સિદ્ધપુરમાં અમિત શાહે કર્યા કોંગ્રેસ પર પ્રહાર! મોદી સરકારના 9 વર્ષ દરમિયાન લેવાયા નિર્ણયો અંગે અમિત શાહે કરી વાત! જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-11 10:54:24

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે પાટણ ખાતે સંપર્કથી સમર્થન અભિયાન અંતર્ગત આજે સિદ્ધપુર ખાતે તેમણે જનસભામાં સંબોધન કર્યું હતું જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમજ ભાજપ દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવ્યા હતા.  તે ઉપરાંત કોંગ્રેસને પણ પોતાના સંબોધનમાં આડે હાથ લીધી હતી. રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર અમિત શાહે પ્રહાર કર્યા હતા. તે સિવાય લોકસભાની ચૂંટણીને લઈ પણ વાત કરી હતી.

 


રાણકી વાવને લઈ અમિત શાહે કહી આ વાત!

ગુજરાતના પ્રવાસે હાલ અમિત શાહ આવ્યા છે. સિદ્ધપુર ખાતે તેમણે જનસભાને સંબોધી હતી જેમાં તેમણે ભાજપ સરકારના ગુણગાન ગાયા હતા. મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે રાણકી વાવનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે પાટણની ઐતિહાસિક રાણકી વાવને ₹100ની નોટ પર જ છાપીને પાટણની વાવને દુનિયા અને દેશમાં પહોંચાડવાનું કામ મોદી સરકાર કર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ 9 વર્ષના મોદીજીના શાસનના સમાપ્તિના અવસર પર સમગ્ર દેશ જનતાના ધન્યવાદ કરવા માટે આ લોક સંપર્કનો કાર્યક્રમ રાખ્યો છે. હું આજે સૌથી પહેલા છે ગુજરાતીઓનો હૃદય પૂર્વક ધન્યવાદ ભારતીય જનતા પાર્ટી તરફથી કરું છું.

  

  

રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર કર્યો કટાક્ષ!     

પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર તો પ્રહાર કર્યા પરંતુ રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસને લઈને પણ અમિત શાહે ટાણો માર્યો હતો.અમિત શાહે કહ્યું 'આ રાહુલ બાબા વિદેશમાં વેકેશન કરવા ગયા છે અને વિદેશમાં જઈ ભારતની નિંદા કરવાનું કામ કરે છે. રાહુલ બાબા તમારા પૂર્વજો પાસેથી શિખજો કે દેશના રાજકારણની ચર્ચા દેશની ભૂમિ પર કરે. વિદેશમાં જઈ દેશના રાજકારણની ચર્ચા કરી નિંદા કરવાનું કામ કોઈપણ નેતાને શોભતું નથી'.    

 

  

લોકસભા ચૂંટણીને લઈ શાહે આપ્યું નિવેદન!

અમિત શાહે લોકસભા ચૂંટણીને લઈને પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે વર્ષ 2014 અને 2019માં લોકસભાની ચૂંટણીમાં ગુજરાતે તમામ બેઠકો પર ભાજપને જીતાડી છે. આ 9 વર્ષની સિદ્ધિઓ, 9 વર્ષમાં દેશમાં આવેલા પરિવર્તન તે એ કોઈ ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્ર ભાઈની સિદ્ધિઓ નથી, 9 વર્ષની અંદર દેશમાં જે પરિવર્તન આવ્યું છે તે ગુજરાત અને દેશના 100 કરોડ લોકોની સિદ્ધિઓ છે.  







ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.