અમિત શાહ કચ્છની મુલાકાતે, બિપોરજોયે સર્જેલી તારાજીને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ કર્યું નિરીક્ષણ


  • Published By :
  • Published Date : 2023-06-17 15:36:26

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાએ તારાજી સર્જી છે. અનેક જિલ્લાઓમાંથી નુકસાનીની તસવીરો સામે આવી રહી છે. વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો તેમજ વીજથાંભલા ધરાશાયી થયા હતા. મુખ્યમંત્રી સતત આ મામલે અપડેટ લઈ રહ્યા હતા અને વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા હતા. ત્યારે બિપોરજોય બાદ સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કચ્છની મુલાકાત અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી છે. કચ્છ જિલ્લાનું બંને નેતાઓએ હવાઈ નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ કર્યા બાદ તેમણે માંડવીની હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. બિપોરજોયને લઈ સાંજે પાંચ વાગ્યે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. 

   

બિપોરજોયે મચાવી હતી તબાહી!

બિપોરજોય વાવાઝોડાનો ખતરો ગુજરાત પર તોળાતો હતો. દરિયાકિનારા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા હતા. તંત્ર દ્વારા એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી હતી. અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ત્યારે વાવાઝોડું તો જતું રહ્યું પરંતુ પોતાની પાછળ નુકસાની છોડીને ગયું. વાવાઝોડાને કારણે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો અને તેની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાતો હતો. ભારે પવન તેમજ વરસાદને કારણે અનેક વીજળી થાંભલા તેમજ વૃક્ષો ધરાશાયી થયાં હતા. ત્યારે વાવાઝોડા બાદ સર્જાયેલી પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરવા અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ કચ્છ પહોંચ્યા હતા. તે બાદ તેમણે હોસ્પિટલની મુલાકાત લઈ લોકોના ખબરઅંતર પણ પૂછ્યા હતા.       



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.