અમિત શાહ કચ્છની મુલાકાતે, બિપોરજોયે સર્જેલી તારાજીને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ કર્યું નિરીક્ષણ


  • Published By :
  • Published Date : 2023-06-17 15:36:26

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાએ તારાજી સર્જી છે. અનેક જિલ્લાઓમાંથી નુકસાનીની તસવીરો સામે આવી રહી છે. વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો તેમજ વીજથાંભલા ધરાશાયી થયા હતા. મુખ્યમંત્રી સતત આ મામલે અપડેટ લઈ રહ્યા હતા અને વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા હતા. ત્યારે બિપોરજોય બાદ સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કચ્છની મુલાકાત અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી છે. કચ્છ જિલ્લાનું બંને નેતાઓએ હવાઈ નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ કર્યા બાદ તેમણે માંડવીની હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. બિપોરજોયને લઈ સાંજે પાંચ વાગ્યે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. 

   

બિપોરજોયે મચાવી હતી તબાહી!

બિપોરજોય વાવાઝોડાનો ખતરો ગુજરાત પર તોળાતો હતો. દરિયાકિનારા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા હતા. તંત્ર દ્વારા એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી હતી. અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ત્યારે વાવાઝોડું તો જતું રહ્યું પરંતુ પોતાની પાછળ નુકસાની છોડીને ગયું. વાવાઝોડાને કારણે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો અને તેની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાતો હતો. ભારે પવન તેમજ વરસાદને કારણે અનેક વીજળી થાંભલા તેમજ વૃક્ષો ધરાશાયી થયાં હતા. ત્યારે વાવાઝોડા બાદ સર્જાયેલી પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરવા અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ કચ્છ પહોંચ્યા હતા. તે બાદ તેમણે હોસ્પિટલની મુલાકાત લઈ લોકોના ખબરઅંતર પણ પૂછ્યા હતા.       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.