અમરેલી 20 નવેમ્બરે મોદી તો 22એ રાહુલની જનસભા સંબોધશે


  • Published By :
  • Published Date : 2022-11-16 18:22:03

ગુજરાત વિધાનસભા ચૂંટણીના સ્ટાર પ્રચારકોની રેલી શરૂ થઈ ગઈ છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી અમરેલીમાં રેલી સંબોધશે. 20 નવેમ્બરે અમરેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનસભા સંબોધશે ત્યારબાદ 22 નવેમ્બરે રાહુલ ગાંધીની સભા યોજાશે. બંને નેતાની સભા એક જ મેદાનમાં અને એક જ મંડપમાં યોજાશે. 

આગામી દિવસોમાં આ શહેરની મોદી લેશે મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 નવેમ્બરથી પહેલા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 અને 20 નવેમ્બરે બે દિવસ ગુજરાત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 વિધાનસભા સીટ પર 6 જનસભા સંબોધશે અને રોડ શૉ પણ કરશે. 19 નવેમ્બરે વાપીમાં રોડ શૉ કરશે અને વલસાડમાં સભા સંબોધશે. 20 નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં સભા સંબોધશે.   

એક જ સ્થળે મોદી-રાહુલની સભા

ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં રાહુલ ગાંધી રેલી કરશે. 20 નવેમ્બરે અમરેલીના ફોરવર્ડ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા યોજાશે. જેના બે દિવસ બાદ એટલે કે 22 નવેમ્બરે રાહુલ ગાંધી તે જ જગ્યા પર સભા સંબોધશે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.