સિદ્ધપુરમાં અમિત શાહે કર્યા કોંગ્રેસ પર પ્રહાર! મોદી સરકારના 9 વર્ષ દરમિયાન લેવાયા નિર્ણયો અંગે અમિત શાહે કરી વાત! જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-11 10:54:24

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે પાટણ ખાતે સંપર્કથી સમર્થન અભિયાન અંતર્ગત આજે સિદ્ધપુર ખાતે તેમણે જનસભામાં સંબોધન કર્યું હતું જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમજ ભાજપ દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવ્યા હતા.  તે ઉપરાંત કોંગ્રેસને પણ પોતાના સંબોધનમાં આડે હાથ લીધી હતી. રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર અમિત શાહે પ્રહાર કર્યા હતા. તે સિવાય લોકસભાની ચૂંટણીને લઈ પણ વાત કરી હતી.

 


રાણકી વાવને લઈ અમિત શાહે કહી આ વાત!

ગુજરાતના પ્રવાસે હાલ અમિત શાહ આવ્યા છે. સિદ્ધપુર ખાતે તેમણે જનસભાને સંબોધી હતી જેમાં તેમણે ભાજપ સરકારના ગુણગાન ગાયા હતા. મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે રાણકી વાવનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે પાટણની ઐતિહાસિક રાણકી વાવને ₹100ની નોટ પર જ છાપીને પાટણની વાવને દુનિયા અને દેશમાં પહોંચાડવાનું કામ મોદી સરકાર કર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ 9 વર્ષના મોદીજીના શાસનના સમાપ્તિના અવસર પર સમગ્ર દેશ જનતાના ધન્યવાદ કરવા માટે આ લોક સંપર્કનો કાર્યક્રમ રાખ્યો છે. હું આજે સૌથી પહેલા છે ગુજરાતીઓનો હૃદય પૂર્વક ધન્યવાદ ભારતીય જનતા પાર્ટી તરફથી કરું છું.

  

  

રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર કર્યો કટાક્ષ!     

પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર તો પ્રહાર કર્યા પરંતુ રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસને લઈને પણ અમિત શાહે ટાણો માર્યો હતો.અમિત શાહે કહ્યું 'આ રાહુલ બાબા વિદેશમાં વેકેશન કરવા ગયા છે અને વિદેશમાં જઈ ભારતની નિંદા કરવાનું કામ કરે છે. રાહુલ બાબા તમારા પૂર્વજો પાસેથી શિખજો કે દેશના રાજકારણની ચર્ચા દેશની ભૂમિ પર કરે. વિદેશમાં જઈ દેશના રાજકારણની ચર્ચા કરી નિંદા કરવાનું કામ કોઈપણ નેતાને શોભતું નથી'.    

 

  

લોકસભા ચૂંટણીને લઈ શાહે આપ્યું નિવેદન!

અમિત શાહે લોકસભા ચૂંટણીને લઈને પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે વર્ષ 2014 અને 2019માં લોકસભાની ચૂંટણીમાં ગુજરાતે તમામ બેઠકો પર ભાજપને જીતાડી છે. આ 9 વર્ષની સિદ્ધિઓ, 9 વર્ષમાં દેશમાં આવેલા પરિવર્તન તે એ કોઈ ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્ર ભાઈની સિદ્ધિઓ નથી, 9 વર્ષની અંદર દેશમાં જે પરિવર્તન આવ્યું છે તે ગુજરાત અને દેશના 100 કરોડ લોકોની સિદ્ધિઓ છે.  







ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.