અમરેલી 20 નવેમ્બરે મોદી તો 22એ રાહુલની જનસભા સંબોધશે


  • Published By :
  • Published Date : 2022-11-16 18:22:03

ગુજરાત વિધાનસભા ચૂંટણીના સ્ટાર પ્રચારકોની રેલી શરૂ થઈ ગઈ છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી અમરેલીમાં રેલી સંબોધશે. 20 નવેમ્બરે અમરેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનસભા સંબોધશે ત્યારબાદ 22 નવેમ્બરે રાહુલ ગાંધીની સભા યોજાશે. બંને નેતાની સભા એક જ મેદાનમાં અને એક જ મંડપમાં યોજાશે. 

આગામી દિવસોમાં આ શહેરની મોદી લેશે મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 નવેમ્બરથી પહેલા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 અને 20 નવેમ્બરે બે દિવસ ગુજરાત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 વિધાનસભા સીટ પર 6 જનસભા સંબોધશે અને રોડ શૉ પણ કરશે. 19 નવેમ્બરે વાપીમાં રોડ શૉ કરશે અને વલસાડમાં સભા સંબોધશે. 20 નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં સભા સંબોધશે.   

એક જ સ્થળે મોદી-રાહુલની સભા

ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં રાહુલ ગાંધી રેલી કરશે. 20 નવેમ્બરે અમરેલીના ફોરવર્ડ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા યોજાશે. જેના બે દિવસ બાદ એટલે કે 22 નવેમ્બરે રાહુલ ગાંધી તે જ જગ્યા પર સભા સંબોધશે. 




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"