અમદાવાદના ઝાંઝરકાથી અમિત શાહે ગૌરવ યાત્રાને બતાવી લીલી ઝંડી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 13:11:24

વિધાનસભા ચૂંટણી નજીક આવતા ભાજપે પ્રચાર કરવાનો શુભારંભ કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પરંતુ દરેક જગ્યાએ વડાપ્રધાન પ્રચાર નહીં કરી શકે, તે માટે જન જન સુધી પહોંચવા ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે.અલગ અલગ સ્થળો પર આ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના ઝાંઝરકા ખાતેથી ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. આ યાત્રા ઝાંઝરકાથી સોમનાથ સુધીનો પ્રવાસ કરશે. 

શાહે કોંગ્રેસ પર કર્યો પ્રહાર

અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે લોકોનો વિશ્વાસ અને અમે પૂર્ણ કરેલા વિશ્વાસના ગૌરવની યાત્રા છે. ઘરે ઘરે જઈ ભાજપ દ્વારા કરવામાં કામો લોકો સુધી પહોંચાડવામાં આવશે. નરેન્દ્ર મોદીના વખાણ કરતા તેમણ કહ્યું કે નરેન્દ્ર મોદી આવ્યા એ પહેલા 24 કલાક વીજળી નથી મળતી. નર્મદાનું પાણી નથી મળતું. કોંગ્રેસે વીજળી, પાણી અને ઉદ્યોગો નહોતા. પોતાના શાસન કાળ દરમિયાન કોંગ્રેસે ખાલી રમખાણો આપ્યા છે . ગુજરાતમાં 300 દિવસમાંથી 200 દિવસ કર્ફ્યું રહેતો હતો. પરંતુ મોદી સરકાર આવ્યા બાદ ગુજરાતમાં કર્ફ્યુંનું નામોનિશાન નથી.

  

સૌરાષ્ટ્ર પર ભાજપની નજર

ગુજરાતમાં ભાજપની સરકાર આવી ત્યારથી ગુજરાતમાં શાંતિ, સુરક્ષા, વિકાસ અને સમૃદ્ધિનો નારો લાગ્યો છે. બીજી એક યાત્રા ઉનાઈથી અંબાજી સુધીની રહેશે અને ત્રીજી યાત્રા ઉનાઈથી ફાગવેલ સુધી નિકળવાની છે. આ ત્રણેય યાત્રાઓ 66 વિધાનસભા ક્ષેત્રમાં ફરશે અને ભાજપનો પ્રચાર કરશે. અનેક કેન્દ્રીય મંત્રીઓ આ ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવી રહ્યા છે. સૌરાષ્ટ્ર પર વધારે ફોક્સ ભાજપ રાખી રહ્યું છે.      



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે