અમૂલ ડેરીએ એકાએક દૂધના ભાવમાં કર્યો વધારો, ડેરીએ પ્રતિ લીટર 3 રૂપિયા વધાર્યા


  • Published By :
  • Published Date : 2023-02-03 10:59:48

છેલ્લા ઘણા સમયથી મોંઘવારીનો સામનો લોકો કરી રહ્યા છે. અમુલ ડેરીએ દૂધની કિંમતોમાં ભાવ વધારો કર્યો છે. દૂધના ભાવ પ્રતિ લીટરે ત્રણ રુપિયા વધારાની જાહેરાત કરવામાં આવી છે. તાત્કાલિક અસરથી આ ભાવ વધારો લાગુ કરવામાં આવશે. ભાવ વધારાને કારણે અમૂલ ગોલ્ડની કિંમત 66 રુપિયા પ્રતિ લીટર, અમૂલ તાજાની કિંમત 54 રુપિયા પ્રતિ લીટર તેમજ અમૂલ ગાયનું દૂધ 56 રુપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયા છે. ગુજરાતમાં હાલ આ ભાવ વધારો અમલમાં નથી મૂકાયો.              


અમૂલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો 

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. કોઈ વખત સિંગતેલ ના ભાવ વધે છે તો કોઈ વખત ગેસ સિલિન્ડરના ભાવ વધે છે. ત્યારે વધુ એક મોંઘવારીનો ઝટકો મધ્યમવર્ગીય પરિવારને લાગ્યો છે. સવારની શરૂઆત જેનાથી થાય તે દૂધના ભાવમાં વધારો ઝિંકાયો છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં ભાવ વધારો થતા મહિલાઓનું બજેટ ખોરવાઈ ગયું છે. 

અમૂલ અને મધર ડેરીનું દૂધ બન્યું વધુ મોંઘું, આજથી નવા દર લાગુ | TV9 Gujarati

અમૂલ ગોલ્ડ 66 રુપિયા પ્રતિ લીટરે મળશે

અમૂલ ડેરીએ દૂધની કિંમતમાં તોતિંગ ભાવ વધારો કર્યો છે. કંપનીએ પ્રતિ લીટરે દૂધના ભાવમાં રુ.3નો વધારો કર્યો છે. ભાવ વધવાને કારણે અમૂલ ગોલ્ડની કિંમત 66 રુપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. અમૂલ તાજાની કિંમત 54 રુપિયા પ્રતિ લીટર, અમૂલ ગાયું દૂધ 56 રુપિયા પ્રતિ લીટર અને A2 ભેંસના દૂધની કિંમત 70 રૂપિયા પ્રતિ લીટર છે. આ ભાવ વધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે.  




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.