઉ છે જેના પર ગુજરાતમાં 100 જેટલા ગુના નોંધાયા છે. આવા લોકો સરકાર ચલાવશે તો લોકોનું કેવું ભલું થશે તે ચર્ચાનો વિષય છે. 

અમિત ચાવડાએ ભાજપ સરકાર પર ઉઠાવ્યા સવાલો

અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા આક્ષેપો કર્યા હતા કે વર્ષ 2017ની ચૂંટણી વિજય રૂપાણીની આગેવાનીમાં લડવામાં આવી હતી. લોકોએ પણ વિજય રૂપાણીને મતો આપ્યા હતા અને સરકાર બનાવડાવી હતી પરંતુ ભાજપે તો સરકાર અધવચ્ચે જ પાડી દીધી અને પૂરા મંત્રીમંડળને ઘરભેગા કર્યા. આના પરથી લાગે છે કે ગુજરાતની સરકાર જ નિષ્ફળ છે.

કોંગ્રેસ આવતીકાલે અંદાજે 100 બેઠકોના ઉમેદવારોના નામની કામગીરી પૂરી કરશેઃ મનીષ દોશી

રાજનેતાઓની તીખી નિવેદનબાજી હવે શરૂ થઈ જશે અને મતદાન સુધી નેતાઓ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરતા જોવા મળી શકે છે. ગુજરાતના ત્રીપાંખિયા જંગમાં સાંપ્રદાયિક રીતે પણ નિવેદનો સંભળાતા રહેશે ત્યારે ચૂંટણી સુધી કઈ પાર્ટી લોકોને પોતાની વિચારધારા કે કામ તરફ ખેંચી શકશે તે જોવાનું રહેશે. આવતીકાલે કોંગ્રેસની સીઈસીની બેઠક મળશે જેમાં નામો આવ્યા છે તેની ચર્ચા કરવામાં આવશે. ગ્રામ્યથી લઈ અત્યાર સુધીમાં 1800 જેટલા કોંગ્રેસના ઉમેદવારોએ ધારાસભ્ય પદ માટે દાવેદારી નોંધાવી છે. તેમાંથી કેટલા લોકોને ચૂંટણી લડાવવી તે મામલે ચર્ચા કરવામાં આવશે અને આવતીકાલે સીઈસીની બેઠકમાં કોંગ્રેસના 100 જેટલી વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસના ઉમેદવારોના નામની કામગીરી પૂરી કરી દેવામાં આવશે. જ્યારે પૂરો સર્વે થઈ જશે ત્યાર બાદ કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરી દેશે તેવી જમાવટને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ માહિતી આપી હતી. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.