અમિત શાહે કેજરીવાલને સણસણતો જવાબ આપ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 19:23:29



ગુજરાતની ભૂપેન્દ્ર સરકારને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે સરકારે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાયેલા હતા. અમિત શાહે વર્ચ્યુઅલ સંબોધનમાં ઘણા મોટા ખુલાસા કર્યા છે. કેજરીવાલે અમિત શાહને જે જવાબ આપ્યો તે મામલે પણ અમિત શાહે કેજરીવાલને જવાબ આપ્યો છે. 


ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી રહેશેઃ અમિત શાહ 

ગુજરાત સરકારના એક વર્ષના કાર્યક્રમમાં અમિત શાહે સંબોધન આપતા જણાવ્યું હતું કે બે તૃતીયાંશની બહુમતિ સાથે ગુજરાતના મુખ્યમંત્રીનો ચહેરો ભૂપેન્દ્ર પટેલ જ રહેશે. ભૂપેન્દ્ર પટેલની સરકારની કામગીરી વિશે વાત કરતા અમિત શાહે કહ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલે બોલ્યા વગર કામ કરી બતાવ્યું છે. લોકોએ તેમની સામે અનેક સવાલો કર્યા હતા પરંતુ ભૂપેન્દ્ર ભાઈએ તમામનો જવાબ પોતાની કામગીરીથી આપ્યો છે તેવું અમિત શાહે નિવેદન આપ્યું હતું. 

 

કેજરીવાલના કટાક્ષ પર અમિત શાહે આપ્યા જવાબ

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે હતા. આજે અમદાવાદમાં ટાઉનહોલમાં પત્રકારો સાથે ચર્ચા દરમિયાન અરવિંદ કેજરીવાલે અમિત શાહના નિવેદન મામલે કટાક્ષ કર્યો હતો. જેનો જવાબ આપતા અમિત શાહે જણાવ્યું હતું કે સપનાના વેપાર કરનારા લોકોને ગુજરાતમાં ક્યારેય સફળતા નહીં મળે. 




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .