અમિત શાહ અમદાવાદના બનશે મહેમાન, આ કાર્યક્રમમાં લેવાના છે ભાગ


  • Published By :
  • Published Date : 2023-04-03 11:10:04

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના પ્રવાસે આવવાના છે. અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે આયોજીત એક કાર્યક્રમમાં સામેલ લેવાના છે. સંત સંમેલન સભામાં તેઓ હાજર રહેવાના છે. આ સભામાં દેશભરથી હિંદુ ધર્મના આચાર્યો તેમજ હિંદુ સંસ્થાઓના અગ્રણી ઉપસ્થિત રહ્યા છે. અમિત શાહ ઉપરાંત મોહનભાગવત પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. હિંદુ પરંપરાઓ અંગે દરવર્ષે આ સભામાં આવી ચર્ચાઓ કરવામાં આવતી હોય છે. આવી સભાઓ દર વર્ષે આયોજીત થતી હોય છે. 



હિંદુ ધર્મના અનેક આચાર્યો લેશે સભામાં ભાગ 

હિંદુ ધર્મને ધ્યાનમાં રાખી આવી સભાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. આ સભામાં વિવિધ આધ્યાત્મિક વિષયો પર ચર્ચા કરવામાં  આવતી હોય છે. આ સભામાં હિંદુ ધર્મના તમામ સંપ્રદાયો અને સંપ્રદાયોના આચાર્યો તેમજ હિંદુ ધર્મના અગ્રણીઓ હાજર રહેતા હોય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ સંમેલનમાં હાજર રહેવાના છે. મહત્વનું છે કે અમિત શાહની આ અમદાવાદની મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે.    



દેશભરથી અનેક સાધુ સંતો અમદાવાદ આવ્યા 

આ કાર્યક્રમમાં ભાગ લેવા મોહન ભાગવત મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદમાં શિવાનંદ આશ્રમ ખાતે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સંત સંમેલનમાં વિવિધ ધાર્મિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવવાની છે. આ સભામાં ભાગ લેવા દેશભરથી સંતો અમદાવાદ આવી પહોંચ્યા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે મોહન ભાગવત સંતો સાથે બેઠક પણ કરી શકી છે.  લોકસભા ચૂંટણી પહેલા આ બેઠક થવાથી મહત્વની માનવામાં આવી રહી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.