અમિત ચાવડાએ વિપક્ષ નેતાનો ચાર્જ સંભાળ્યો


  • Published By :
  • Published Date : 2023-01-25 17:54:13

ગયા મહિને ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. ભાજપે 156 સીટો પર કબજો મેળવ્યો હતો જ્યારે કોંગ્રેસને માત્ર 17 સીટોથી સંતોષ માનવો પડ્યો હતો. આમ આદમી પાર્ટીને પણ પાંચ સીટો મળી હતી. ત્યારે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વિપક્ષના નેતાનો ચાર્જ સંભાળ્યો છે. 


વિપક્ષી નેતા તરીકે અમિત ચાવડાએ સંભાળ્યો ચાર્જ 

ગુજરાતમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે જ્યારે આ વખતે કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. કોંગ્રેસે 17 સીટો પર જીત હાંસલ કરી હતી. આ ચૂંટણીમાં ભાજપને 156 સીટો મળી હતી. કોંગ્રેસે ચૂંટણી પૂર્ણ થયાના ઘણા સમય બાદ વિપક્ષના નેતાના નામની જાહેરાત કરી હતી. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વિપક્ષી નેતા તરીકે પોતાનો ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળતા પહેલા તેમણે પૂજા અર્ચન કર્યા હતા. 


ગુજરાતની જનતાને અમિત ચાવડાએ કરી અપીલ 

અમિત ચાવડાએ જનતાને અપીલ કરી હતી કે જે પણ પ્રશ્ન હોય તે કોંગ્રેસના કાર્યાલય સુધી પહોંચાડજો. ટૂંક સમયમાં કોંગ્રેસ દ્વારા વોટસઅપ નંબર જાહેર કરવામાં આવશે. લોકો સીધી જ ફરિયાદ કરી શકે તે માટે કોંગ્રેસ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.     



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.