શુટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન થયા ઘાયલ, દુર્ઘટના અંગે આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-03-06 10:46:25

અમિતાભ બચ્ચન પ્રભાસની ફિલ્મનું શુટિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ઘાયલ થયા છે તેવા સમાચાર મળી રહ્યા છે. હૈદરાબાદમાં ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન તેઓ ઘાયલ થયા છે. પોતાના ઘરે અમિતાભ આરામ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન પ્રભાસની ફિલ્મ પ્રોજેક્ટ કેનું શૂટિંગ કરી રહ્યા છે. એક એકશ્ન સીન દરમિયાન તેઓ ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત થયા બાદ હૈદરાબાદમાં તેમનું ચેકઅપ કરવામાં આવ્યું હતું અને જે બાદ તે મુંબઈ પહોંચી ગયા હતા. 


અભિનેતાએ આપી જાણકારી 

આ ઘટના અંગે માહિતી આપતા અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું કે પાંસળીમાં ઈજા થઈ છે. શૂટિંગ રદ્દ કરવામાં આવી છે. પાટો બાંધવામાં આવ્યો છે અને સારવાર કરવામાં આવી  રહી છે. તેનાથી ઘણી પીડા થઈ રહી છે. શરીરને આમ-તેમ કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. મને આ દુખાવા માટે કેટલીક દવાઓ આપવામાં આવી છે. મને સાજા થવા માટે અઠવાડિયાનો સમય લાગશે.     




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી