અમિત ચાવડાએ વિપક્ષ નેતાનો ચાર્જ સંભાળ્યો


  • Published By :
  • Published Date : 2023-01-25 17:54:13

ગયા મહિને ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. ભાજપે 156 સીટો પર કબજો મેળવ્યો હતો જ્યારે કોંગ્રેસને માત્ર 17 સીટોથી સંતોષ માનવો પડ્યો હતો. આમ આદમી પાર્ટીને પણ પાંચ સીટો મળી હતી. ત્યારે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વિપક્ષના નેતાનો ચાર્જ સંભાળ્યો છે. 


વિપક્ષી નેતા તરીકે અમિત ચાવડાએ સંભાળ્યો ચાર્જ 

ગુજરાતમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે જ્યારે આ વખતે કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. કોંગ્રેસે 17 સીટો પર જીત હાંસલ કરી હતી. આ ચૂંટણીમાં ભાજપને 156 સીટો મળી હતી. કોંગ્રેસે ચૂંટણી પૂર્ણ થયાના ઘણા સમય બાદ વિપક્ષના નેતાના નામની જાહેરાત કરી હતી. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વિપક્ષી નેતા તરીકે પોતાનો ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળતા પહેલા તેમણે પૂજા અર્ચન કર્યા હતા. 


ગુજરાતની જનતાને અમિત ચાવડાએ કરી અપીલ 

અમિત ચાવડાએ જનતાને અપીલ કરી હતી કે જે પણ પ્રશ્ન હોય તે કોંગ્રેસના કાર્યાલય સુધી પહોંચાડજો. ટૂંક સમયમાં કોંગ્રેસ દ્વારા વોટસઅપ નંબર જાહેર કરવામાં આવશે. લોકો સીધી જ ફરિયાદ કરી શકે તે માટે કોંગ્રેસ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.