રિબડિયા પર અમરિષ ડેરના પ્રહાર, હર્ષદભાઈને 40 કરોડની ઓફર મળી હતી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 15:40:12

કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયા ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયું છે. કોંગ્રસના અગ્રણી નેતાઓ હર્ષદ રિબડિયાને નિશાન બનાવી આકરા શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરીષ ડેરના હર્ષદ રિબડિયા પરના નિવેદને ખાસ્સી ચર્ચા જગાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે અમરિષ ડેરની કોંગ્રેસ છોડવાની અટકળો વચ્ચે તેમનું નિવેદન સામે આવ્યું છે.


હર્ષદ રિબડિયા પર અમરિષ ડેરનો આક્ષેપ

 

હર્ષદ રિબડિયા પર અમરીષ ડેરએ આક્ષેપ કરતા કહ્યું કે, 'જનતા માટે લડવાના સમયે ત્યારે જ તેઓ પાછા પડી રહ્યા છે, કોંગ્રેસ પાર્ટીએ તેમને મોટું પદ આપ્યું હતું, જે પાર્ટીએ તેમને મોટા કર્યા છે, તેવી પાર્ટીને છોડીને જાય છે, તેમણે પાર્ટી છોડી તો અમને અને ઘણા લોકોને દુઃખ થયું છે. તેમણે કહ્યું કે, વ્યથા અને વેદનાથી પાર્ટી ન છોડવી જોઈએ.' હર્ષદ રિબડિયાને  40 કરોડની ઓફર મળી હતી તે અંગે તેમણે કહ્યું આ માહિતી તેમણે ખુદ આપી હતી. પરંતુ હવે જ્યારે લોકોની સેવા કરવાના સમય આવ્યો છે, ત્યારે તેઓનું પાર્ટી છોડીને જવું એ સ્પષ્ટ કરે છે કે લોકોની સેવા કરવાનું ભૂલ્યા છે. 



અમરિષ ડેરએ કોંગ્રેસ પાર્ટીની પ્રશંસા કરી


અમરિષ ડેરે કોંગ્રેસ પાર્ટી સાથેના તેમના સંબંધો અને અનુભવો વર્ણવતા કહ્યું  કે મારી નાની ઉંમરે પાર્ટીએ મને બહું આપ્યું છે. મેં યુવા ભાજપ મોરચા તરીકે કામ કર્યું છે તે જગ જાહેર છે અને આજે જ્યાં છું ત્યા સારી રીતે કામ કરુ છું. આ પાર્ટી સાથે રહીને જ કામ કરવાનો છું. અત્યારે ભાજપ પાસે પૈસા અને સત્તાનો પાવર છે એટલે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ હવે ખુરસી સાફ કરી રહ્યા છે. તેમણે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યુ કે, ભાજપ નેતાઓ અને કાર્યકર્તા ઉગળતો ચરુ છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.