અમરેલી 20 નવેમ્બરે મોદી તો 22એ રાહુલની જનસભા સંબોધશે


  • Published By :
  • Published Date : 2022-11-16 18:22:03

ગુજરાત વિધાનસભા ચૂંટણીના સ્ટાર પ્રચારકોની રેલી શરૂ થઈ ગઈ છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી અમરેલીમાં રેલી સંબોધશે. 20 નવેમ્બરે અમરેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનસભા સંબોધશે ત્યારબાદ 22 નવેમ્બરે રાહુલ ગાંધીની સભા યોજાશે. બંને નેતાની સભા એક જ મેદાનમાં અને એક જ મંડપમાં યોજાશે. 

આગામી દિવસોમાં આ શહેરની મોદી લેશે મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 નવેમ્બરથી પહેલા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 અને 20 નવેમ્બરે બે દિવસ ગુજરાત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 વિધાનસભા સીટ પર 6 જનસભા સંબોધશે અને રોડ શૉ પણ કરશે. 19 નવેમ્બરે વાપીમાં રોડ શૉ કરશે અને વલસાડમાં સભા સંબોધશે. 20 નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં સભા સંબોધશે.   

એક જ સ્થળે મોદી-રાહુલની સભા

ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં રાહુલ ગાંધી રેલી કરશે. 20 નવેમ્બરે અમરેલીના ફોરવર્ડ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા યોજાશે. જેના બે દિવસ બાદ એટલે કે 22 નવેમ્બરે રાહુલ ગાંધી તે જ જગ્યા પર સભા સંબોધશે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.