અમિત શાહ કચ્છની મુલાકાતે, બિપોરજોયે સર્જેલી તારાજીને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ કર્યું નિરીક્ષણ


  • Published By :
  • Published Date : 2023-06-17 15:36:26

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાએ તારાજી સર્જી છે. અનેક જિલ્લાઓમાંથી નુકસાનીની તસવીરો સામે આવી રહી છે. વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો તેમજ વીજથાંભલા ધરાશાયી થયા હતા. મુખ્યમંત્રી સતત આ મામલે અપડેટ લઈ રહ્યા હતા અને વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા હતા. ત્યારે બિપોરજોય બાદ સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કચ્છની મુલાકાત અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી છે. કચ્છ જિલ્લાનું બંને નેતાઓએ હવાઈ નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ કર્યા બાદ તેમણે માંડવીની હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. બિપોરજોયને લઈ સાંજે પાંચ વાગ્યે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. 

   

બિપોરજોયે મચાવી હતી તબાહી!

બિપોરજોય વાવાઝોડાનો ખતરો ગુજરાત પર તોળાતો હતો. દરિયાકિનારા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા હતા. તંત્ર દ્વારા એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી હતી. અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ત્યારે વાવાઝોડું તો જતું રહ્યું પરંતુ પોતાની પાછળ નુકસાની છોડીને ગયું. વાવાઝોડાને કારણે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો અને તેની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાતો હતો. ભારે પવન તેમજ વરસાદને કારણે અનેક વીજળી થાંભલા તેમજ વૃક્ષો ધરાશાયી થયાં હતા. ત્યારે વાવાઝોડા બાદ સર્જાયેલી પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરવા અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ કચ્છ પહોંચ્યા હતા. તે બાદ તેમણે હોસ્પિટલની મુલાકાત લઈ લોકોના ખબરઅંતર પણ પૂછ્યા હતા.       



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.