અમિત શાહ અને હાર્દિક પટેલના ફોટાથી ગરમાઈ રાજનીતિ


  • Published By :
  • Published Date : 2022-10-27 15:05:37

ગુજરાતમાં ચૂંટણીને લઈ માહોલ જામ્યો છે. દરેક પાર્ટી પોતાની પાર્ટીનો પ્રચાર કરવામાં વ્યસ્ત બની છે. અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. નવા વર્ષના દિવસે હાર્દિક પટેલે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનાર હાર્દિક પટેલ અને અમિત શાહની મુલાકાતનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો વાયરલ થતા અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે.

અમિત શાહ અને હાર્દિક પટેલનો ફોટો વાયરલ

ભાજપે વિધાનસભા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. ભાજપ દ્વારા આ અંગે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ વખતે કોને ટિકિટ મળશે તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે નવા વર્ષના દિવસે હાર્દિક પટેલે અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. વાયરલ ફોટામાં અમિત શાહ હાર્દિક પટેલની ભેટ સ્વીકારતા નજરે પડી રહ્યા છે. ભાજપમાં જોડાયા બાદ અમિત શાહ અને હાર્દિક પટેલની પ્રથમ મુલાકાત છે.


ભાજપના કાર્યકર્તા અને હોદ્દેદારો સાથે કરી નવા વર્ષની ઉજવણી

ચૂંટણી પૂર્વે વિરમગામમાં જઈ હાર્દિક પટેલ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડવા તેઓ આતુર હોય તેવું લાગે છે. નવા વર્ષના પ્રથમ દિવસે અમિત શાહના નિવાસ સ્થાને અનેક નેતાઓએ તેમની મુલાકાત લીધી હતી. ત્યારે આ સમયે હાર્દિક પટેલે તેમની શુભેચ્છા મુલાકાત કરી હોય તેવું હાલ ચર્ચાઈ રહ્યું છે.               




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.