અમિત શાહએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર અને કલમ 370 પર પણ બોલ્યા !!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-21 14:32:28


ગુજરાત ચુંટણીને લઈ રાજકીય માહોલ ગરમ છે રાજ્યભરમાં નેતાઓ સભા ગજવી રહ્યા છે આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પહોંચેલા અમીત શાહે કોંગ્રેસના કેમ્પેન કોંગ્રેસનું કામ બોલે છે પર કટાક્ષ કરતાં કહ્યું કે કામ કર્યું પણ ભાઈ તમારા કામ ની યાદી તો અપાવ.  જુવાનીયાને તો ખબર પણ નહીં હોય તમે તો વિજળીમાં  જનમ્યા છો. પણ મોટી ઉમરવાળા હોય તો ગામડામાં વાળું કરવા કરતી વખતે વીજળી આવતી હતી? કહો તો જરા. 2004 થી ગુજરાતના દરેક ગામ ની અંદર વીજળી પહોંચાડવાનું કામ ભાજપે કર્યું છે.


અમિત શાહએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર !

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસ કહે છે કે અમે કામ કર્યું અમે કામ કર્યું પણ ભાઈ તમારા કામ ની યાદી તો અપાવ.  જુવાનીયાને તો ખાબેર નહીં હોય તમે તો વિજળીમાં જનમ્યા છો. પણ મોટી ઉમરવાળા હોય તો ગામડામાં વાળું કરવા કરતી વખતે વીજળી આવતી હતી? કહો તો જરા. 2004 થી ગુજરાતના દરેક ગામ ની અંદર વીજળી પહોંચાડવાનું કામ ભાજપે કર્યું છે. કોંગ્રેસના કારણે અહીથી વ્યવસયો ભાગતા હતા. ભ્રષ્ટાચારના કારણે આજે દેશના વિકાસની 30 ટકા નિકાંસ એકગુ ગુજરાત કરે છે. સૌથી વધુ ઔદ્યોગિક રોકાણ ગુજરાતમાં આવે. સૌથી વધુ લઘુ ઉધ્યોગ મા છે. આ પરિવર્તન ગુજરાતમાં ભાજપ સરકાર લાવી છે. અમે જે વાયદો કરીએ એ પૂરો કરીએ છીએ.


કલમ 370 પર પણ બોલ્યા .. 

કલમ 370 હટશે કોઈ માણતું ન હતું. 5 ઓગસ્ટના રોજ નરેન્દ્ર ભાઈએ 370ની કલમ એક જ જાટકે કાઢી નાખી. આ કોંગ્રેસીયાવ , દમજવાદી પાર્ટી બસપા, આપ પાર્ટી બધાએ કાઉ કાઉ ચાલુ કર્યું. સાંસદમાં કહ્યું કે લોહીની નદી વહી જશે. આર રાહુલબાબા ગુજરાતમાં જોવ લોહીની નદી શું કોઈને કાંકરી ચાલો કરવાની હિંમત નથી. આજે કાશ્મીર આન બાન અને શાન બની બેઠું છે. ભારતનું અભિન્ન અંગ બની બેઠું છે.  રાહુલ બાબા આવ્યા છે તે જવાબ આપે 10 વર્ષ સુધી તેની સરકાર હતી. પાકિસ્તાનથી આવી જતાં હતા અને કોઈ કઈ બોલતું ન હતું. મૌની બાબા ચૂપ થી બેઠા હતા. 2014 માં મોદી વડાપ્રધાન બન્યા.







રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.