વિધાનસભા ચૂંટણી: કમલમમાં અમિત શાહની સ્થાનિક નેતાઓ સાથે હાઈવોલ્ટેજ બેઠક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 12:58:23

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ અને વિપક્ષ પાર્ટીઓના નેતાઓના આંટાફેરા વધ્યા છે. ભાજપના નેતાઓ પણ પોતાનો ગઢ સુરક્ષિત રાખવાના પ્રયાસ કરી રહ્યા છે. જેના ભાગરૂપે ભાજપના દિગ્ગજ નેતાઓની ગુજરાત મુલાકાતો વધી રહી છે. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અમિતશાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમિત શાહે આજે ગાંધીનગર કમલમ ખાતે ભાજપની હાઈવોલ્ટેજ બેઠક યોજાઇ હતી. ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં કમલમમાં બંધ બારણે ચૂંટણી વ્યૂહ તેમજ ચૂંટણી પ્રચાર મુદ્દે ચર્ચા કરવા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દરેક બાબતો પર ચર્ચા કરવામાં આવશે તેના બાદ ગુજરાતના ભાજપના નિશ્ચિત મંત્રીઓને કેટલીક જવાબદારી સોપવામાં આવે તેવું અનુમાન છે.


કર્મચારી આદોલનથી ચિંતિંત ભાજપ હાઈકમાન


ગુજરાતમાં સરકાર વિરોધી માહોલ સર્જાયો છે. સરકારી કર્મચારીઓ, ખેડૂતો અને બેરોજગાર યુવાનો  દ્વારા સતત આંદોલનનો કરવામાં આવી રહ્યા છે. જેનો લાભ લેવા કોંગ્રેસ તેમજ આપના નેતાઓ તલપાપાડ છે. આપના કન્વિનર અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ ગુજરાતની મુલાકાતો વધારી છે. આ નેતાઓ રાજ્યના વિવિધ ભાગોમાં જોરશોરથી ચૂંટણી અભિયાન  ચલાવી રહ્યા છે. આ તમામ બાબતોથી ભાજપ હાઈકમાન ખુબ ચિંતિત છે. આ બેઠકમાં કોંગ્રેસ અને આપના પ્રચાર સામે કયા મુદ્દા રાખવા તેમજ ભાજપના કાર્યકરો કયા મુદ્દાનો સમાવેશ કરી લોકો વચ્ચે જવું  જોઈએ તે બાબતો અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. 



સરકાર સામેના રોષને ઠારવાના ઉપાયો પર ચર્ચા

 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં બંધ બારણે યોજાયેલી બેઠકમાં ગુજરાતમાં ચાલી રહેલા સરકાર વિરોધી આંદોલનો ઠારવા અને પ્રજા જે બાબતો પર સરકારથી રોષે ભરાયેલ છે તે મુદ્દાઓની આ બેઠકમાં મંથન કરવામાં આવ્યું હતું. સવા કલાકથી વધુ સમય સુધી આી બેઠક ચાલી હતી અને નિર્ધારિત કાર્યક્રમથી વધુ સમય અમિત શાહ કમલમ ખાતે રોકાયા હતા.


બૂથસ્તરે પ્રચાર કાર્યક્રમો યોજવાની સુચના


આ બેઠકમાં અમિત શાહે સરકારની સિદ્ધિઓ વધુ આક્રમકતાથી લોકો સુધી પહોંચાડવા સૂચનો કર્યા હતા. બૂથસ્તરે પ્રચાર કાર્યક્રમો કરવા માટે આમિત શાહે કાર્યક્રરોને સૂચના આપી હતી. આ અંગે તેમણે કાર્યકરો પાસેથી સજેશન પણ લીધા હતા. અમિતશાહે કાર્યકરોને સરકાર અને સંગઠન વચ્ચે વધુ સંકલન કરવા અંગે ખાસ ટકોર કરી હતી અને શિસ્તબદ્ધ રહેવાનો આદેશ પણ આપ્યો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે