અમિત શાહે કેજરીવાલને સણસણતો જવાબ આપ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 19:23:29



ગુજરાતની ભૂપેન્દ્ર સરકારને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે સરકારે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાયેલા હતા. અમિત શાહે વર્ચ્યુઅલ સંબોધનમાં ઘણા મોટા ખુલાસા કર્યા છે. કેજરીવાલે અમિત શાહને જે જવાબ આપ્યો તે મામલે પણ અમિત શાહે કેજરીવાલને જવાબ આપ્યો છે. 


ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી રહેશેઃ અમિત શાહ 

ગુજરાત સરકારના એક વર્ષના કાર્યક્રમમાં અમિત શાહે સંબોધન આપતા જણાવ્યું હતું કે બે તૃતીયાંશની બહુમતિ સાથે ગુજરાતના મુખ્યમંત્રીનો ચહેરો ભૂપેન્દ્ર પટેલ જ રહેશે. ભૂપેન્દ્ર પટેલની સરકારની કામગીરી વિશે વાત કરતા અમિત શાહે કહ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલે બોલ્યા વગર કામ કરી બતાવ્યું છે. લોકોએ તેમની સામે અનેક સવાલો કર્યા હતા પરંતુ ભૂપેન્દ્ર ભાઈએ તમામનો જવાબ પોતાની કામગીરીથી આપ્યો છે તેવું અમિત શાહે નિવેદન આપ્યું હતું. 

 

કેજરીવાલના કટાક્ષ પર અમિત શાહે આપ્યા જવાબ

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે હતા. આજે અમદાવાદમાં ટાઉનહોલમાં પત્રકારો સાથે ચર્ચા દરમિયાન અરવિંદ કેજરીવાલે અમિત શાહના નિવેદન મામલે કટાક્ષ કર્યો હતો. જેનો જવાબ આપતા અમિત શાહે જણાવ્યું હતું કે સપનાના વેપાર કરનારા લોકોને ગુજરાતમાં ક્યારેય સફળતા નહીં મળે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.