અમૂલ ડેરીએ એકાએક દૂધના ભાવમાં કર્યો વધારો, ડેરીએ પ્રતિ લીટર 3 રૂપિયા વધાર્યા


  • Published By :
  • Published Date : 2023-02-03 10:59:48

છેલ્લા ઘણા સમયથી મોંઘવારીનો સામનો લોકો કરી રહ્યા છે. અમુલ ડેરીએ દૂધની કિંમતોમાં ભાવ વધારો કર્યો છે. દૂધના ભાવ પ્રતિ લીટરે ત્રણ રુપિયા વધારાની જાહેરાત કરવામાં આવી છે. તાત્કાલિક અસરથી આ ભાવ વધારો લાગુ કરવામાં આવશે. ભાવ વધારાને કારણે અમૂલ ગોલ્ડની કિંમત 66 રુપિયા પ્રતિ લીટર, અમૂલ તાજાની કિંમત 54 રુપિયા પ્રતિ લીટર તેમજ અમૂલ ગાયનું દૂધ 56 રુપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયા છે. ગુજરાતમાં હાલ આ ભાવ વધારો અમલમાં નથી મૂકાયો.              


અમૂલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો 

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. કોઈ વખત સિંગતેલ ના ભાવ વધે છે તો કોઈ વખત ગેસ સિલિન્ડરના ભાવ વધે છે. ત્યારે વધુ એક મોંઘવારીનો ઝટકો મધ્યમવર્ગીય પરિવારને લાગ્યો છે. સવારની શરૂઆત જેનાથી થાય તે દૂધના ભાવમાં વધારો ઝિંકાયો છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં ભાવ વધારો થતા મહિલાઓનું બજેટ ખોરવાઈ ગયું છે. 

અમૂલ અને મધર ડેરીનું દૂધ બન્યું વધુ મોંઘું, આજથી નવા દર લાગુ | TV9 Gujarati

અમૂલ ગોલ્ડ 66 રુપિયા પ્રતિ લીટરે મળશે

અમૂલ ડેરીએ દૂધની કિંમતમાં તોતિંગ ભાવ વધારો કર્યો છે. કંપનીએ પ્રતિ લીટરે દૂધના ભાવમાં રુ.3નો વધારો કર્યો છે. ભાવ વધવાને કારણે અમૂલ ગોલ્ડની કિંમત 66 રુપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. અમૂલ તાજાની કિંમત 54 રુપિયા પ્રતિ લીટર, અમૂલ ગાયું દૂધ 56 રુપિયા પ્રતિ લીટર અને A2 ભેંસના દૂધની કિંમત 70 રૂપિયા પ્રતિ લીટર છે. આ ભાવ વધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે