અમદાવાદના ઝાંઝરકાથી અમિત શાહે ગૌરવ યાત્રાને બતાવી લીલી ઝંડી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 13:11:24

વિધાનસભા ચૂંટણી નજીક આવતા ભાજપે પ્રચાર કરવાનો શુભારંભ કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પરંતુ દરેક જગ્યાએ વડાપ્રધાન પ્રચાર નહીં કરી શકે, તે માટે જન જન સુધી પહોંચવા ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે.અલગ અલગ સ્થળો પર આ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના ઝાંઝરકા ખાતેથી ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. આ યાત્રા ઝાંઝરકાથી સોમનાથ સુધીનો પ્રવાસ કરશે. 

શાહે કોંગ્રેસ પર કર્યો પ્રહાર

અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે લોકોનો વિશ્વાસ અને અમે પૂર્ણ કરેલા વિશ્વાસના ગૌરવની યાત્રા છે. ઘરે ઘરે જઈ ભાજપ દ્વારા કરવામાં કામો લોકો સુધી પહોંચાડવામાં આવશે. નરેન્દ્ર મોદીના વખાણ કરતા તેમણ કહ્યું કે નરેન્દ્ર મોદી આવ્યા એ પહેલા 24 કલાક વીજળી નથી મળતી. નર્મદાનું પાણી નથી મળતું. કોંગ્રેસે વીજળી, પાણી અને ઉદ્યોગો નહોતા. પોતાના શાસન કાળ દરમિયાન કોંગ્રેસે ખાલી રમખાણો આપ્યા છે . ગુજરાતમાં 300 દિવસમાંથી 200 દિવસ કર્ફ્યું રહેતો હતો. પરંતુ મોદી સરકાર આવ્યા બાદ ગુજરાતમાં કર્ફ્યુંનું નામોનિશાન નથી.

  

સૌરાષ્ટ્ર પર ભાજપની નજર

ગુજરાતમાં ભાજપની સરકાર આવી ત્યારથી ગુજરાતમાં શાંતિ, સુરક્ષા, વિકાસ અને સમૃદ્ધિનો નારો લાગ્યો છે. બીજી એક યાત્રા ઉનાઈથી અંબાજી સુધીની રહેશે અને ત્રીજી યાત્રા ઉનાઈથી ફાગવેલ સુધી નિકળવાની છે. આ ત્રણેય યાત્રાઓ 66 વિધાનસભા ક્ષેત્રમાં ફરશે અને ભાજપનો પ્રચાર કરશે. અનેક કેન્દ્રીય મંત્રીઓ આ ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવી રહ્યા છે. સૌરાષ્ટ્ર પર વધારે ફોક્સ ભાજપ રાખી રહ્યું છે.      



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.