વિધાનસભા ચૂંટણી: કમલમમાં અમિત શાહની સ્થાનિક નેતાઓ સાથે હાઈવોલ્ટેજ બેઠક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 12:58:23

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ અને વિપક્ષ પાર્ટીઓના નેતાઓના આંટાફેરા વધ્યા છે. ભાજપના નેતાઓ પણ પોતાનો ગઢ સુરક્ષિત રાખવાના પ્રયાસ કરી રહ્યા છે. જેના ભાગરૂપે ભાજપના દિગ્ગજ નેતાઓની ગુજરાત મુલાકાતો વધી રહી છે. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અમિતશાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમિત શાહે આજે ગાંધીનગર કમલમ ખાતે ભાજપની હાઈવોલ્ટેજ બેઠક યોજાઇ હતી. ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં કમલમમાં બંધ બારણે ચૂંટણી વ્યૂહ તેમજ ચૂંટણી પ્રચાર મુદ્દે ચર્ચા કરવા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દરેક બાબતો પર ચર્ચા કરવામાં આવશે તેના બાદ ગુજરાતના ભાજપના નિશ્ચિત મંત્રીઓને કેટલીક જવાબદારી સોપવામાં આવે તેવું અનુમાન છે.


કર્મચારી આદોલનથી ચિંતિંત ભાજપ હાઈકમાન


ગુજરાતમાં સરકાર વિરોધી માહોલ સર્જાયો છે. સરકારી કર્મચારીઓ, ખેડૂતો અને બેરોજગાર યુવાનો  દ્વારા સતત આંદોલનનો કરવામાં આવી રહ્યા છે. જેનો લાભ લેવા કોંગ્રેસ તેમજ આપના નેતાઓ તલપાપાડ છે. આપના કન્વિનર અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ ગુજરાતની મુલાકાતો વધારી છે. આ નેતાઓ રાજ્યના વિવિધ ભાગોમાં જોરશોરથી ચૂંટણી અભિયાન  ચલાવી રહ્યા છે. આ તમામ બાબતોથી ભાજપ હાઈકમાન ખુબ ચિંતિત છે. આ બેઠકમાં કોંગ્રેસ અને આપના પ્રચાર સામે કયા મુદ્દા રાખવા તેમજ ભાજપના કાર્યકરો કયા મુદ્દાનો સમાવેશ કરી લોકો વચ્ચે જવું  જોઈએ તે બાબતો અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. 



સરકાર સામેના રોષને ઠારવાના ઉપાયો પર ચર્ચા

 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં બંધ બારણે યોજાયેલી બેઠકમાં ગુજરાતમાં ચાલી રહેલા સરકાર વિરોધી આંદોલનો ઠારવા અને પ્રજા જે બાબતો પર સરકારથી રોષે ભરાયેલ છે તે મુદ્દાઓની આ બેઠકમાં મંથન કરવામાં આવ્યું હતું. સવા કલાકથી વધુ સમય સુધી આી બેઠક ચાલી હતી અને નિર્ધારિત કાર્યક્રમથી વધુ સમય અમિત શાહ કમલમ ખાતે રોકાયા હતા.


બૂથસ્તરે પ્રચાર કાર્યક્રમો યોજવાની સુચના


આ બેઠકમાં અમિત શાહે સરકારની સિદ્ધિઓ વધુ આક્રમકતાથી લોકો સુધી પહોંચાડવા સૂચનો કર્યા હતા. બૂથસ્તરે પ્રચાર કાર્યક્રમો કરવા માટે આમિત શાહે કાર્યક્રરોને સૂચના આપી હતી. આ અંગે તેમણે કાર્યકરો પાસેથી સજેશન પણ લીધા હતા. અમિતશાહે કાર્યકરોને સરકાર અને સંગઠન વચ્ચે વધુ સંકલન કરવા અંગે ખાસ ટકોર કરી હતી અને શિસ્તબદ્ધ રહેવાનો આદેશ પણ આપ્યો હતો.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.