વિધાનસભા ચૂંટણી: કમલમમાં અમિત શાહની સ્થાનિક નેતાઓ સાથે હાઈવોલ્ટેજ બેઠક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 12:58:23

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ અને વિપક્ષ પાર્ટીઓના નેતાઓના આંટાફેરા વધ્યા છે. ભાજપના નેતાઓ પણ પોતાનો ગઢ સુરક્ષિત રાખવાના પ્રયાસ કરી રહ્યા છે. જેના ભાગરૂપે ભાજપના દિગ્ગજ નેતાઓની ગુજરાત મુલાકાતો વધી રહી છે. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અમિતશાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમિત શાહે આજે ગાંધીનગર કમલમ ખાતે ભાજપની હાઈવોલ્ટેજ બેઠક યોજાઇ હતી. ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં કમલમમાં બંધ બારણે ચૂંટણી વ્યૂહ તેમજ ચૂંટણી પ્રચાર મુદ્દે ચર્ચા કરવા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દરેક બાબતો પર ચર્ચા કરવામાં આવશે તેના બાદ ગુજરાતના ભાજપના નિશ્ચિત મંત્રીઓને કેટલીક જવાબદારી સોપવામાં આવે તેવું અનુમાન છે.


કર્મચારી આદોલનથી ચિંતિંત ભાજપ હાઈકમાન


ગુજરાતમાં સરકાર વિરોધી માહોલ સર્જાયો છે. સરકારી કર્મચારીઓ, ખેડૂતો અને બેરોજગાર યુવાનો  દ્વારા સતત આંદોલનનો કરવામાં આવી રહ્યા છે. જેનો લાભ લેવા કોંગ્રેસ તેમજ આપના નેતાઓ તલપાપાડ છે. આપના કન્વિનર અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ ગુજરાતની મુલાકાતો વધારી છે. આ નેતાઓ રાજ્યના વિવિધ ભાગોમાં જોરશોરથી ચૂંટણી અભિયાન  ચલાવી રહ્યા છે. આ તમામ બાબતોથી ભાજપ હાઈકમાન ખુબ ચિંતિત છે. આ બેઠકમાં કોંગ્રેસ અને આપના પ્રચાર સામે કયા મુદ્દા રાખવા તેમજ ભાજપના કાર્યકરો કયા મુદ્દાનો સમાવેશ કરી લોકો વચ્ચે જવું  જોઈએ તે બાબતો અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. 



સરકાર સામેના રોષને ઠારવાના ઉપાયો પર ચર્ચા

 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં બંધ બારણે યોજાયેલી બેઠકમાં ગુજરાતમાં ચાલી રહેલા સરકાર વિરોધી આંદોલનો ઠારવા અને પ્રજા જે બાબતો પર સરકારથી રોષે ભરાયેલ છે તે મુદ્દાઓની આ બેઠકમાં મંથન કરવામાં આવ્યું હતું. સવા કલાકથી વધુ સમય સુધી આી બેઠક ચાલી હતી અને નિર્ધારિત કાર્યક્રમથી વધુ સમય અમિત શાહ કમલમ ખાતે રોકાયા હતા.


બૂથસ્તરે પ્રચાર કાર્યક્રમો યોજવાની સુચના


આ બેઠકમાં અમિત શાહે સરકારની સિદ્ધિઓ વધુ આક્રમકતાથી લોકો સુધી પહોંચાડવા સૂચનો કર્યા હતા. બૂથસ્તરે પ્રચાર કાર્યક્રમો કરવા માટે આમિત શાહે કાર્યક્રરોને સૂચના આપી હતી. આ અંગે તેમણે કાર્યકરો પાસેથી સજેશન પણ લીધા હતા. અમિતશાહે કાર્યકરોને સરકાર અને સંગઠન વચ્ચે વધુ સંકલન કરવા અંગે ખાસ ટકોર કરી હતી અને શિસ્તબદ્ધ રહેવાનો આદેશ પણ આપ્યો હતો.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .