અમિત શાહ અને હાર્દિક પટેલના ફોટાથી ગરમાઈ રાજનીતિ


  • Published By :
  • Published Date : 2022-10-27 15:05:37

ગુજરાતમાં ચૂંટણીને લઈ માહોલ જામ્યો છે. દરેક પાર્ટી પોતાની પાર્ટીનો પ્રચાર કરવામાં વ્યસ્ત બની છે. અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. નવા વર્ષના દિવસે હાર્દિક પટેલે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનાર હાર્દિક પટેલ અને અમિત શાહની મુલાકાતનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો વાયરલ થતા અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે.

અમિત શાહ અને હાર્દિક પટેલનો ફોટો વાયરલ

ભાજપે વિધાનસભા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. ભાજપ દ્વારા આ અંગે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ વખતે કોને ટિકિટ મળશે તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે નવા વર્ષના દિવસે હાર્દિક પટેલે અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. વાયરલ ફોટામાં અમિત શાહ હાર્દિક પટેલની ભેટ સ્વીકારતા નજરે પડી રહ્યા છે. ભાજપમાં જોડાયા બાદ અમિત શાહ અને હાર્દિક પટેલની પ્રથમ મુલાકાત છે.


ભાજપના કાર્યકર્તા અને હોદ્દેદારો સાથે કરી નવા વર્ષની ઉજવણી

ચૂંટણી પૂર્વે વિરમગામમાં જઈ હાર્દિક પટેલ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડવા તેઓ આતુર હોય તેવું લાગે છે. નવા વર્ષના પ્રથમ દિવસે અમિત શાહના નિવાસ સ્થાને અનેક નેતાઓએ તેમની મુલાકાત લીધી હતી. ત્યારે આ સમયે હાર્દિક પટેલે તેમની શુભેચ્છા મુલાકાત કરી હોય તેવું હાલ ચર્ચાઈ રહ્યું છે.               




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.