કોંગ્રેસે રામ મંદિર મુદ્દો કોર્ટમાં ફસાવ્યો, મોદીજીએ મંદિર બનાવ્યું: અમિત શાહ


  • Published By :
  • Published Date : 2023-01-05 19:04:47

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરૂવારે ઘોષણા કરી કે અયોધ્યામાં ભાગવાન રામના મંદિરનું ઉદઘાટન 1 જાન્યુઆરી 2024ના દિવસે કરવામાં આવશે. ત્રિપુરાના પ્રવાસે ગયેલા અમિત શાહે અગરતલામાં એક જનસભાને સંબોધી હતી. તેમણે જનમેદનીને સંબોધતા કોંગ્રેસ પર રામ મંદિર ન બનાવવાનો દેવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે રામ મંદિરના મુદ્દાને કોંગ્રેસે કોર્ટમાં ફસાવેલો રાખ્યો હતો. મોદીજી સત્તામા આવ્યા બાદ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો અને મોદીજીએ તે જ દિવસે રામ મંદિરનું ભૂમિ પૂજન કરાવી મંદિરના નિર્માણ કાર્યની શરૂ કરાવ્યું હતું.


"2024ની મજબૂત શરૂઆત"


કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ત્રિપુરામાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે 2024માં ચૂંટણી વર્ષની મજબૂત શરૂઆત થશે. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે કોર્ટમાં રામ મંદિરના નિર્માણમાં અવરોધ ઉભો કર્યો, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિર નિર્માણનું કામ શરૂ કર્યું છે. નવેમ્બરમાં, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે મંદિરનું નિર્માણ અડધોઅડધ કામ પૂર્ણ થઈ ગયું છે અને તે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે.




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.