અમદાવાદના ઝાંઝરકાથી અમિત શાહે ગૌરવ યાત્રાને બતાવી લીલી ઝંડી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 13:11:24

વિધાનસભા ચૂંટણી નજીક આવતા ભાજપે પ્રચાર કરવાનો શુભારંભ કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પરંતુ દરેક જગ્યાએ વડાપ્રધાન પ્રચાર નહીં કરી શકે, તે માટે જન જન સુધી પહોંચવા ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે.અલગ અલગ સ્થળો પર આ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના ઝાંઝરકા ખાતેથી ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. આ યાત્રા ઝાંઝરકાથી સોમનાથ સુધીનો પ્રવાસ કરશે. 

શાહે કોંગ્રેસ પર કર્યો પ્રહાર

અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે લોકોનો વિશ્વાસ અને અમે પૂર્ણ કરેલા વિશ્વાસના ગૌરવની યાત્રા છે. ઘરે ઘરે જઈ ભાજપ દ્વારા કરવામાં કામો લોકો સુધી પહોંચાડવામાં આવશે. નરેન્દ્ર મોદીના વખાણ કરતા તેમણ કહ્યું કે નરેન્દ્ર મોદી આવ્યા એ પહેલા 24 કલાક વીજળી નથી મળતી. નર્મદાનું પાણી નથી મળતું. કોંગ્રેસે વીજળી, પાણી અને ઉદ્યોગો નહોતા. પોતાના શાસન કાળ દરમિયાન કોંગ્રેસે ખાલી રમખાણો આપ્યા છે . ગુજરાતમાં 300 દિવસમાંથી 200 દિવસ કર્ફ્યું રહેતો હતો. પરંતુ મોદી સરકાર આવ્યા બાદ ગુજરાતમાં કર્ફ્યુંનું નામોનિશાન નથી.

  

સૌરાષ્ટ્ર પર ભાજપની નજર

ગુજરાતમાં ભાજપની સરકાર આવી ત્યારથી ગુજરાતમાં શાંતિ, સુરક્ષા, વિકાસ અને સમૃદ્ધિનો નારો લાગ્યો છે. બીજી એક યાત્રા ઉનાઈથી અંબાજી સુધીની રહેશે અને ત્રીજી યાત્રા ઉનાઈથી ફાગવેલ સુધી નિકળવાની છે. આ ત્રણેય યાત્રાઓ 66 વિધાનસભા ક્ષેત્રમાં ફરશે અને ભાજપનો પ્રચાર કરશે. અનેક કેન્દ્રીય મંત્રીઓ આ ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવી રહ્યા છે. સૌરાષ્ટ્ર પર વધારે ફોક્સ ભાજપ રાખી રહ્યું છે.      



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .