અમૂલ ડેરીએ એકાએક દૂધના ભાવમાં કર્યો વધારો, ડેરીએ પ્રતિ લીટર 3 રૂપિયા વધાર્યા


  • Published By :
  • Published Date : 2023-02-03 10:59:48

છેલ્લા ઘણા સમયથી મોંઘવારીનો સામનો લોકો કરી રહ્યા છે. અમુલ ડેરીએ દૂધની કિંમતોમાં ભાવ વધારો કર્યો છે. દૂધના ભાવ પ્રતિ લીટરે ત્રણ રુપિયા વધારાની જાહેરાત કરવામાં આવી છે. તાત્કાલિક અસરથી આ ભાવ વધારો લાગુ કરવામાં આવશે. ભાવ વધારાને કારણે અમૂલ ગોલ્ડની કિંમત 66 રુપિયા પ્રતિ લીટર, અમૂલ તાજાની કિંમત 54 રુપિયા પ્રતિ લીટર તેમજ અમૂલ ગાયનું દૂધ 56 રુપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયા છે. ગુજરાતમાં હાલ આ ભાવ વધારો અમલમાં નથી મૂકાયો.              


અમૂલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો 

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. કોઈ વખત સિંગતેલ ના ભાવ વધે છે તો કોઈ વખત ગેસ સિલિન્ડરના ભાવ વધે છે. ત્યારે વધુ એક મોંઘવારીનો ઝટકો મધ્યમવર્ગીય પરિવારને લાગ્યો છે. સવારની શરૂઆત જેનાથી થાય તે દૂધના ભાવમાં વધારો ઝિંકાયો છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં ભાવ વધારો થતા મહિલાઓનું બજેટ ખોરવાઈ ગયું છે. 

અમૂલ અને મધર ડેરીનું દૂધ બન્યું વધુ મોંઘું, આજથી નવા દર લાગુ | TV9 Gujarati

અમૂલ ગોલ્ડ 66 રુપિયા પ્રતિ લીટરે મળશે

અમૂલ ડેરીએ દૂધની કિંમતમાં તોતિંગ ભાવ વધારો કર્યો છે. કંપનીએ પ્રતિ લીટરે દૂધના ભાવમાં રુ.3નો વધારો કર્યો છે. ભાવ વધવાને કારણે અમૂલ ગોલ્ડની કિંમત 66 રુપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. અમૂલ તાજાની કિંમત 54 રુપિયા પ્રતિ લીટર, અમૂલ ગાયું દૂધ 56 રુપિયા પ્રતિ લીટર અને A2 ભેંસના દૂધની કિંમત 70 રૂપિયા પ્રતિ લીટર છે. આ ભાવ વધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે.  




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.