સિદ્ધપુરમાં અમિત શાહે કર્યા કોંગ્રેસ પર પ્રહાર! મોદી સરકારના 9 વર્ષ દરમિયાન લેવાયા નિર્ણયો અંગે અમિત શાહે કરી વાત! જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-11 10:54:24

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે પાટણ ખાતે સંપર્કથી સમર્થન અભિયાન અંતર્ગત આજે સિદ્ધપુર ખાતે તેમણે જનસભામાં સંબોધન કર્યું હતું જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમજ ભાજપ દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવ્યા હતા.  તે ઉપરાંત કોંગ્રેસને પણ પોતાના સંબોધનમાં આડે હાથ લીધી હતી. રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર અમિત શાહે પ્રહાર કર્યા હતા. તે સિવાય લોકસભાની ચૂંટણીને લઈ પણ વાત કરી હતી.

 


રાણકી વાવને લઈ અમિત શાહે કહી આ વાત!

ગુજરાતના પ્રવાસે હાલ અમિત શાહ આવ્યા છે. સિદ્ધપુર ખાતે તેમણે જનસભાને સંબોધી હતી જેમાં તેમણે ભાજપ સરકારના ગુણગાન ગાયા હતા. મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે રાણકી વાવનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે પાટણની ઐતિહાસિક રાણકી વાવને ₹100ની નોટ પર જ છાપીને પાટણની વાવને દુનિયા અને દેશમાં પહોંચાડવાનું કામ મોદી સરકાર કર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ 9 વર્ષના મોદીજીના શાસનના સમાપ્તિના અવસર પર સમગ્ર દેશ જનતાના ધન્યવાદ કરવા માટે આ લોક સંપર્કનો કાર્યક્રમ રાખ્યો છે. હું આજે સૌથી પહેલા છે ગુજરાતીઓનો હૃદય પૂર્વક ધન્યવાદ ભારતીય જનતા પાર્ટી તરફથી કરું છું.

  

  

રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર કર્યો કટાક્ષ!     

પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર તો પ્રહાર કર્યા પરંતુ રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસને લઈને પણ અમિત શાહે ટાણો માર્યો હતો.અમિત શાહે કહ્યું 'આ રાહુલ બાબા વિદેશમાં વેકેશન કરવા ગયા છે અને વિદેશમાં જઈ ભારતની નિંદા કરવાનું કામ કરે છે. રાહુલ બાબા તમારા પૂર્વજો પાસેથી શિખજો કે દેશના રાજકારણની ચર્ચા દેશની ભૂમિ પર કરે. વિદેશમાં જઈ દેશના રાજકારણની ચર્ચા કરી નિંદા કરવાનું કામ કોઈપણ નેતાને શોભતું નથી'.    

 

  

લોકસભા ચૂંટણીને લઈ શાહે આપ્યું નિવેદન!

અમિત શાહે લોકસભા ચૂંટણીને લઈને પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે વર્ષ 2014 અને 2019માં લોકસભાની ચૂંટણીમાં ગુજરાતે તમામ બેઠકો પર ભાજપને જીતાડી છે. આ 9 વર્ષની સિદ્ધિઓ, 9 વર્ષમાં દેશમાં આવેલા પરિવર્તન તે એ કોઈ ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્ર ભાઈની સિદ્ધિઓ નથી, 9 વર્ષની અંદર દેશમાં જે પરિવર્તન આવ્યું છે તે ગુજરાત અને દેશના 100 કરોડ લોકોની સિદ્ધિઓ છે.  







પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.