વિધાનસભા ચૂંટણી: કમલમમાં અમિત શાહની સ્થાનિક નેતાઓ સાથે હાઈવોલ્ટેજ બેઠક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 12:58:23

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ અને વિપક્ષ પાર્ટીઓના નેતાઓના આંટાફેરા વધ્યા છે. ભાજપના નેતાઓ પણ પોતાનો ગઢ સુરક્ષિત રાખવાના પ્રયાસ કરી રહ્યા છે. જેના ભાગરૂપે ભાજપના દિગ્ગજ નેતાઓની ગુજરાત મુલાકાતો વધી રહી છે. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અમિતશાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમિત શાહે આજે ગાંધીનગર કમલમ ખાતે ભાજપની હાઈવોલ્ટેજ બેઠક યોજાઇ હતી. ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં કમલમમાં બંધ બારણે ચૂંટણી વ્યૂહ તેમજ ચૂંટણી પ્રચાર મુદ્દે ચર્ચા કરવા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દરેક બાબતો પર ચર્ચા કરવામાં આવશે તેના બાદ ગુજરાતના ભાજપના નિશ્ચિત મંત્રીઓને કેટલીક જવાબદારી સોપવામાં આવે તેવું અનુમાન છે.


કર્મચારી આદોલનથી ચિંતિંત ભાજપ હાઈકમાન


ગુજરાતમાં સરકાર વિરોધી માહોલ સર્જાયો છે. સરકારી કર્મચારીઓ, ખેડૂતો અને બેરોજગાર યુવાનો  દ્વારા સતત આંદોલનનો કરવામાં આવી રહ્યા છે. જેનો લાભ લેવા કોંગ્રેસ તેમજ આપના નેતાઓ તલપાપાડ છે. આપના કન્વિનર અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ ગુજરાતની મુલાકાતો વધારી છે. આ નેતાઓ રાજ્યના વિવિધ ભાગોમાં જોરશોરથી ચૂંટણી અભિયાન  ચલાવી રહ્યા છે. આ તમામ બાબતોથી ભાજપ હાઈકમાન ખુબ ચિંતિત છે. આ બેઠકમાં કોંગ્રેસ અને આપના પ્રચાર સામે કયા મુદ્દા રાખવા તેમજ ભાજપના કાર્યકરો કયા મુદ્દાનો સમાવેશ કરી લોકો વચ્ચે જવું  જોઈએ તે બાબતો અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. 



સરકાર સામેના રોષને ઠારવાના ઉપાયો પર ચર્ચા

 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં બંધ બારણે યોજાયેલી બેઠકમાં ગુજરાતમાં ચાલી રહેલા સરકાર વિરોધી આંદોલનો ઠારવા અને પ્રજા જે બાબતો પર સરકારથી રોષે ભરાયેલ છે તે મુદ્દાઓની આ બેઠકમાં મંથન કરવામાં આવ્યું હતું. સવા કલાકથી વધુ સમય સુધી આી બેઠક ચાલી હતી અને નિર્ધારિત કાર્યક્રમથી વધુ સમય અમિત શાહ કમલમ ખાતે રોકાયા હતા.


બૂથસ્તરે પ્રચાર કાર્યક્રમો યોજવાની સુચના


આ બેઠકમાં અમિત શાહે સરકારની સિદ્ધિઓ વધુ આક્રમકતાથી લોકો સુધી પહોંચાડવા સૂચનો કર્યા હતા. બૂથસ્તરે પ્રચાર કાર્યક્રમો કરવા માટે આમિત શાહે કાર્યક્રરોને સૂચના આપી હતી. આ અંગે તેમણે કાર્યકરો પાસેથી સજેશન પણ લીધા હતા. અમિતશાહે કાર્યકરોને સરકાર અને સંગઠન વચ્ચે વધુ સંકલન કરવા અંગે ખાસ ટકોર કરી હતી અને શિસ્તબદ્ધ રહેવાનો આદેશ પણ આપ્યો હતો.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"