અમિત ચાવડાએ વિપક્ષ નેતાનો ચાર્જ સંભાળ્યો


  • Published By :
  • Published Date : 2023-01-25 17:54:13

ગયા મહિને ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. ભાજપે 156 સીટો પર કબજો મેળવ્યો હતો જ્યારે કોંગ્રેસને માત્ર 17 સીટોથી સંતોષ માનવો પડ્યો હતો. આમ આદમી પાર્ટીને પણ પાંચ સીટો મળી હતી. ત્યારે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વિપક્ષના નેતાનો ચાર્જ સંભાળ્યો છે. 


વિપક્ષી નેતા તરીકે અમિત ચાવડાએ સંભાળ્યો ચાર્જ 

ગુજરાતમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે જ્યારે આ વખતે કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. કોંગ્રેસે 17 સીટો પર જીત હાંસલ કરી હતી. આ ચૂંટણીમાં ભાજપને 156 સીટો મળી હતી. કોંગ્રેસે ચૂંટણી પૂર્ણ થયાના ઘણા સમય બાદ વિપક્ષના નેતાના નામની જાહેરાત કરી હતી. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વિપક્ષી નેતા તરીકે પોતાનો ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળતા પહેલા તેમણે પૂજા અર્ચન કર્યા હતા. 


ગુજરાતની જનતાને અમિત ચાવડાએ કરી અપીલ 

અમિત ચાવડાએ જનતાને અપીલ કરી હતી કે જે પણ પ્રશ્ન હોય તે કોંગ્રેસના કાર્યાલય સુધી પહોંચાડજો. ટૂંક સમયમાં કોંગ્રેસ દ્વારા વોટસઅપ નંબર જાહેર કરવામાં આવશે. લોકો સીધી જ ફરિયાદ કરી શકે તે માટે કોંગ્રેસ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.