કોંગ્રેસે રામ મંદિર મુદ્દો કોર્ટમાં ફસાવ્યો, મોદીજીએ મંદિર બનાવ્યું: અમિત શાહ


  • Published By :
  • Published Date : 2023-01-05 19:04:47

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરૂવારે ઘોષણા કરી કે અયોધ્યામાં ભાગવાન રામના મંદિરનું ઉદઘાટન 1 જાન્યુઆરી 2024ના દિવસે કરવામાં આવશે. ત્રિપુરાના પ્રવાસે ગયેલા અમિત શાહે અગરતલામાં એક જનસભાને સંબોધી હતી. તેમણે જનમેદનીને સંબોધતા કોંગ્રેસ પર રામ મંદિર ન બનાવવાનો દેવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે રામ મંદિરના મુદ્દાને કોંગ્રેસે કોર્ટમાં ફસાવેલો રાખ્યો હતો. મોદીજી સત્તામા આવ્યા બાદ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો અને મોદીજીએ તે જ દિવસે રામ મંદિરનું ભૂમિ પૂજન કરાવી મંદિરના નિર્માણ કાર્યની શરૂ કરાવ્યું હતું.


"2024ની મજબૂત શરૂઆત"


કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ત્રિપુરામાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે 2024માં ચૂંટણી વર્ષની મજબૂત શરૂઆત થશે. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે કોર્ટમાં રામ મંદિરના નિર્માણમાં અવરોધ ઉભો કર્યો, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિર નિર્માણનું કામ શરૂ કર્યું છે. નવેમ્બરમાં, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે મંદિરનું નિર્માણ અડધોઅડધ કામ પૂર્ણ થઈ ગયું છે અને તે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે.




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.