અમિત શાહ અમદાવાદના બનશે મહેમાન, આ કાર્યક્રમમાં લેવાના છે ભાગ


  • Published By :
  • Published Date : 2023-04-03 11:10:04

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના પ્રવાસે આવવાના છે. અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે આયોજીત એક કાર્યક્રમમાં સામેલ લેવાના છે. સંત સંમેલન સભામાં તેઓ હાજર રહેવાના છે. આ સભામાં દેશભરથી હિંદુ ધર્મના આચાર્યો તેમજ હિંદુ સંસ્થાઓના અગ્રણી ઉપસ્થિત રહ્યા છે. અમિત શાહ ઉપરાંત મોહનભાગવત પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. હિંદુ પરંપરાઓ અંગે દરવર્ષે આ સભામાં આવી ચર્ચાઓ કરવામાં આવતી હોય છે. આવી સભાઓ દર વર્ષે આયોજીત થતી હોય છે. 



હિંદુ ધર્મના અનેક આચાર્યો લેશે સભામાં ભાગ 

હિંદુ ધર્મને ધ્યાનમાં રાખી આવી સભાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. આ સભામાં વિવિધ આધ્યાત્મિક વિષયો પર ચર્ચા કરવામાં  આવતી હોય છે. આ સભામાં હિંદુ ધર્મના તમામ સંપ્રદાયો અને સંપ્રદાયોના આચાર્યો તેમજ હિંદુ ધર્મના અગ્રણીઓ હાજર રહેતા હોય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ સંમેલનમાં હાજર રહેવાના છે. મહત્વનું છે કે અમિત શાહની આ અમદાવાદની મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે.    



દેશભરથી અનેક સાધુ સંતો અમદાવાદ આવ્યા 

આ કાર્યક્રમમાં ભાગ લેવા મોહન ભાગવત મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદમાં શિવાનંદ આશ્રમ ખાતે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સંત સંમેલનમાં વિવિધ ધાર્મિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવવાની છે. આ સભામાં ભાગ લેવા દેશભરથી સંતો અમદાવાદ આવી પહોંચ્યા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે મોહન ભાગવત સંતો સાથે બેઠક પણ કરી શકી છે.  લોકસભા ચૂંટણી પહેલા આ બેઠક થવાથી મહત્વની માનવામાં આવી રહી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.