અમિત શાહએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર અને કલમ 370 પર પણ બોલ્યા !!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-21 14:32:28


ગુજરાત ચુંટણીને લઈ રાજકીય માહોલ ગરમ છે રાજ્યભરમાં નેતાઓ સભા ગજવી રહ્યા છે આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પહોંચેલા અમીત શાહે કોંગ્રેસના કેમ્પેન કોંગ્રેસનું કામ બોલે છે પર કટાક્ષ કરતાં કહ્યું કે કામ કર્યું પણ ભાઈ તમારા કામ ની યાદી તો અપાવ.  જુવાનીયાને તો ખબર પણ નહીં હોય તમે તો વિજળીમાં  જનમ્યા છો. પણ મોટી ઉમરવાળા હોય તો ગામડામાં વાળું કરવા કરતી વખતે વીજળી આવતી હતી? કહો તો જરા. 2004 થી ગુજરાતના દરેક ગામ ની અંદર વીજળી પહોંચાડવાનું કામ ભાજપે કર્યું છે.


અમિત શાહએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર !

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસ કહે છે કે અમે કામ કર્યું અમે કામ કર્યું પણ ભાઈ તમારા કામ ની યાદી તો અપાવ.  જુવાનીયાને તો ખાબેર નહીં હોય તમે તો વિજળીમાં જનમ્યા છો. પણ મોટી ઉમરવાળા હોય તો ગામડામાં વાળું કરવા કરતી વખતે વીજળી આવતી હતી? કહો તો જરા. 2004 થી ગુજરાતના દરેક ગામ ની અંદર વીજળી પહોંચાડવાનું કામ ભાજપે કર્યું છે. કોંગ્રેસના કારણે અહીથી વ્યવસયો ભાગતા હતા. ભ્રષ્ટાચારના કારણે આજે દેશના વિકાસની 30 ટકા નિકાંસ એકગુ ગુજરાત કરે છે. સૌથી વધુ ઔદ્યોગિક રોકાણ ગુજરાતમાં આવે. સૌથી વધુ લઘુ ઉધ્યોગ મા છે. આ પરિવર્તન ગુજરાતમાં ભાજપ સરકાર લાવી છે. અમે જે વાયદો કરીએ એ પૂરો કરીએ છીએ.


કલમ 370 પર પણ બોલ્યા .. 

કલમ 370 હટશે કોઈ માણતું ન હતું. 5 ઓગસ્ટના રોજ નરેન્દ્ર ભાઈએ 370ની કલમ એક જ જાટકે કાઢી નાખી. આ કોંગ્રેસીયાવ , દમજવાદી પાર્ટી બસપા, આપ પાર્ટી બધાએ કાઉ કાઉ ચાલુ કર્યું. સાંસદમાં કહ્યું કે લોહીની નદી વહી જશે. આર રાહુલબાબા ગુજરાતમાં જોવ લોહીની નદી શું કોઈને કાંકરી ચાલો કરવાની હિંમત નથી. આજે કાશ્મીર આન બાન અને શાન બની બેઠું છે. ભારતનું અભિન્ન અંગ બની બેઠું છે.  રાહુલ બાબા આવ્યા છે તે જવાબ આપે 10 વર્ષ સુધી તેની સરકાર હતી. પાકિસ્તાનથી આવી જતાં હતા અને કોઈ કઈ બોલતું ન હતું. મૌની બાબા ચૂપ થી બેઠા હતા. 2014 માં મોદી વડાપ્રધાન બન્યા.







ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.